ETV Bharat / bharat

ભારત-નેપાળ ડીપ્લોમેટીક રો અને તેમાં ચીનનો ચંચુપાત

author img

By

Published : May 12, 2020, 10:00 PM IST

કલમ 370 અને 35A રદ્દ કરીને અને જમ્મુ કશ્મીર અને લદ્દાખને નવા યુનીયન ટેરેટરી જાહેર કર્યા બાદ નવેમ્બર 2019માં ભારતના રાજકીય નકશાની નવી આવૃતિ બહાર પાડી. એ સમયે નેપાળે આરોપ સાથે આ નકશા સામે વાંધો ઉઠાવ્યો હતો કે દેશના સુંદરપશ્ચીમ પ્રાંતના દાર્ચુલા જિલ્લાના એક વિસ્તારમાં આવેલા ‘કાલાપાની’ ક્ષેત્રને ઉત્તરાખંડ રાજ્યના પીથોરાગ જિલ્લાના ભાગરૂપે ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે. નેપાળના આ આરોપ સામે ભારતે સ્પષ્ટતા કરી કે આ નકશામાં કાર્ટગ્રાફિક અગ્રેશનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને આ નકશો સચોટ છે સાથે જ ભારતે કહ્યુ કે આ નકશામાં એવુ કંઈ પણ દર્શાવવામાં નથી આવ્યુ જે આ પહેલા દર્શાવેલા નકશામાં ન હોય.

ભારત-નેપાળ ડીપ્લોમેટીક રો અને તેમાં ચીનનો ચંચુપાત
ભારત-નેપાળ ડીપ્લોમેટીક રો અને તેમાં ચીનનો ચંચુપાત

ન્યૂઝ ડેસ્ક : ગત અઠવાડીયે રક્ષામંત્રી રાજનાથસીંહે એક નવા લીંક રોડનું ઉદઘાટન કર્યુ જેનાથી ચીનની સરહદ નજીક ધારચુલુથી લીપુ લેખ સુધીના રસ્તાને ટુંકાવવામાં મદદ કરશે અને કૈલાશ માનસરોવર યાત્રામાં ફાયદો થશે તેવી આશા સેવાઈ રહી છે. આ રોડના ઉદઘાટનથી કાઠમંડુ અને નવી દિલ્હી વચ્ચે ફરી એક વાર તનાવની સ્થીતિ ઉભી થઈ છે. નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતુ કે 1816માં થયેલી સુગૌલી સંધી પ્રમાણે ભારતે નેપાળના એક પણ પ્રદેશ, ખાસ કરીને મહાકાલી નદીના પુર્વ તરફના લિમ્પીયાધુરા, કાલાપાની અને લીપુ લેખ સહીતના પ્રદેશો પર કોઈ પણ પ્રકારની પ્રવૃતિ ન કરવી જોઈએ.

ભારત-નેપાળ ડીપ્લોમેટીક રો અને તેમાં ચીનનો ચંચુપાત

જો કે બીજી તરફ દિલ્હીના વિદેશ મંત્રાલયે આ આક્ષેપોને નકારી કાઢતા કહ્યુ હતુ કે, “ઉત્તરાખંડ રાજ્યના પીથારોગ જિલ્લામાં તાજેતરમાં જે રોડનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તે રોડ સંપુર્ણ રીતે ભારતની અંદર આવેલો છે.” આ ઉપરાંત વિદેશ મંત્રાલયે કહ્યુ કે બંન્ને દેશોની સરહદને લઈને કેટલાક મુદ્દાઓનુ સમાધાન પણ કરવામાં આવશે. તેના માટે લાંબા સમયથી એક બંન્ને દેશના સચીવો વચ્ચે એક બેઠકનું આયોજન કરવાનુ મુલત્વી છે તે બેઠક Covid-19 ની મહામારી બાદ કરવામાં આવશે.

આ અઠવાડીયે નેપાળના વિદેશમંત્રી પ્રદીપ ગ્યાવાલી એ પાર્લીયામેન્ટને જણાવ્યુ હતુ કે હિમાલયની આસપાસ આવેલા દેશો હિમાલયની પશ્ચીમ સરહદ પર કાયમી જવાનો તૈનાત કરવા માગે છે અને ભારત સાથે મળીને એક ફીક્સ બાઉન્ડ્રી પણ નક્કી કરવા માગે છે. આ મુદ્દો જૂથના અહેવાલના વિવાદાસ્પદ મુદ્દાઓ માંનો એક છે જેની ચર્ચા પ્રધાનમંત્રી મોદી સાથે કર્યા પછી તેને એમ જ રાખી દેવામાં આવ્યો હતો પરંતુ તેને જૂથના તમામ સભ્યોની સહમતી બાદ તેનુ ઔપચારીક સબમીશન બાકી છે. નેપાળના વિદેશ મંત્રીએ સોમવારે ભારતીય રાજદૂત વિનય કવાત્રાને સમન્સ પાઠવ્યાના અહેવાલ આવ્યા હતા પરંતુ ત્યાર બાદ વિદેશ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તે કોઈ સમન્સ નહી પરંતુ મીટીંગ હતી.

શા માટે કાઠમંડુએ પોતાની માંગ વધારી છે? નેપાળના પૂર્વ પ્રદેશો પર ચીનના પડછાયાથી ભારતની પરીસ્થીતિ કેટલી ચીંતાજનક થઈ શકે છે? નેપાળને મદદ કરવા અને દ્વીપક્ષીય સબંધોને ફરીથી મજબૂત બનાવવા માટે નવી દિલ્હીએ શું કરવુ જોઈએ? શું નેપાળના પ્રદેશની સીમાઓના ઉલ્લંઘનના આક્ષેપો વ્યાજબી છે કે પછી આ આક્ષેપો ભૂતકાળમાં ઉભા થયેલા અવિશ્વાસ અને સ્થાનિક રાજકીય રેટરીક દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે? સીનીયર જર્નાલીસ્ટ સ્મીતા શર્માએ આ તમામ મુદ્દાઓ વીશે કાઠમંડુમાં ભારતીય નિવૃત રણજીત રાય અને બ્રુકીંગ્સ ઇન્ડીયા ફેલો કોન્સ્ટેન્ટિનો ઝેવીયર સાથે ચર્ચા કરી છે.

આ ચર્ચા દરમીયાન કોન્સ્ટેન્ટિનો ઝેવીયરે ચેતવણી આપી હતી કે ભારત અને નેપાળ વચ્ચેના 98% સરહદ વિવાદોનુ સમાધાન થઈ ચુક્યુ છે હવે બાકી રહેલા ‘કાલાપાની’ જેવા મુદ્દાઓ પર જો ધ્યાન નહી આપવામાં આવે તો બંન્ને પડોશી દેશો વચ્ચે કાયમી તનાવ રહી શકે છે. તેમણે કહ્યુ કે ભારતે કાલાપાની પ્રદેશમાં કોઈપણ પ્રકારના ટ્રાઈ-જંકશન ફ્લેરને અટકાવવો જોઈએ.

નિવૃત રાજદૂત રાયે ચીંતા વ્યક્ત કરી હતી કે ચીન નેપાળમાં તેની આર્થિક હાજરી થકી રાજકીય ફેરફારોને પણ અસર કરી રહ્યુ છે અને પોતાને ‘શટલ ડીપ્લોમસી’માં શામેલ કરી રહ્યુ છે. તેમણે એમ પણ કહ્યુ કે ભારતે નેપાળના તમામ રાજકીય હિસ્સેદારો સાથે સંકળાયેલા રહેવુ જોઈએ અને બંન્ને દેશો વચ્ચે આજ સુધી જે પ્રકારના ‘રોટી-બેટી સંબંધ’ એટલે કે ભૂતકાળમાં જે ઉષ્માપૂર્ણ સબંધ રહ્યા છે તે સબંધોને ધ્યાનમાં રાખીને શાતિપૂર્ણ રીતે કોઈપણ વિવાદનો ઉકેલ લાવવો જોઈએ.

- સ્મિતા શર્મા

ન્યૂઝ ડેસ્ક : ગત અઠવાડીયે રક્ષામંત્રી રાજનાથસીંહે એક નવા લીંક રોડનું ઉદઘાટન કર્યુ જેનાથી ચીનની સરહદ નજીક ધારચુલુથી લીપુ લેખ સુધીના રસ્તાને ટુંકાવવામાં મદદ કરશે અને કૈલાશ માનસરોવર યાત્રામાં ફાયદો થશે તેવી આશા સેવાઈ રહી છે. આ રોડના ઉદઘાટનથી કાઠમંડુ અને નવી દિલ્હી વચ્ચે ફરી એક વાર તનાવની સ્થીતિ ઉભી થઈ છે. નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતુ કે 1816માં થયેલી સુગૌલી સંધી પ્રમાણે ભારતે નેપાળના એક પણ પ્રદેશ, ખાસ કરીને મહાકાલી નદીના પુર્વ તરફના લિમ્પીયાધુરા, કાલાપાની અને લીપુ લેખ સહીતના પ્રદેશો પર કોઈ પણ પ્રકારની પ્રવૃતિ ન કરવી જોઈએ.

ભારત-નેપાળ ડીપ્લોમેટીક રો અને તેમાં ચીનનો ચંચુપાત

જો કે બીજી તરફ દિલ્હીના વિદેશ મંત્રાલયે આ આક્ષેપોને નકારી કાઢતા કહ્યુ હતુ કે, “ઉત્તરાખંડ રાજ્યના પીથારોગ જિલ્લામાં તાજેતરમાં જે રોડનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તે રોડ સંપુર્ણ રીતે ભારતની અંદર આવેલો છે.” આ ઉપરાંત વિદેશ મંત્રાલયે કહ્યુ કે બંન્ને દેશોની સરહદને લઈને કેટલાક મુદ્દાઓનુ સમાધાન પણ કરવામાં આવશે. તેના માટે લાંબા સમયથી એક બંન્ને દેશના સચીવો વચ્ચે એક બેઠકનું આયોજન કરવાનુ મુલત્વી છે તે બેઠક Covid-19 ની મહામારી બાદ કરવામાં આવશે.

આ અઠવાડીયે નેપાળના વિદેશમંત્રી પ્રદીપ ગ્યાવાલી એ પાર્લીયામેન્ટને જણાવ્યુ હતુ કે હિમાલયની આસપાસ આવેલા દેશો હિમાલયની પશ્ચીમ સરહદ પર કાયમી જવાનો તૈનાત કરવા માગે છે અને ભારત સાથે મળીને એક ફીક્સ બાઉન્ડ્રી પણ નક્કી કરવા માગે છે. આ મુદ્દો જૂથના અહેવાલના વિવાદાસ્પદ મુદ્દાઓ માંનો એક છે જેની ચર્ચા પ્રધાનમંત્રી મોદી સાથે કર્યા પછી તેને એમ જ રાખી દેવામાં આવ્યો હતો પરંતુ તેને જૂથના તમામ સભ્યોની સહમતી બાદ તેનુ ઔપચારીક સબમીશન બાકી છે. નેપાળના વિદેશ મંત્રીએ સોમવારે ભારતીય રાજદૂત વિનય કવાત્રાને સમન્સ પાઠવ્યાના અહેવાલ આવ્યા હતા પરંતુ ત્યાર બાદ વિદેશ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તે કોઈ સમન્સ નહી પરંતુ મીટીંગ હતી.

શા માટે કાઠમંડુએ પોતાની માંગ વધારી છે? નેપાળના પૂર્વ પ્રદેશો પર ચીનના પડછાયાથી ભારતની પરીસ્થીતિ કેટલી ચીંતાજનક થઈ શકે છે? નેપાળને મદદ કરવા અને દ્વીપક્ષીય સબંધોને ફરીથી મજબૂત બનાવવા માટે નવી દિલ્હીએ શું કરવુ જોઈએ? શું નેપાળના પ્રદેશની સીમાઓના ઉલ્લંઘનના આક્ષેપો વ્યાજબી છે કે પછી આ આક્ષેપો ભૂતકાળમાં ઉભા થયેલા અવિશ્વાસ અને સ્થાનિક રાજકીય રેટરીક દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે? સીનીયર જર્નાલીસ્ટ સ્મીતા શર્માએ આ તમામ મુદ્દાઓ વીશે કાઠમંડુમાં ભારતીય નિવૃત રણજીત રાય અને બ્રુકીંગ્સ ઇન્ડીયા ફેલો કોન્સ્ટેન્ટિનો ઝેવીયર સાથે ચર્ચા કરી છે.

આ ચર્ચા દરમીયાન કોન્સ્ટેન્ટિનો ઝેવીયરે ચેતવણી આપી હતી કે ભારત અને નેપાળ વચ્ચેના 98% સરહદ વિવાદોનુ સમાધાન થઈ ચુક્યુ છે હવે બાકી રહેલા ‘કાલાપાની’ જેવા મુદ્દાઓ પર જો ધ્યાન નહી આપવામાં આવે તો બંન્ને પડોશી દેશો વચ્ચે કાયમી તનાવ રહી શકે છે. તેમણે કહ્યુ કે ભારતે કાલાપાની પ્રદેશમાં કોઈપણ પ્રકારના ટ્રાઈ-જંકશન ફ્લેરને અટકાવવો જોઈએ.

નિવૃત રાજદૂત રાયે ચીંતા વ્યક્ત કરી હતી કે ચીન નેપાળમાં તેની આર્થિક હાજરી થકી રાજકીય ફેરફારોને પણ અસર કરી રહ્યુ છે અને પોતાને ‘શટલ ડીપ્લોમસી’માં શામેલ કરી રહ્યુ છે. તેમણે એમ પણ કહ્યુ કે ભારતે નેપાળના તમામ રાજકીય હિસ્સેદારો સાથે સંકળાયેલા રહેવુ જોઈએ અને બંન્ને દેશો વચ્ચે આજ સુધી જે પ્રકારના ‘રોટી-બેટી સંબંધ’ એટલે કે ભૂતકાળમાં જે ઉષ્માપૂર્ણ સબંધ રહ્યા છે તે સબંધોને ધ્યાનમાં રાખીને શાતિપૂર્ણ રીતે કોઈપણ વિવાદનો ઉકેલ લાવવો જોઈએ.

- સ્મિતા શર્મા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.