ETV Bharat / bharat

સ્તનપાનથી માતાને કેવી રીતે ફાયદો થાય છે?

નોકરી કરતી મહિલાઓ દૂધને જંતુરહિત કન્ટેનરમાં 48 કલાક સુધી રેફ્રિજરેટ કરી શકે છે. જ્યારે બાળકને ફીડ કરવાનો સમય આવે છે, ત્યારે સંગ્રહિત દૂધને ફ્રિજમાંથી કાઢી રુમના તાપમાન પર લઇ બાળકને ફીડ કરી શકે છે.

author img

By

Published : Aug 2, 2020, 7:00 AM IST

સ્તનપાન
સ્તનપાન

હૈદરાબાદ: ઇ.ટી.વી. ભારત સુખીભાવાએ પ્રખ્યાત સ્ત્રીરોગચિકિત્સક અને પ્રસૂતિવિજ્ઞનાના, એમડી OBGY, FICOG, FMAS, પ્રોફેસર ઓબ્સ્ટેટ્રિક્સ અને સ્ત્રીરોગનિષ્ણાંત, ભૂતપૂર્વ સુપ્રિટેન્ડન્ટ CAMA અને ALBLESS હોસ્પિટલો, મુંબઈ, ડૉક્ટર રાજશ્રી કાતકે સાથે વાત કરી હતી.

સ્તનપાનથી માતાને કેવી રીતે ફાયદો થાય છે?

બાળક અને માતા વચ્ચે ઇમોશનલ બોન્ડ મજબૂત અને ગાઢ બને ​​છે. માતા ઉદાસ હોય ત્યારે પણ તે બાળકને ફીડ કરી શકે છે, તે સ્વસ્થ બંધન વિકસાવવામાં મદદ કરે છે.

સ્તનપાન દરમ્યાન રિલીઝ થતો ઓક્સીટોસિન હોર્મોન વજન ઘટાડવામાં મદદ કરી શકે છે અને માતા પોતાનું ફીગર ફરી મેળવી શકે છે.

સ્તનપાન કરાવતી માતા અંડાશયના અને સ્તનના કેન્સર સામે સુરક્ષિત કરે છે.

તમે બાળકના ડિલિવરી પછી સ્તનપાનની શરૂઆત કરો છો, ઓક્સીટોસિનના રિલીઝમાં વધુ મદદ કરે છે અને પ્લેસેન્ટાના રીલિઝને પણ સરળ કરે છે અને ગર્ભાશય સંકુચિત થઈ જાય છે અને રક્તસ્રાવ ઘટાડે છે.

બાળકને સ્તનપાન કરવાતા સમયે યોગ્ય સ્થિતિ

માતાએ આરામથી બેસવું જોઈએ. પીઠનો દુખાવો ન થાય તે માટે તેણે ટેકો રાખીને બેસવું જોઈએ.

કોલોસ્ટ્રમ એટલે શું?

કોલોસ્ટ્રમ એ સ્ત્રાવ છે જે ડિલિવરીના પહેલા 2 દિવસમાં માતાના સ્તનમાંથી બહાર આવે છે.

તે ઇમ્યુનોગ્લોબ્યુલિન અને એન્ટિબોડીઝથી સમૃદ્ધ હોવાનું કહેવામાં આવે છે પરંતુ કેટલાક સામાજિક નિષેધને કારણે, કોલોસ્ટ્રમ સ્ત્રી દ્વારા કાઢી નાખવામાં આવે છે કારણ કે તે સામાન્ય રીતે "ચૂડેલનું દૂધ" તરીકે ઓળખાય છે અને બહાર ફેંકી દેવામાં આવે છે.

પરંતુ આ દૂધનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે જેનો ઉપયોગ દરેક નવજાત શિશુ માટે થવો જોઈએ.

નોકરી કરતી મહિલાઓ કેવી રીતે સ્તનપાન કરાવે છે?

આ સ્ત્રીઓ દૂધને જંતુરહિત કન્ટેનરમાં 48 કલાક સુધી રેફ્રિજરેટ કરી શકે છે. જ્યારે બાળકને ફીડ કરવાનો સમય આવે છે, ત્યારે સંગ્રહિત દૂધને ફ્રિજમાંથી કાઢી રુમના તાપમાન પર લઇ બાળકને ફીડ કરી શકે છે.

દૂધ આપવા માટે જે કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવે છે તેને જંતુરહિત બનાવવા માટે ગરમ પાણીમાં સારી રીતે ગરમ કરવું જોઈએ. જો કે માતાના દૂધને ઉકાળો નહીં, નહીં તો તે તેના તમામ પોષક તત્વો નષ્ટ થશે.

દૂધના સ્ત્રાવના ઉણપનો સામનો કરવો

જ્યારે દૂધનો સ્ત્રાવ ઓછો થાય , તો મેથી, ફળો, રાગી અથવા બાજરીના દલિયા, સૂપ, દૂધ, ફળોના રસ સાથે સારો આહાર માતાને વધુ દૂધ મેળવવામાં મદદ કરી શકે છે.

કોઈ પણ શતાવર ગ્રેન્યુલ્સ અને અન્ય પદાર્થો લઇ શકાય છે જે ડોકટરોની સલાહ લઈને દૂધ ઉત્પાદનમાં વધારો કરે છે.

હૈદરાબાદ: ઇ.ટી.વી. ભારત સુખીભાવાએ પ્રખ્યાત સ્ત્રીરોગચિકિત્સક અને પ્રસૂતિવિજ્ઞનાના, એમડી OBGY, FICOG, FMAS, પ્રોફેસર ઓબ્સ્ટેટ્રિક્સ અને સ્ત્રીરોગનિષ્ણાંત, ભૂતપૂર્વ સુપ્રિટેન્ડન્ટ CAMA અને ALBLESS હોસ્પિટલો, મુંબઈ, ડૉક્ટર રાજશ્રી કાતકે સાથે વાત કરી હતી.

સ્તનપાનથી માતાને કેવી રીતે ફાયદો થાય છે?

બાળક અને માતા વચ્ચે ઇમોશનલ બોન્ડ મજબૂત અને ગાઢ બને ​​છે. માતા ઉદાસ હોય ત્યારે પણ તે બાળકને ફીડ કરી શકે છે, તે સ્વસ્થ બંધન વિકસાવવામાં મદદ કરે છે.

સ્તનપાન દરમ્યાન રિલીઝ થતો ઓક્સીટોસિન હોર્મોન વજન ઘટાડવામાં મદદ કરી શકે છે અને માતા પોતાનું ફીગર ફરી મેળવી શકે છે.

સ્તનપાન કરાવતી માતા અંડાશયના અને સ્તનના કેન્સર સામે સુરક્ષિત કરે છે.

તમે બાળકના ડિલિવરી પછી સ્તનપાનની શરૂઆત કરો છો, ઓક્સીટોસિનના રિલીઝમાં વધુ મદદ કરે છે અને પ્લેસેન્ટાના રીલિઝને પણ સરળ કરે છે અને ગર્ભાશય સંકુચિત થઈ જાય છે અને રક્તસ્રાવ ઘટાડે છે.

બાળકને સ્તનપાન કરવાતા સમયે યોગ્ય સ્થિતિ

માતાએ આરામથી બેસવું જોઈએ. પીઠનો દુખાવો ન થાય તે માટે તેણે ટેકો રાખીને બેસવું જોઈએ.

કોલોસ્ટ્રમ એટલે શું?

કોલોસ્ટ્રમ એ સ્ત્રાવ છે જે ડિલિવરીના પહેલા 2 દિવસમાં માતાના સ્તનમાંથી બહાર આવે છે.

તે ઇમ્યુનોગ્લોબ્યુલિન અને એન્ટિબોડીઝથી સમૃદ્ધ હોવાનું કહેવામાં આવે છે પરંતુ કેટલાક સામાજિક નિષેધને કારણે, કોલોસ્ટ્રમ સ્ત્રી દ્વારા કાઢી નાખવામાં આવે છે કારણ કે તે સામાન્ય રીતે "ચૂડેલનું દૂધ" તરીકે ઓળખાય છે અને બહાર ફેંકી દેવામાં આવે છે.

પરંતુ આ દૂધનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે જેનો ઉપયોગ દરેક નવજાત શિશુ માટે થવો જોઈએ.

નોકરી કરતી મહિલાઓ કેવી રીતે સ્તનપાન કરાવે છે?

આ સ્ત્રીઓ દૂધને જંતુરહિત કન્ટેનરમાં 48 કલાક સુધી રેફ્રિજરેટ કરી શકે છે. જ્યારે બાળકને ફીડ કરવાનો સમય આવે છે, ત્યારે સંગ્રહિત દૂધને ફ્રિજમાંથી કાઢી રુમના તાપમાન પર લઇ બાળકને ફીડ કરી શકે છે.

દૂધ આપવા માટે જે કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવે છે તેને જંતુરહિત બનાવવા માટે ગરમ પાણીમાં સારી રીતે ગરમ કરવું જોઈએ. જો કે માતાના દૂધને ઉકાળો નહીં, નહીં તો તે તેના તમામ પોષક તત્વો નષ્ટ થશે.

દૂધના સ્ત્રાવના ઉણપનો સામનો કરવો

જ્યારે દૂધનો સ્ત્રાવ ઓછો થાય , તો મેથી, ફળો, રાગી અથવા બાજરીના દલિયા, સૂપ, દૂધ, ફળોના રસ સાથે સારો આહાર માતાને વધુ દૂધ મેળવવામાં મદદ કરી શકે છે.

કોઈ પણ શતાવર ગ્રેન્યુલ્સ અને અન્ય પદાર્થો લઇ શકાય છે જે ડોકટરોની સલાહ લઈને દૂધ ઉત્પાદનમાં વધારો કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.