નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિયો વિરૂદ્ધ નવા ડેથ વોરંટ જાહેર કરવાની માંગ કરતી અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે. છેલ્લી સુનાવણીમાં તિહાડ જેલ ઓથોરિટીએ કહ્યું હતું કે, પવનને કોઈ વકીલ નથી જોઈતો. દોષિત પવન ગુપ્તાએ સરકારી વકીલ લેવાની ના પાડી દીધી હતી. તિહાડ જેલ પ્રશાસને કહ્યું હતું કે, જેથી નવું ડેથ વોરંટ જાહેર કરી શકાય છે.
ખરેખર, નિર્ભયાના માતા-પિતાએ આ અરજી દાખલ કરી છે, જેના આધારે કોર્ટે મંગળવારે આરોપીઓને નોટિસ ફટકારી હતી અને બુધવાર સુધી તેનો જવાબ માંગ્યો છે. તમને જણાવી દઈએ કે, નિર્ભયાના દોષીઓને કાયદાકીય વિકલ્પ લેવા માટે આપવામાં આવેલી 1 અઠવાડિયાની સમયમર્યાદા સમાપ્ત થયા પછી સુપ્રીમ કોર્ટે, નવું ડેથ વોરંટ જાહેર કરવા માટે ટ્રાયલ કોર્ટમાં અરજી કરવાની તિહાડ જેલ ઓથોરિટીને મંજૂરી આપી હતી. આ સાથે કોર્ટે કેન્દ્ર સરકારની અરજી પર ચારેય દોષીઓને નોટિસ પણ ફટકારી હતી.