નવી દિલ્હી : કોરોના વાઈરસને લઈને આજે પ્રધાન સમૂહની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્વાસ્થ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધન, રક્ષા કર્મચારીઓના પ્રમુખ જનરલ બિપિન રાવત, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને અન્ય પ્રધાનો સહિત બીજા ઘણાં નેતા આ બેઠકમાં હાજર હતા.
આ બેઠક દરમિયાન સ્વાસ્થ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધને જણાવ્યું હતું કે, સોશ્યિલ ડિસ્ટન્સીંગ અને ક્વૉરન્ટીન એ જ અસરકારક ઉપાય છે.