ETV Bharat / bharat

ઉત્તરાખંડ: કોરોના સંકટને કારણે 15 ઓગસ્ટ સુધી બંધ રહેશે ગંગોત્રી ધામ - ગંગોત્રી ધામ ભક્તો માટે બંધ

ઉત્તરાખંડમાં કોરોના સંક્રમિત કેસ દરરોજ વધી રહ્યા છે અને મૃત્યુનો ગ્રાફ પણ વધી રહ્યો છે. કોરોનાના વધતા જતા જોખમને ધ્યાનમાં રાખીને ગંગોત્રી ધામના પૂજારીઓએ સર્વાનુમતે 15 ઓગસ્ટ સુધી ગંગોત્રી ધામ બંધ રાખવાનો અને ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

ગંગોત્રી ધામ
ગંગોત્રી ધામ
author img

By

Published : Jul 28, 2020, 7:56 PM IST

ઉત્તરાકાશી: ગંગોત્રી ધામના પૂજારીઓ કહે છે કે, કોરોનાનો ચેપ પર્વતોમાં પણ ફેલાઈ રહ્યો છે. ઉત્તરાખંડ સરકારે અન્ય રાજ્યોના ભક્તો માટે ચાર ધામ યાત્રાની મંજૂરી આપીને કોરોનાના જોખમમાં વધારો કર્યો છે. મંગળવારે ગંગોત્રી ધામ મંદિર સમિતિ અને પુરોહિત સમાજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 29 જુલાઈથી ગંગોત્રીધામ બંધ કરવાની નોટિસ આપવામાં આવશે.

ગંગોત્રી ધામ મંદિર સમિતિના પ્રમુખ સુરેશ સેમવાલે જણાવ્યું કે, 29 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી ધામ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વાતની જાણકારી ડીએમને આપી દેવામાં આવી છે.

ઉત્તરાકાશી: ગંગોત્રી ધામના પૂજારીઓ કહે છે કે, કોરોનાનો ચેપ પર્વતોમાં પણ ફેલાઈ રહ્યો છે. ઉત્તરાખંડ સરકારે અન્ય રાજ્યોના ભક્તો માટે ચાર ધામ યાત્રાની મંજૂરી આપીને કોરોનાના જોખમમાં વધારો કર્યો છે. મંગળવારે ગંગોત્રી ધામ મંદિર સમિતિ અને પુરોહિત સમાજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 29 જુલાઈથી ગંગોત્રીધામ બંધ કરવાની નોટિસ આપવામાં આવશે.

ગંગોત્રી ધામ મંદિર સમિતિના પ્રમુખ સુરેશ સેમવાલે જણાવ્યું કે, 29 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી ધામ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વાતની જાણકારી ડીએમને આપી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.