રાયપુરઃ છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન અજિત જોગીની તબિયત અચાનક ખરાબ થઇ છે. જેથી જોગીને દેવેન્દ્ર નગરના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અજિત જોગીની સ્થિતિ ગંભીર છે. ડૉક્ટરોએ જણાવ્યું કે, જોગી પોતાના ઘરે ગંગા આંબલી ખાઈ રહ્યા હતા. આ દરમિયાન આંબલી તેમના ગળામાં ફસાઈ હતી. જેથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7137586_a.jpg)
પૂર્વ મુખ્યપ્રધાન અજિત જોગીની સ્થિતિમાં શનિવારે સાંજ સુધી કોઈ પ્રકારનો સુધારો થયો નહોતો. શનિવારે સાંજે જાહેર થયેલા મેડિકલ બુલેટિન મુજબ, ડૉક્ટરોએ જોગીના મગજમાં સોજો થયાનું જણાવ્યું હતું. આ સાથે જ જોગી માટે આવનારા 48થી 72 કલાક મહત્વના ગણાવ્યા છે.