ETV Bharat / bharat

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પરિવાર સાથે 14 દિવસ માટે ક્વૉરેન્ટીન - કોરોના વાઈરસ ન્યૂઝ

દેશ કોરોના વાઈરસનો સામનો કરી રહ્યો છે. તેના ખતરાને જોતાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પોતાના વતનથી બહાર દૂર રહેતાં લોકો મુશ્કેલ સ્થિતિમાં પોતાના શહેર જવા માગે છે. જાણીતા બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના પરિવાર સાથે મુંબઈથી મુજફ્ફરનગર પહોંચ્યો છે. તેઓ મુંબઇથી મુજફ્ફરનગર પહોંચતા પરિવારની સાથે ક્વૉરન્ટીન થઈ ગયા છે. જોકે, નવાજુદ્દીન સિદ્દીકી તરફથી કોઈ સ્ટેટમેન્ટ મળ્યું નથી.

Film actor Nawaz-ud-Din Siddiqui
નવાજુદ્દીન સિદ્દીકી પરિવાર સાથે 14 દિવસ કવોરન્ટીન
author img

By

Published : May 18, 2020, 11:31 AM IST

મુંબઈઃ ફિલ્મ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી લોકડાઉન દરમિયાન મુંબઈથી પોતાના વતન મુજફ્ફરનગર પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ તેઓ 11 મેના રોજ માતા, ભાઈ અને ભાભીની સાથે મુંબઈથી આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારની મંજૂરી પત્ર સાથે ખાનગી વાહનથી તેઓ વતન પરત ફર્યા અને રસ્તામાં અનેક સ્થળે રોકાઈને થર્મલ સ્કેનિંગ જેવી જરૂરી તકેદારી પણ રાખવામાં આવી છે. બીજી તરફ ઘરે પહોંચતા જ તેઓએ પોતાના આસપાસના લોકોની સુરક્ષા માટે તકેદારી રાખતાં પોતાને ક્વોરન્ટીન કરી દીધા છે.

નવાજુદ્દીન મુજફ્ફુરનગર પહોંચતા જ તમામને પ્રશાસને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન કર્યા છે. બીજી તરફ મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના સંક્રમણ ટેસ્ટ પરિવારના તમામ સભ્યોએ મુંબઈ જ કરાવ્યા હતા. તમામના રિપોર્ટ નેગેટિવ છે. રસ્તામાં કેટલાક સ્થળે સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ અને પોલીસને મેડિકલ રિપોર્ટ પણ બતાવવા પડ્યા હતા.

આ ઉપરાંત જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો સ્થાનિક પોલીસ તથા સ્વાસ્થ્ય વિભાગે પણ તમામની તપાસ બાદ તેમને હાલ 14 દિવસ માટે ક્વોરન્ટીનમાં કર્યા છે.

મુંબઈઃ ફિલ્મ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી લોકડાઉન દરમિયાન મુંબઈથી પોતાના વતન મુજફ્ફરનગર પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ તેઓ 11 મેના રોજ માતા, ભાઈ અને ભાભીની સાથે મુંબઈથી આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારની મંજૂરી પત્ર સાથે ખાનગી વાહનથી તેઓ વતન પરત ફર્યા અને રસ્તામાં અનેક સ્થળે રોકાઈને થર્મલ સ્કેનિંગ જેવી જરૂરી તકેદારી પણ રાખવામાં આવી છે. બીજી તરફ ઘરે પહોંચતા જ તેઓએ પોતાના આસપાસના લોકોની સુરક્ષા માટે તકેદારી રાખતાં પોતાને ક્વોરન્ટીન કરી દીધા છે.

નવાજુદ્દીન મુજફ્ફુરનગર પહોંચતા જ તમામને પ્રશાસને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન કર્યા છે. બીજી તરફ મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના સંક્રમણ ટેસ્ટ પરિવારના તમામ સભ્યોએ મુંબઈ જ કરાવ્યા હતા. તમામના રિપોર્ટ નેગેટિવ છે. રસ્તામાં કેટલાક સ્થળે સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ અને પોલીસને મેડિકલ રિપોર્ટ પણ બતાવવા પડ્યા હતા.

આ ઉપરાંત જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો સ્થાનિક પોલીસ તથા સ્વાસ્થ્ય વિભાગે પણ તમામની તપાસ બાદ તેમને હાલ 14 દિવસ માટે ક્વોરન્ટીનમાં કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.