નવી દિલ્હી: કોરોના વાયરસની અસર હવે રેલવે સેવાઓ પર જોવા મળી રહી છે. મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે અને દક્ષિણ રેલવે દ્વારા આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં કરવામાં આવ્યો છે. મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે અને દક્ષિણ રેલવે દ્વારા 17 માર્ચથી 31 માર્ચ સુધી 50 ટ્રેન રદ કરવામાં આવી છે. આ ટ્રેનમાં મુંબઈ-પુણે વચ્ચે દોડતી 11007 દખ્ખન એક્સપ્રેસ અને પુણે-મુબંઈ વચ્ચે ચાલનારી 11008 ડેક્કન એક્સપ્રેસ પણ સામેલ છે.
પશ્ચિમ રેલવીની વાત કરવામાં આવે તો મુંબઈ સેન્ટ્રલ-ઈન્દોર ટોરોન્ટો એક્સપ્રેસ ટ્રેન નંબર 12227, જામનગર હમસફર એક્સપ્રેસ ટ્રેન નંબર 22923, જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ ટ્રેન નંબર 22924, મુંબઈ સેન્ટ્રલ જયપુર ટ્રેન નંબર 12239 રદ કરવામાં આવી છે.
- મધ્ય રેલવે દ્વારા રદ કરવામાં આવેલી ટ્રેનCoronavirus : રેલવે દ્વારા 31 માર્ચ સુધી 33 ટ્રેન કેન્સલ કરાઇ
- પશ્ચિમ રેલવે દ્વારા રદ્દ કરવામાં આવેલી ટ્રેનCoronavirus : રેલવે દ્વારા 31 માર્ચ સુધી 33 ટ્રેન કેન્સલ કરાઇ
- દક્ષિણ રેલવે દ્વારા રદ કરવામાં આવેલી ટ્રેનદક્ષિણ રેલવે દ્વારા રદ કરવામાં આવેલી ટ્રેન
જીવલેણ કોરોના વાયરસની અસર હવે ભારતમાં જોવા મળી છે, મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વાયરસનાં પગલે 64 વર્ષનાં એક વૃધ્ધનું મોત થયું.
ત્યાં જ આ શખશની પત્ની પણ વાયરસથી ચેપગ્રસ્ત છે, મહારાષ્ટ્રમાં થયેલા આ મોત બાદ ભારતમાં કોરોના વાયરસથી મરનારાની સંખ્યા 3 થઇ ગઇ છે, જ્યારે તેનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા પણ 137 પહોંચી છે.