ETV Bharat / bharat

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2411 કેસ નોંધાયા, 71ના મોત, 10 હજારથી વધુ સ્વસ્થ

આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે સાંજે જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં કોવિડ-19થી અત્યાર સુધીમાં 1,223 લોકોનાં મોત થયાં છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 37,776 પર પહોંચી ગઈ છે.

author img

By

Published : May 2, 2020, 8:41 PM IST

COVID-19 death toll rises to 1,223, no. of cases climbs to 37,776 in India: Health ministry
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 2411 કેસ નોંધાયા, 71ના મોત, 10 હજારથી વધુ સ્વસ્થ

નવી દિલ્હી : શનિવારે સાંજે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોવિડ-19થી અત્યાર સુધીમાં 1,223 લોકોનાં મોત થયાં છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 37,776 પર પહોંચી ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કોવિડ-19ના 2,411 નવા કેસ નોંધાયા છે. 71 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, અત્યાર સુધીમાં કોવિડ-19થી 10,018 દર્દીઓ સ્વસ્થ થયા છે. રિકવરી રેટ 26.64 ટકા થયો છે. કોરોના સંક્રમણને રોકવા માટે અને પરિસ્થિતિને નિયંત્રણમાં કરવા લોકડાઉનને 17મે સુધી લંબાવાયુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગૃહપ્રધાન અમિત શાહ અને નાણાંપ્રધાન નિર્મલા સીતારામન સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આર્થિક મંત્રાલયના અધિકારીઓ પણ હાજર હતા. આ બેઠક લોકડાઉનથી પ્રભાવિત ઉદ્યોગોને રાહત પેકેજ આપવા અંગે થઈ હતી.

નવી દિલ્હી : શનિવારે સાંજે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોવિડ-19થી અત્યાર સુધીમાં 1,223 લોકોનાં મોત થયાં છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 37,776 પર પહોંચી ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કોવિડ-19ના 2,411 નવા કેસ નોંધાયા છે. 71 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, અત્યાર સુધીમાં કોવિડ-19થી 10,018 દર્દીઓ સ્વસ્થ થયા છે. રિકવરી રેટ 26.64 ટકા થયો છે. કોરોના સંક્રમણને રોકવા માટે અને પરિસ્થિતિને નિયંત્રણમાં કરવા લોકડાઉનને 17મે સુધી લંબાવાયુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગૃહપ્રધાન અમિત શાહ અને નાણાંપ્રધાન નિર્મલા સીતારામન સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આર્થિક મંત્રાલયના અધિકારીઓ પણ હાજર હતા. આ બેઠક લોકડાઉનથી પ્રભાવિત ઉદ્યોગોને રાહત પેકેજ આપવા અંગે થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.