પશ્ચિમ ચંપારણ (બિહાર): કોરોના વાઈરસ રોગચાળા વચ્ચે નેપાળમાં ચીનની વધતી અથડામણ ભારતના સુરક્ષા મથક માટે મોટી ચિંતા સાબિત થઈ રહી છે.
તાજેતરમાં ચીની ભાષામાં એક લેખિત નોંધ ઉત્તર પ્રદેશ નજીક ભારત-નેપાળ સરહદ પર નેપાળ સરકાર દ્વારા આયોજિત શિબિરમાં મળી આવી છે. જેનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, નેપાળ સરકાર દ્વારા કોરોના વાઈરસ રોગચાળા વચ્ચે સરહદી વિસ્તારોમાં સાત જેટલા શિબિરો લગાવવામાં આવ્યા છે.
આ માહિતી ભારતીય ગુપ્તચર વિભાગ સુધી પહોંચતા જ તેઓ કોઈ પણ અનિચ્છનીયતા ટાળવા માટે તાત્કાલિક પગલા લેવા માટે ભારતીય સેનાને સજ્જ કરવામાં આવી હતી.