અજમેરઃ કોરોના મહામારીના કારણે રેસ્ટોરન્ટના વ્યવસાયને ખૂબ ખરાબ અસર થઈ છે. ગ્રાહકો હજૂ પણ રેસ્ટોરન્ટમાં જઇને જમવાનું ટાળી રહ્યા છે. જેથી મોટાભાગની રેસ્ટોરન્ટ્સે હોમ ડિલિવરી શરૂ કરી છે. આ દરમિયાન ગલવાનમાં થયેલી ઘટના બાદ ચાઇનીઝ ભોજનના મળનારા ઓર્ડર પણ બંધ થઈ ગયા છે. આવી સ્થિતિમાં ઘણા રેસ્ટોરન્ટ સંચાલકોએ પોતાની રેસ્ટોરાંમાંથી ચાઈનીઝ સામાન અને અન્ય ઉત્પાદનોને પણ હટાવી લીધું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ માટે વોકલની અસર રેસ્ટોરન્સમાં જોવા મળી રહી છે. ગલવાનમાં થયેલી ઘટનાની પણ રેસ્ટોરન્ટના વ્યવસાય પર અસર જોવા મળી રહી છે. ઘણા રેસ્ટોરન્ટ સંચાલકોએ પોતાની રેસ્ટોરન્ટના શણગારમાં ચાઇનીઝ ઉત્પાદનોનો ઉપયોગ કર્યો હતો. અજમેરના ઈન્ડિયા મોટર ચોક સ્થિત રેસ્ટોરન્ટના માલિક કવલ પ્રકાશ કિશનનીએ તેની રેસ્ટોરન્ટનો દેખાવ ચીનની સુપર ફાસ્ટ ટ્રેન 'મેગલેવ' જેવો રાખ્યો હતો, પરંતુ ભારત-ચીનમાં બગડતા સંબંધોને કારણે તેણે રેસ્ટોરન્ટને ભારતીય ટ્રેન 'પેલેસ ઓન વ્હીલ' જેવી બનાવી દીધી છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rj-ajm-priyank-chinnesfood-01-specialstory-7201708_03072020194859_0307f_03351_107.jpg)
લોકડાઉન અગાઉ ચીની ભોજનની ડિમાન્ડ રેસ્ટોરન્ટમાં હતી, પરંતુ કોરોનાને કારણે રેસ્ટોરન્ટ વ્યવસાય હવે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે. જેથી આર્થિક પરિસ્થિતિમાંથી નીકળવા માટે ઘણા રેસ્ટોરન્ટ સંચાલકોએ હોમ ડિલિવરી શરૂ કરી દીધી છે.
ઘણા રેસ્ટોરન્ટે ચીની સામાનનો કર્યો બહિષ્કાર
ગ્રાહકોની બેસવાની વ્યવસ્થામાં પણ પરિવર્તન કરવામાં આવ્યું છે. ગલવાનની ઘટના બાદ કિશનાનીએ પોતાના રેસ્ટોરન્ટમાં બચેલા ચીની ઉત્પાદનને હટાવી અને સ્વદેશી સામાન ખરીદવા અને વેચવાનું મન બનાવી લીધું છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rj-ajm-priyank-chinnesfood-01-specialstory-7201708_03072020194859_0307f_03351_943.jpg)
રેસ્ટોરન્ટના માલિક કંવલ પ્રકાશ કિશનાની જણાવે છે કે, રેસ્ટોરન્ટમાં ચાઈનીઝ ભોજન માટે ચીનની કોઈ ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ તેને ભારતીય ખાદ્ય સામગ્રી દ્વારા તૈયાર કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના લોકલ માટે વોકલના નારાને સમર્થન આપીને તેમણે રેસ્ટોરન્ટમાં માત્ર ભારતમાં નિર્મિત વસ્તુઓ અને ખાદ્ય સામગ્રીઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.