ETV Bharat / bharat

CAAનો વિરોધ કરનારાની સરકાર કરી રહી છે ઉપેક્ષા: સલમાન ખુર્શીદ

કોંગ્રેસના સિનિયર નેતા સલમાન ખુર્શીદ કહે છે કે ભાજપની સરકાર બેજવાબદાર બનીને વર્તી રહી છે. લોકોમાં અસંતોષ ઊભો થયો છે. લોકોમાં જાગેલી ચિંતા દૂર કરવાનું કામ જવાબદાર સરકારનું હોય છે અને સરકારે જાણવું જોઈએ કે ચિંતામાં કેટલી વજૂદ છે એમ ખુરશીદે સંવાદદાતા અમિત અગ્નિહોત્રી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. નાગરિકતા કાયદામાં સુધારાના મુદ્દે જાગેલા વિવાદે હિંસક સ્વરૂપ લીધું અને દિલ્હીમાં વ્યાપક તોફાનો થયા તે પછી ખુરશીદે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે સરકારને વિરોધ કરનારાની કશી પડી નથી. આ કાયદાના સૂચિતાર્થો અને કોંગ્રેસની નીતિ તથા ગાંધીમાર્ગે થઈ રહેલા CAAના વિરોધ વિશે તેમણે ચર્ચા કરી તે મુલાકાતના અંશો...

author img

By

Published : Feb 27, 2020, 11:13 PM IST

CAA opposition government is doing neglect: Salman Khurshi
CAA opposition government is doing neglect: Salman Khurshi

Q: દિલ્હીમાં CAA અને NRCના મુદ્દે થયેલા તોફાનો વિશે તમે શું કહેશો?

A: બહુ દુખની વાત છે. અમે ધારાશાસ્ત્રીઓ માનીએ છીએ કે સરકારે લીધેલો નિર્ણય ટકી શકે તેવો નથી. તેની પાછળ કોઈ વાજબી કારણ નથી. જોકે અદાલત તેનો નિર્ણય કરશે અને બાબત અદાલત સમક્ષ છે. અદાલતે તાકિદે બાબત હાથમાં લીધી હોત તો આટલી અશાંતિ ના થઈ હોત. સરકાર બેજવાબદાર બનીને વર્તી રહી છે. લોકોમાં વિરોધ છે. જવાબદાર સરકારે લોકોની ચિંતા પાછળ ખરેખર વાજબી કારણો છે કે કેમ તે જાણવા વાતચીત કરવી જોઈએ. આ સરકાર બધા પર બુલડોઝર ફેરવી રહે છે. બહુમતી સાથે સંસદમાં તેમ કર્યું અને દેશને એ તરફ ધકેલી રહી છે કે જ્યાં વાજબીપણા સામે શંકા હોય. દુખ થાય છે કે સરકાર આંખ આડા કાન કરી રહી છે.

Q: એવી પણ ફરિયાદ છે કે CAAના વિરોધીઓ રસ્તાઓ રોકી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ આ બાબત ધ્યાને લીધી છે...

A: મહત્ત્વા રસ્તા પર ધરણા કરવામાં આવે ત્યારે તકલીફ થવાની વાત હોય શકે, પણ છેલ્લા થોડા દિવસોમાં આપણે જોયું છે કે પોતે સરકારને સમર્થન આપે છે તેવું દેખાડવા માટે લોકોએ જે કર્યું તેનાથી ઉગ્રતા વ્યાપી ગઈ છે. સરકારને ટેકો આપી શકાય છે, પણ તે માટે હથિયારો કાઢીને નીકળી પડવું અને હિંસા ફેલાવવી અને તોડફોડ કરવી તેને સ્વીકારી શકાય નહિ.

Q: આ તોફાનો પ્રેરિત છે?

A: કદાચ. CAA સામેનો વિરોધ સ્વંયભૂ જાગ્યો છે. તેમાં કોઈ નેતા નથી, કોઈ રાજકીય પક્ષની હાજરી નથી. પાયાના સ્તરે આવો વિરોધ મેં ક્યારેય જોયો નથી. હું તેને કૌટુંબિક વિરોધ કહું છું. વિદ્યાર્થીઓ ત્યાં આવે છે અને ત્યાં વર્ગો પણ ચાલે છે. મેં ક્યારેય આવું જોયું નથી. દિલ્હીની બહાર પણ મેં લોકો સાથે વાતચીત કરી છે અને ત્યાં પણ આવી લાગણીના પડઘા જોયા છે.

Q: કોંગ્રેસે CAAનો વિરોધ કર્યો છે અને કેટલાક રાજ્યોમાં તેના વિરોધમાં ઠરાવ થયા છે. આ બાબતમાં કાનૂની સ્થિતિ શું છે?

A: આમાં બે બાબતો છે: એક કાનૂની બાબત છે, જે અદાલત નક્કી કરશે. બીજી બાબત છે એવી વાત કરવી જેનાથી આંદોલનને અસર થાય. આવી વાતો જાહેરમાં ના કરવી જોઈએ. પણ આ આંદોલનમાં નાગરિક અસહકારની વાત છે, ગાંધીજીનો સત્યાગ્રહ છે અને માર્ટિન લ્યૂથર કિંગ, નેલ્સન મંડેલા અને ખાન અબ્દુલ ગફાર ખાનની રીતે વિરોધ થઈ રહ્યો છે. નાગરિક અસહકાર એટલે નાગરિક સત્તાની સામે પડે તે. જોકે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે ચૂંટાયેલી સરકાર કેન્દ્રનો વિરોધ કરે ત્યારે શું તેના વિશે બહુ લખાયું નથી. આપણી સંઘ વ્યવસ્થા છે તેથી રાજ્યોનો વિરોધ નાગરિક અસહકાર છે, જે વાજબી ગણી શકાય અને તેનું અગત્યનું નૈતિક પાસું છે. આશા રાખીએ સુપ્રીમ કોર્ટ આના વિશે નિર્ણયો કરશે.

Q: કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે CAA સામે કેવી રીતે લડત આપશે?

A: કોંગ્રેસે સમજદારી સાથે CAA સામે વલણ લીધું છે અને પ્રદર્શનકારીઓ સામે પોલીસે કરેલા અત્યાચારનો વિરોધ કર્યો છે. અમારા નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ માનવાધિકાર પંચમાં પોલીસ અત્યાચાર સામે ફરિયાદ કરી છે. અમે તમામ રીતે લોકોને મદદરૂપ થઈશું. રાજ્ય એકમોને અમે જણાવ્યું છે કે આ કાયદા સામે વિરોધ કરવો.

Q: તમને લાગે છે કે CAA અને સૂચિત NRC ભાજપનો લઘુમતીને ટાર્ગેટ કરવાનો છુપો એજન્ડા છે?

A: મન લાગે છે કે અત્યારે બધા જ સમુદાયના લોકો CAA સામે વિરોધ કરી રહ્યા છે. દલિત ચળવળના લોકો આવી રહ્યા છે, શીખો આગળ આવી રહ્યા અને હિન્દુ મધ્યમ વર્ગમાંથી પણ તેની સામે વિરોધ જાગી રહ્યો છે. તેમના કારણે CAA સામે સર્વવ્યાપી વિરોધ ઊભો થયો છે અને તે જ આપણે જાળવી રાખવો જોઈએ. માત્ર મુસ્લિમો જ વિરોધ કરી રહ્યા છે એવું કહેવા સરકાર રાજી છે. હું માનું છું કે બંધારણની મૂળભૂત ભાવના છે કે લોકો વિરોધ કરી રહ્યા છે. પોતાને જેનો ભય છે તેનો વિરોધ નથી કરી રહ્યા, પણ દેશ માટેની પોતાની લાગણીને કારણે વિરોધ કરી રહ્યા છે.

Q: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ગૃહ પ્રધાન અમિત શાહે શાહીનબાગનો મુદ્દો ઉઠાવ્યો હતો, પણ ચાલ્યો નહિ. તેના વિશે તમે શું કહેશો?

A: અમે મોદી કે અમિત શાહની ચાલમાં આવી જવા માગતા નથી. અમે આવી ટીપ્પણીની અવગણના કરીએ છીએ. આ બંધારણ માટેની ચળવળ છે.

Q: કોંગ્રેસમાં નેતાગીરીના મુદ્દે અવઢવ છે ત્યારે આ પડકારને ઉઠાવી શકશે?

A: હા, એ વાત સાચી કે સતત બે ચૂંટણીમાં અમે સત્તાની બહાર રહ્યા તે ચિંતાનું કારણ છે. પણ અમે ફરી બેઠા થઈશું એવો મને વિશ્વાસ છે. દેશની સ્થિતિ એવી છે કે લાંબો સમય કોંગ્રેસ કોરાણે રહી શકે નહિ. અમે બહુ ઝડપથી પરત આવીશું. નેતાગીરીની વાત છે ત્યાં સુધી સોનિયા ગાંધી અમારા પક્ષપ્રમુખ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અને ઘણા બધા નેતાઓ છે. આ અમારી આંતરિક બાબત છે અને અમારા પર જ છોડી દેવી જોઈએ.

Q: દિલ્હીમાં CAA અને NRCના મુદ્દે થયેલા તોફાનો વિશે તમે શું કહેશો?

A: બહુ દુખની વાત છે. અમે ધારાશાસ્ત્રીઓ માનીએ છીએ કે સરકારે લીધેલો નિર્ણય ટકી શકે તેવો નથી. તેની પાછળ કોઈ વાજબી કારણ નથી. જોકે અદાલત તેનો નિર્ણય કરશે અને બાબત અદાલત સમક્ષ છે. અદાલતે તાકિદે બાબત હાથમાં લીધી હોત તો આટલી અશાંતિ ના થઈ હોત. સરકાર બેજવાબદાર બનીને વર્તી રહી છે. લોકોમાં વિરોધ છે. જવાબદાર સરકારે લોકોની ચિંતા પાછળ ખરેખર વાજબી કારણો છે કે કેમ તે જાણવા વાતચીત કરવી જોઈએ. આ સરકાર બધા પર બુલડોઝર ફેરવી રહે છે. બહુમતી સાથે સંસદમાં તેમ કર્યું અને દેશને એ તરફ ધકેલી રહી છે કે જ્યાં વાજબીપણા સામે શંકા હોય. દુખ થાય છે કે સરકાર આંખ આડા કાન કરી રહી છે.

Q: એવી પણ ફરિયાદ છે કે CAAના વિરોધીઓ રસ્તાઓ રોકી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ આ બાબત ધ્યાને લીધી છે...

A: મહત્ત્વા રસ્તા પર ધરણા કરવામાં આવે ત્યારે તકલીફ થવાની વાત હોય શકે, પણ છેલ્લા થોડા દિવસોમાં આપણે જોયું છે કે પોતે સરકારને સમર્થન આપે છે તેવું દેખાડવા માટે લોકોએ જે કર્યું તેનાથી ઉગ્રતા વ્યાપી ગઈ છે. સરકારને ટેકો આપી શકાય છે, પણ તે માટે હથિયારો કાઢીને નીકળી પડવું અને હિંસા ફેલાવવી અને તોડફોડ કરવી તેને સ્વીકારી શકાય નહિ.

Q: આ તોફાનો પ્રેરિત છે?

A: કદાચ. CAA સામેનો વિરોધ સ્વંયભૂ જાગ્યો છે. તેમાં કોઈ નેતા નથી, કોઈ રાજકીય પક્ષની હાજરી નથી. પાયાના સ્તરે આવો વિરોધ મેં ક્યારેય જોયો નથી. હું તેને કૌટુંબિક વિરોધ કહું છું. વિદ્યાર્થીઓ ત્યાં આવે છે અને ત્યાં વર્ગો પણ ચાલે છે. મેં ક્યારેય આવું જોયું નથી. દિલ્હીની બહાર પણ મેં લોકો સાથે વાતચીત કરી છે અને ત્યાં પણ આવી લાગણીના પડઘા જોયા છે.

Q: કોંગ્રેસે CAAનો વિરોધ કર્યો છે અને કેટલાક રાજ્યોમાં તેના વિરોધમાં ઠરાવ થયા છે. આ બાબતમાં કાનૂની સ્થિતિ શું છે?

A: આમાં બે બાબતો છે: એક કાનૂની બાબત છે, જે અદાલત નક્કી કરશે. બીજી બાબત છે એવી વાત કરવી જેનાથી આંદોલનને અસર થાય. આવી વાતો જાહેરમાં ના કરવી જોઈએ. પણ આ આંદોલનમાં નાગરિક અસહકારની વાત છે, ગાંધીજીનો સત્યાગ્રહ છે અને માર્ટિન લ્યૂથર કિંગ, નેલ્સન મંડેલા અને ખાન અબ્દુલ ગફાર ખાનની રીતે વિરોધ થઈ રહ્યો છે. નાગરિક અસહકાર એટલે નાગરિક સત્તાની સામે પડે તે. જોકે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે ચૂંટાયેલી સરકાર કેન્દ્રનો વિરોધ કરે ત્યારે શું તેના વિશે બહુ લખાયું નથી. આપણી સંઘ વ્યવસ્થા છે તેથી રાજ્યોનો વિરોધ નાગરિક અસહકાર છે, જે વાજબી ગણી શકાય અને તેનું અગત્યનું નૈતિક પાસું છે. આશા રાખીએ સુપ્રીમ કોર્ટ આના વિશે નિર્ણયો કરશે.

Q: કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે CAA સામે કેવી રીતે લડત આપશે?

A: કોંગ્રેસે સમજદારી સાથે CAA સામે વલણ લીધું છે અને પ્રદર્શનકારીઓ સામે પોલીસે કરેલા અત્યાચારનો વિરોધ કર્યો છે. અમારા નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ માનવાધિકાર પંચમાં પોલીસ અત્યાચાર સામે ફરિયાદ કરી છે. અમે તમામ રીતે લોકોને મદદરૂપ થઈશું. રાજ્ય એકમોને અમે જણાવ્યું છે કે આ કાયદા સામે વિરોધ કરવો.

Q: તમને લાગે છે કે CAA અને સૂચિત NRC ભાજપનો લઘુમતીને ટાર્ગેટ કરવાનો છુપો એજન્ડા છે?

A: મન લાગે છે કે અત્યારે બધા જ સમુદાયના લોકો CAA સામે વિરોધ કરી રહ્યા છે. દલિત ચળવળના લોકો આવી રહ્યા છે, શીખો આગળ આવી રહ્યા અને હિન્દુ મધ્યમ વર્ગમાંથી પણ તેની સામે વિરોધ જાગી રહ્યો છે. તેમના કારણે CAA સામે સર્વવ્યાપી વિરોધ ઊભો થયો છે અને તે જ આપણે જાળવી રાખવો જોઈએ. માત્ર મુસ્લિમો જ વિરોધ કરી રહ્યા છે એવું કહેવા સરકાર રાજી છે. હું માનું છું કે બંધારણની મૂળભૂત ભાવના છે કે લોકો વિરોધ કરી રહ્યા છે. પોતાને જેનો ભય છે તેનો વિરોધ નથી કરી રહ્યા, પણ દેશ માટેની પોતાની લાગણીને કારણે વિરોધ કરી રહ્યા છે.

Q: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ગૃહ પ્રધાન અમિત શાહે શાહીનબાગનો મુદ્દો ઉઠાવ્યો હતો, પણ ચાલ્યો નહિ. તેના વિશે તમે શું કહેશો?

A: અમે મોદી કે અમિત શાહની ચાલમાં આવી જવા માગતા નથી. અમે આવી ટીપ્પણીની અવગણના કરીએ છીએ. આ બંધારણ માટેની ચળવળ છે.

Q: કોંગ્રેસમાં નેતાગીરીના મુદ્દે અવઢવ છે ત્યારે આ પડકારને ઉઠાવી શકશે?

A: હા, એ વાત સાચી કે સતત બે ચૂંટણીમાં અમે સત્તાની બહાર રહ્યા તે ચિંતાનું કારણ છે. પણ અમે ફરી બેઠા થઈશું એવો મને વિશ્વાસ છે. દેશની સ્થિતિ એવી છે કે લાંબો સમય કોંગ્રેસ કોરાણે રહી શકે નહિ. અમે બહુ ઝડપથી પરત આવીશું. નેતાગીરીની વાત છે ત્યાં સુધી સોનિયા ગાંધી અમારા પક્ષપ્રમુખ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અને ઘણા બધા નેતાઓ છે. આ અમારી આંતરિક બાબત છે અને અમારા પર જ છોડી દેવી જોઈએ.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.