નવી દિલ્હી: પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે શનિવારે કહ્યું હતું કે, ભારતે શક્ય તેટલું આત્મનિર્ભર હોવું જોઈએ, પરંતુ ભારતને બાકીના વિશ્વથી અલગ કરી શકાય નહીં.
પી ચિદમ્બરમે કહ્યું, "આપણે શક્ય તેટલું આત્મનિર્ભર બનવું જોઈએ, પરંતુ ભારતે ચીની ચીજોનો બહિષ્કાર નહીં કરીને વૈશ્વિક સપ્લાય ચેઇનનો ભાગ બનવું જોઈએ. ભારત સાથે ચીનનો વેપાર કેટલો છે? તે એક અંશ છે."
તેમણે કહ્યું કે, "તેથી, ચીની ચીજોનો બહિષ્કાર કરવાથી ચીનના અર્થતંત્રને નુકસાન થશે નહીં. ભારતના સંરક્ષણ જેવા ખૂબ જ ગંભીર મામલાઓની ચર્ચા કરતી વખતે આપણે બહિષ્કાર જેવા મુદ્દાઓ લાવવા જોઈએ નહીં."
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરી હતી કે, લદ્દાખમાં કોઈ બહારનો વ્યક્તિ ભારતીય ક્ષેત્રની અંદર ન હતો, પરંતુ કહ્યું હતું કે તેનાથી વ્યવહારીક રુપથી દરેકને "આશ્ચર્ય અને આઘાતજનક" કરી દીધું.
તેમણે પૂછ્યું, "સરકારના આ દાવાનો શું જવાબ છે? હવે જ્યારે ચીન સમગ્ર ગલવાન ખીણનો દાવો કરે છે, તો શું ભારત સરકાર આ દાવાને નકારી કાઢશે?"
તેમણે કહ્યું કે, જો ભારત સરકાર આજે ચીનના દાવાને નકારશે નહીં કરે તો તેના "ભયંકર પરિણામો" આવી શકે છે.