ETV Bharat / bharat

આસામ અને બિહારમાં પૂરથી તબાહી, 1.22 લાખ હેક્ટર પાકને નુકસાન

author img

By

Published : Jul 28, 2020, 3:35 PM IST

આસામ અને બિહારમાં પૂરની પરિસ્થિતિ ગંભીર છે. ઘણા જિલ્લામાં પૂરને કારણે મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ વરસાદને કારણે નુકસાન થયું છે અને જનજીવનને અસર પડી છે.

assam-floods-death-toll-rises-to-129-as-one-more-die
આસામ અને બિહારમાં પૂરથી તબાહી, 1.22 લાખ હેક્ટર પાકને નુકસાન

નવી દિલ્હીઃ આસામ અને બિહારમાં પૂરનો કહેર ચાલુ છે. આસામમાં વરસાદને કારણે બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ જોખમી સ્તરથી ઉપર વહી રહી છે. મૃત્યુઆંક 103 પર પહોંચી ગયો છે. રાજ્યના 30 જિલ્લાઓમાં 24.76 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત છે અને પાકનો નાશ થયો છે.

નદીઓમાં વધતા જળસ્તરથી કુલ 2,543 ગામોને અસર થઈ છે. આને કારણે અત્યાર સુધીમાં 1.22 લાખ હેક્ટર પાકને નુકસાન થયું છે. વરસાદમાં કાઝીરંગા નેશનલ પાર્ક 80 ટકા પૂરમાં ડૂબી ગયો છે, જેમાં 108 પ્રાણીઓના મોત થયાં છે.

બિહારના મોતીહારી જિલ્લામાં આવેલા વિનાશક પૂરને કારણે હજારો લોકો બેઘર થઈ ગયા છે. તેઓ બધા એનએચ -28 પર આશ્રય લીધો છે. લોકો એન.એચ. પર તંબુ બાંધીને જીવન જીવી રહ્યાં છે. આ લોકોને મદદ કરવા માટે, જિલ્લા વહીવટીતંત્રે સમુદાય રસોડું શરૂ કર્યું છે, પરંતુ સમયસર ખોરાક મળતો નથી.

પૂર પીડિતે જણાવ્યું કે, તેમના ગામમાં દર વર્ષે પૂર આવે છે. તેઓ ગામ છોડીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આશરો લે છે. દર વર્ષે મકાનમાં રાખેલું અનાજ પૂરમાં બરબાદ થાય છે. ઉત્તર બિહારમાં બગમતી, કોસી, કમલા, કમલા બાલન અને અધ્વર જૂથોની નદીઓમાં પૂરને કારણે ભારે વિનાશ સર્જાયો છે. એક તરફ કોરોના છે અને બીજી બાજુ દરભંગા જિલ્લામાં પૂર આવે છે. સંપૂર્ણ તૈયારીના અભાવનો ભોગ સામાન્ય લોકોએ સહન કરવો પડે છે. પરંતુ આવી સ્થિતિમાં એસડીઆરએફની ટીમ આ પૂર પીડિતોને મદદ કરવા દેવદૂતની જેમ આગળ આવી છે.

એસડીઆરએફના કોન્સ્ટેબલ રાજીવ રંજને જણાવ્યું હતું કે, તેઓ ગામડાઓમાં ફસાયેલા લોકોને સલામત સ્થળોએ લઈ જાય છે. વળી, જો ગ્રામજનોને રાશન અને દવા સહિતની અન્ય કોઈ અગત્યની ચીજવસ્તુઓ લાવવી હોય તો તે સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. તેમણે કહ્યું કે ખૂબ જ કાળજીપૂર્વક ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

નવી દિલ્હીઃ આસામ અને બિહારમાં પૂરનો કહેર ચાલુ છે. આસામમાં વરસાદને કારણે બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ જોખમી સ્તરથી ઉપર વહી રહી છે. મૃત્યુઆંક 103 પર પહોંચી ગયો છે. રાજ્યના 30 જિલ્લાઓમાં 24.76 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત છે અને પાકનો નાશ થયો છે.

નદીઓમાં વધતા જળસ્તરથી કુલ 2,543 ગામોને અસર થઈ છે. આને કારણે અત્યાર સુધીમાં 1.22 લાખ હેક્ટર પાકને નુકસાન થયું છે. વરસાદમાં કાઝીરંગા નેશનલ પાર્ક 80 ટકા પૂરમાં ડૂબી ગયો છે, જેમાં 108 પ્રાણીઓના મોત થયાં છે.

બિહારના મોતીહારી જિલ્લામાં આવેલા વિનાશક પૂરને કારણે હજારો લોકો બેઘર થઈ ગયા છે. તેઓ બધા એનએચ -28 પર આશ્રય લીધો છે. લોકો એન.એચ. પર તંબુ બાંધીને જીવન જીવી રહ્યાં છે. આ લોકોને મદદ કરવા માટે, જિલ્લા વહીવટીતંત્રે સમુદાય રસોડું શરૂ કર્યું છે, પરંતુ સમયસર ખોરાક મળતો નથી.

પૂર પીડિતે જણાવ્યું કે, તેમના ગામમાં દર વર્ષે પૂર આવે છે. તેઓ ગામ છોડીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આશરો લે છે. દર વર્ષે મકાનમાં રાખેલું અનાજ પૂરમાં બરબાદ થાય છે. ઉત્તર બિહારમાં બગમતી, કોસી, કમલા, કમલા બાલન અને અધ્વર જૂથોની નદીઓમાં પૂરને કારણે ભારે વિનાશ સર્જાયો છે. એક તરફ કોરોના છે અને બીજી બાજુ દરભંગા જિલ્લામાં પૂર આવે છે. સંપૂર્ણ તૈયારીના અભાવનો ભોગ સામાન્ય લોકોએ સહન કરવો પડે છે. પરંતુ આવી સ્થિતિમાં એસડીઆરએફની ટીમ આ પૂર પીડિતોને મદદ કરવા દેવદૂતની જેમ આગળ આવી છે.

એસડીઆરએફના કોન્સ્ટેબલ રાજીવ રંજને જણાવ્યું હતું કે, તેઓ ગામડાઓમાં ફસાયેલા લોકોને સલામત સ્થળોએ લઈ જાય છે. વળી, જો ગ્રામજનોને રાશન અને દવા સહિતની અન્ય કોઈ અગત્યની ચીજવસ્તુઓ લાવવી હોય તો તે સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. તેમણે કહ્યું કે ખૂબ જ કાળજીપૂર્વક ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.