નવી દિલ્હી : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, લોકલ ટ્રાંસમીશનના 40 કેસ છે. જ્યારે બીજા દર્દીઓ વિદેશથી પરત આવ્યા હતા અથવા તેઓ મરકજના દર્દી છે.કોરોના વાઈરસને લીધે દિલ્હીમાં 6 લોકોના મોત થયાં છે. 5 લોકો 60 વર્ષથી વધારે ઉંમરના હતા અને એકને ગંભીર બિમારી હતી. મરકજમાંથી 2300 લોકોને બહાર નિકાળવામાં આવ્યાં છે અને 2-3 દિવસમાં બધાનો ટેસ્ટ થશે.
વધુમાં કેજરીવાલે કહ્યું કે, ડૉક્ટર અને નર્સ માટે PPEની અછત છે. કેન્દ્ર સરકારે આ અછતની પૂરતી કરવી પડશે.