ETV Bharat / bharat

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાનનું કરશે ઉદ્ઘાટન

author img

By

Published : Jun 7, 2022, 11:20 AM IST

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ નવી દિલ્હીમાં NTRIનું (Amit Shah Will Inaugurate NTRI) ઉદ્ઘાટન કરશે. NTRI આદિજાતિ સંશોધન સંસ્થાઓ (TRIs), સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (CoEs) અને સંશોધન વિદ્વાનોના પ્રોજેક્ટની દેખરેખ કરશે અને સંશોધન અને તાલીમની ગુણવત્તા સુધારવા માટે બેન્ચમાર્ક સેટ કરશે.

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાનનું કરશે ઉદ્ઘાટન
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાનનું કરશે ઉદ્ઘાટન

નવી દિલ્હી: ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah Will Inaugurate NTRI) આજે રાષ્ટ્રીય રાજધાનીમાં રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાનું (National Tribal Research Institute) ઉદ્ઘાટન કરશે, જે આદિવાસીઓની જીવનશૈલીના સામાજિક-આર્થિક પાસાઓને સુધારવા માટેના કાર્યક્રમોનો અભ્યાસ કરશે અને તૈયાર કરશે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, NTIR રાષ્ટ્રીય સ્તરની અગ્રણી સંસ્થા હશે અને શૈક્ષણિક, કારોબારી અને કાયદાકીય ક્ષેત્રોમાં આદિવાસીઓની ચિંતાઓ, મુદ્દાઓ અને બાબતોનું મુખ્ય કેન્દ્ર બનશે.

આ પણ વાંચો: Musewala Murder Case : રાહુલ ગાંધી આજે મુસેવાલાના પરિવારને મળશે

તાલીમની ગુણવત્તા સુધારવા માટે બેન્ચમાર્ક સેટ કરશે : સંસ્થા પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંસાધન કેન્દ્રો સાથે સહયોગ કરશે, નિવેદનમાં જણાવાયું છે. NTRI આદિજાતિ સંશોધન સંસ્થાઓ (TRIs), સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (CoEs) અને સંશોધન વિદ્વાનોના પ્રોજેક્ટની દેખરેખ કરશે અને સંશોધન અને તાલીમની ગુણવત્તા સુધારવા માટે બેન્ચમાર્ક સેટ કરશે.

આ પણ વાંચો: Money Laundering Case : EDની ટીમ મોડી સાંજ સુધી સત્યેન્દ્ર જૈનના ઘરે ચેક કરતી રહી પેપર્સ

સંચાલન માટે માર્ગદર્શિકા પ્રદાન કરશે : સંસ્થા આદિજાતિ બાબતોના મંત્રાલય અને રાજ્ય કલ્યાણ વિભાગોને નીતિ સહાય પૂરી પાડશે, આદિવાસી જીવનશૈલીના સામાજિક-આર્થિક પાસાઓને સુધારવા અથવા મદદ કરવા માટે અભ્યાસ અને કાર્યક્રમો તૈયાર કરશે અને આદિજાતિ સંગ્રહાલયોની સ્થાપના અને સંચાલન માટે માર્ગદર્શિકા પ્રદાન કરશે.

નવી દિલ્હી: ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah Will Inaugurate NTRI) આજે રાષ્ટ્રીય રાજધાનીમાં રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાનું (National Tribal Research Institute) ઉદ્ઘાટન કરશે, જે આદિવાસીઓની જીવનશૈલીના સામાજિક-આર્થિક પાસાઓને સુધારવા માટેના કાર્યક્રમોનો અભ્યાસ કરશે અને તૈયાર કરશે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, NTIR રાષ્ટ્રીય સ્તરની અગ્રણી સંસ્થા હશે અને શૈક્ષણિક, કારોબારી અને કાયદાકીય ક્ષેત્રોમાં આદિવાસીઓની ચિંતાઓ, મુદ્દાઓ અને બાબતોનું મુખ્ય કેન્દ્ર બનશે.

આ પણ વાંચો: Musewala Murder Case : રાહુલ ગાંધી આજે મુસેવાલાના પરિવારને મળશે

તાલીમની ગુણવત્તા સુધારવા માટે બેન્ચમાર્ક સેટ કરશે : સંસ્થા પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંસાધન કેન્દ્રો સાથે સહયોગ કરશે, નિવેદનમાં જણાવાયું છે. NTRI આદિજાતિ સંશોધન સંસ્થાઓ (TRIs), સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (CoEs) અને સંશોધન વિદ્વાનોના પ્રોજેક્ટની દેખરેખ કરશે અને સંશોધન અને તાલીમની ગુણવત્તા સુધારવા માટે બેન્ચમાર્ક સેટ કરશે.

આ પણ વાંચો: Money Laundering Case : EDની ટીમ મોડી સાંજ સુધી સત્યેન્દ્ર જૈનના ઘરે ચેક કરતી રહી પેપર્સ

સંચાલન માટે માર્ગદર્શિકા પ્રદાન કરશે : સંસ્થા આદિજાતિ બાબતોના મંત્રાલય અને રાજ્ય કલ્યાણ વિભાગોને નીતિ સહાય પૂરી પાડશે, આદિવાસી જીવનશૈલીના સામાજિક-આર્થિક પાસાઓને સુધારવા અથવા મદદ કરવા માટે અભ્યાસ અને કાર્યક્રમો તૈયાર કરશે અને આદિજાતિ સંગ્રહાલયોની સ્થાપના અને સંચાલન માટે માર્ગદર્શિકા પ્રદાન કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.