આંધ્રપ્રદેશ: આંબેડકર કોનાસીમા જિલ્લો મલ્કીપુરમ મંડળ દીંડી ગામના સરપંચ મુદુનુરી શ્રીનિવાસરાજે વિનાયક ચવિતિ (ગણેશ ચતુર્થી) (Ganesh chaturthi 2022) સમારોહનું નવતર આયોજન કર્યું હતું. તેમના એક્વા તળાવની (lord ganesha puja in aqua pond) મધ્યમાં વિનાયક મંડપની સ્થાપના કરવામાં આવી હતી અને તળાવમાં જ પૂજા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સિસોદિયા પર દરોડા પછી ગુજરાતમાં AAPનો વોટ શેર 4 ટકા વધ્યો: કેજરીવાલ
તમે મને સરપંચ કેમ બનાવ્યો? (sarpanch puja for Lord Ganesha) તેણે ભગવાનની પ્રતિમા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી. તેમને એ વાતનું દુઃખ છે કે, તેઓ લોકોને આપેલા ચૂંટણી વચનને પૂરા કરી શક્યા નથી. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે, દોઢ વર્ષ વીતી જવા છતાં તેઓ નવા રસ્તાઓ બનાવી શક્યા નથી અને હાલના રસ્તાઓનું સમારકામ કરી શકતા નથી તેવી પરિસ્થિતિમાં છે.
આ પણ વાંચો: બ્રેવો, ફ્લેક્ષીબલ સૂર્યકુમાર ગમે ત્યાં બેટિંગ કરવા તૈયાર
તેમણે ગણેશને ફરિયાદ કરી કે, ગામમાં અમારી ફરજો શું છે તે અમને સમજાતું નથી અને તે સરપંચ તરીકે જીત્યા હતા. તેમણે ગણેશ સામે લાચારી વ્યક્ત કરી કે, વોર્ડ સભ્યોને શું કરવું તે ખબર નથી. ડીંડીના સરપંચ શ્રીનિવાસરાજુએ સ્વામી વિનાયકને વિનંતી કરી કે સીએમ જગનમોહન રેડ્ડીને સારું મન આપો.