ETV Bharat / bharat

કર્ણાટકની VIMS હોસ્પિટલમાં પાવર કટના કારણે ચાર દર્દીઓના કથિત રીતે મોત - 3 Patients Die In ICU Allegedly Due To Power Cut

VIMSના ડાયરેક્ટર ડૉ. ગંગાધરા ગૌડાએ સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે દર્દીઓની હાલત પહેલેથી જ નાજુક હતી, અને પાવર કટ બાદ તેમનું મૃત્યુ એ માત્ર સંયોગ છે. મૃતકના પરિજનો દ્વારા આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.( Power Cut In Karnataka Hospital)

કર્ણાટકની VIMS હોસ્પિટલમાં પાવર કટના કારણે ચાર દર્દીઓના કથિત રીતે મોત
કર્ણાટકની VIMS હોસ્પિટલમાં પાવર કટના કારણે ચાર દર્દીઓના કથિત રીતે મોત
author img

By

Published : Sep 16, 2022, 11:44 AM IST

બલ્લારી (કર્ણાટક): બલ્લારીમાં વિજયનગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (VIMS) માં ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં દાખલ ચાર દર્દીઓ બુધવારે રાત્રે હોસ્પિટલમાં 16-કલાક-લાંબા પાવર કટને સહન કર્યા પછી મૃત્યુ પામ્યા હતા. મૃતકોના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે દર્દીઓના મોત વીજળીના અભાવે થયા છે, જોકે હોસ્પિટલ સત્તાવાળાઓએ આ દાવાને નકારી કાઢ્યા છે.( Power Cut In Karnataka Hospital)

પાવર કટ બાદ તેમનું મૃત્યુ એ માત્ર સંયોગ: VIMSના ડાયરેક્ટર ડૉ. ગંગાધરા ગૌડાએ સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે દર્દીઓની હાલત પહેલેથી જ નાજુક હતી અને પાવર કટ બાદ તેમનું મૃત્યુ એ માત્ર સંયોગ છે. મૃતકના સંબંધીઓ દ્વારા આ મુદ્દાની વધુ જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી. આ બાબતે વિભાગીય તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. બેંગલુરુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (BMCRI) ના ડો. સ્મિતા દ્વારા આ સમિતિનું નેતૃત્વ કરવામાં આવશે.

નક્કર તપાસનું આશ્વાસન: રાજ્યના આરોગ્ય પ્રધાન ડૉ. સુધાકર કે એ પણ આ બાબતની નોંધ લીધી હતી, અને નક્કર તપાસનું આશ્વાસન આપ્યું છે. અને મૃત્યુ માટે જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે. ગુરુવારે બપોરે પોસ્ટ કરવામાં આવેલા એક ટ્વિટમાં મંત્રીએ કહ્યું, 'બુધવારે બલ્લારીની વિમ્સ હોસ્પિટલમાં જે ઘટના બની તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ઘટનાની યોગ્ય વિભાગીય તપાસ કરવા અને વહીવટી અને ટેકનિકલ ક્ષતિઓ અંગે અહેવાલ આપવા BMCRIના ડૉ. સ્મિતાના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.'

જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે:સમિતિનો તપાસ અહેવાલ મળતાની સાથે જ ફરજમાં બેદરકારી દાખવનાર અને નિર્દોષ દર્દીઓના દુઃખદ મૃત્યુનું કારણ બનેલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.' સવારે 6 થી 10 વાગ્યા સુધી ચાલેલા પાવર કટ પછી મૌલા હુસૈન, ચેતમ્મા અને મનોજ કુમાર મૃત્યુ પામ્યા હતા.

બલ્લારી (કર્ણાટક): બલ્લારીમાં વિજયનગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (VIMS) માં ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં દાખલ ચાર દર્દીઓ બુધવારે રાત્રે હોસ્પિટલમાં 16-કલાક-લાંબા પાવર કટને સહન કર્યા પછી મૃત્યુ પામ્યા હતા. મૃતકોના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે દર્દીઓના મોત વીજળીના અભાવે થયા છે, જોકે હોસ્પિટલ સત્તાવાળાઓએ આ દાવાને નકારી કાઢ્યા છે.( Power Cut In Karnataka Hospital)

પાવર કટ બાદ તેમનું મૃત્યુ એ માત્ર સંયોગ: VIMSના ડાયરેક્ટર ડૉ. ગંગાધરા ગૌડાએ સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે દર્દીઓની હાલત પહેલેથી જ નાજુક હતી અને પાવર કટ બાદ તેમનું મૃત્યુ એ માત્ર સંયોગ છે. મૃતકના સંબંધીઓ દ્વારા આ મુદ્દાની વધુ જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી. આ બાબતે વિભાગીય તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. બેંગલુરુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (BMCRI) ના ડો. સ્મિતા દ્વારા આ સમિતિનું નેતૃત્વ કરવામાં આવશે.

નક્કર તપાસનું આશ્વાસન: રાજ્યના આરોગ્ય પ્રધાન ડૉ. સુધાકર કે એ પણ આ બાબતની નોંધ લીધી હતી, અને નક્કર તપાસનું આશ્વાસન આપ્યું છે. અને મૃત્યુ માટે જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે. ગુરુવારે બપોરે પોસ્ટ કરવામાં આવેલા એક ટ્વિટમાં મંત્રીએ કહ્યું, 'બુધવારે બલ્લારીની વિમ્સ હોસ્પિટલમાં જે ઘટના બની તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ઘટનાની યોગ્ય વિભાગીય તપાસ કરવા અને વહીવટી અને ટેકનિકલ ક્ષતિઓ અંગે અહેવાલ આપવા BMCRIના ડૉ. સ્મિતાના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.'

જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે:સમિતિનો તપાસ અહેવાલ મળતાની સાથે જ ફરજમાં બેદરકારી દાખવનાર અને નિર્દોષ દર્દીઓના દુઃખદ મૃત્યુનું કારણ બનેલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.' સવારે 6 થી 10 વાગ્યા સુધી ચાલેલા પાવર કટ પછી મૌલા હુસૈન, ચેતમ્મા અને મનોજ કુમાર મૃત્યુ પામ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.