શ્રાવણ મહિનાના અંતિમ દિવસે સોમનાથ મહાદેવને અન્નકૂટ સાથે પુષ્પનો કરાયો શણગાર - SOMNATH SHRINGAR DARSHAN

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2024, 8:12 PM IST

thumbnail
સોમનાથ મહાદેવને અન્નકૂટ સાથે પુષ્પનો કરાયો શણગાર (Etv Bharat Gujarat)

ગીર સોમનાથ: શ્રાવણ મહિનાના અંતિમ દિવસે સોમનાથ મહાદેવને વિવિધ પુષ્પોની સાથે અન્નકૂટ ધરાવીને વિવિધ રીતે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનાના અંતિમ દર્શન ની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આજે 50 હજાર કરતાં વધુ શિવ ભક્તોએ શ્રાવણ મહિનાના અંતિમ દિવસ અને સોમવતી અમાસના પ્રસંગે દર્શન કરીને મારે ધન્યતા પ્રાપ્ત કરી હતી. આજે શ્રાવણ મહિનાના અંતિમ દિવસ અને સોમવતી અમાસના પ્રસંગે સોમનાથ મહાદેવને વિવિધ પુષ્પોના શણગારની સાથે અન્નકૂટ દર્શન થી શોભાયમાન કરવામાં આવ્યા હતા. આજે સોમનાથ આવેલા 50 હજાર કરતાં વધારે શિવ ભક્તોએ સોમનાથ મહાદેવના શ્રાવણ મહિનાના અંતિમ દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. આજે દિવસ દરમિયાન 74 ધ્વજા પૂજા 58 સોમેશ્વર પૂજા 795 રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. અંદાજિત 200 કિલો વિવિધ રંગબેરંગી પુષ્પો થકી પણ સોમનાથ મહાદેવ ને શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરીને શિવભક્તોએ ભારે ધન્યતા પ્રાપ્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.