ETV Bharat / state

બનાસકાંઠાના તેનીવાડા નજીક ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણના મોત - Tenewada Accident

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 31, 2024, 3:37 PM IST

વડગામના તેનીવાડા પાટિયા નજીક રણુંજા દર્શન કરી પરત ફરતા લોકોની સ્વીફ્ટ કારનો અકસ્માત સર્જાતા પતિ પત્ની સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

બનાસકાંઠા: છાપીથી અમદાવાદ જતા હાઇવે ઉપર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મહેસાણાના સુથાર પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. સુથાર પરિવાર રાજસ્થાનના રણુજા ખાતેથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે તેનીવાડાના અધુરીયા બ્રિજ નજીક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા સ્વીફ્ટ કાર ધડાકાભેર ડીવાઈડર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં પતિ પત્ની સહીત કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.

જોકે, આ અકસ્માતમાં અન્ય બે લોકોને પણ ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. છાપી પોલીસે મૃતદેહોનો કબજો મેળવી છાપી રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં મહેસાણાનો સુથાર પરિવાર રણુંજા દર્શન કરી પરત ઘરે પહોંચે તે પહેલાં જ રસ્તામાં ત્રણ લોકો મોતને ભેટતા હાલ તો પરિવારમાં શોકનુ મોજું ફરી વળ્યું છે. મૃતકોના નામ વિનુભાઈ ચિમનલાલ સુથાર, ગીતાબેન વિનુભાઈ સુથાર અને સંજયભાઈ ચંદુભાઈ સુથાર છે. તેઓ મહેસાણાના રહેવાસી છે.

  1. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં કેટલો વરસાદ વરસ્યો જાણો.. - Rain In Gujarat
  2. ભેજાબાજ ભાઈઓ નકલી નોટરીની ઓફિસ ખોલી, નકલી સિક્કા બનાવી હજારો નકલી સ્ટેમ્પ અને મેરેજ સર્ટિફિકેટ બનાવી આપી દીધા - Surat News

બનાસકાંઠા: છાપીથી અમદાવાદ જતા હાઇવે ઉપર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મહેસાણાના સુથાર પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. સુથાર પરિવાર રાજસ્થાનના રણુજા ખાતેથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે તેનીવાડાના અધુરીયા બ્રિજ નજીક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા સ્વીફ્ટ કાર ધડાકાભેર ડીવાઈડર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં પતિ પત્ની સહીત કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.

જોકે, આ અકસ્માતમાં અન્ય બે લોકોને પણ ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. છાપી પોલીસે મૃતદેહોનો કબજો મેળવી છાપી રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં મહેસાણાનો સુથાર પરિવાર રણુંજા દર્શન કરી પરત ઘરે પહોંચે તે પહેલાં જ રસ્તામાં ત્રણ લોકો મોતને ભેટતા હાલ તો પરિવારમાં શોકનુ મોજું ફરી વળ્યું છે. મૃતકોના નામ વિનુભાઈ ચિમનલાલ સુથાર, ગીતાબેન વિનુભાઈ સુથાર અને સંજયભાઈ ચંદુભાઈ સુથાર છે. તેઓ મહેસાણાના રહેવાસી છે.

  1. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં કેટલો વરસાદ વરસ્યો જાણો.. - Rain In Gujarat
  2. ભેજાબાજ ભાઈઓ નકલી નોટરીની ઓફિસ ખોલી, નકલી સિક્કા બનાવી હજારો નકલી સ્ટેમ્પ અને મેરેજ સર્ટિફિકેટ બનાવી આપી દીધા - Surat News
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.