ETV Bharat / state

ચાંદીપુરા વાયરસ નિયંત્રણ માટે રાજ્ય આરોગ્ય તંત્રએ કમર કસી - Chandipura virus

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 20, 2024, 3:02 PM IST

રાજ્યમાં વાયરલ એન્કેફેલાઈટીસ એટલે કે, ચાંદીપુરા વાયરસના કુલ 164 કેસ છે, ઉપરાંત કુલ 73 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. બીજી તરફ રાજ્ય અને જિલ્લા કક્ષાએ રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી કરવામાં આવી રહી છે. જુઓ સમગ્ર વિગત

ચાંદીપુરા વાયરસ નિયંત્રણ માટે પ્રયાસ
ચાંદીપુરા વાયરસ નિયંત્રણ માટે પ્રયાસ (ETV Bharat Gujarat)

ગાંધીનગર : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો થઈ રહ્યો છે. બીજી તરફ રાજ્ય અને જિલ્લા કક્ષાએ રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી કરવામાં આવી રહી છે. હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 164 કેસ છે, ઉપરાંત કુલ 73 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર : ગુજરાત રાજ્યમાં વાયરલ એન્કેફેલાઈટીસના કુલ 164 કેસ છે. જે પૈકી સાબરકાંઠામાં 16, અરવલ્લીમાં 8, મહીસાગરમાં 4, ખેડામાં 7, મહેસાણામાં 11, રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 8, પંચમહાલમાં 16, જામનગરમાં 8, મોરબીમાં 6, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 4, વડોદરામાં 9, નર્મદામાં 2, બનાસકાંઠામાં 7, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 4, અમદાવાદમાં 2 તથા જામનગર કોર્પોરેશન, પોરબંદર, પાટણ, ગીર સોમનાથ, અમરેલી તેમજ ડાંગમાં 1-1 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે.

ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ : આ તમામ પૈકી સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 3, ખેડામાં 4, મહેસાણામાં 6, રાજકોટમાં 3, સુરેન્દ્રનગરમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગરમાં 2, પંચમહાલમાં 7, જામનગરમાં 1, મોરબીમાં 1, દાહોદમાં 3, વડોદરામાં 2, બનાસકાંઠામાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, કચ્છમાં 4, સુરત કોર્પોરેશનમાં 2 તથા ભરૂચ, અમદાવાદ, પોરબંદર તેમજ પાટણમાં 1-1 એમ ચાંદીપુરા વાયરસના કુલ 61 પોઝિટિવ કેસ મળ્યા છે.

રાજ્યમાં કુલ 73 મોત : ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઈટીસના કુલ 164 કેસ પૈકી સાબરકાંઠામાં 5, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 2, મહેસાણામાં 5, રાજકોટમાં 4, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ગાંધીનગરમાં 3, પંચમહાલમાં 7, જામનગરમાં 4, મોરબીમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, દાહોદમાં 3, વડોદરામાં 4, નર્મદામાં 1, બનાસકાંઠામાં 4, વડોદરા કોર્પોરેશનમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, કચ્છમાં 4 તથા સુરત કોર્પોરેશન, ભરૂચ, જામનગર કોર્પોરેશન, પાટણ તેમજ ગીર સોમનાથમાં 1-1 એમ કુલ 73 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

આરોગ્ય વિભાગની કામગીરી : રાજ્ય આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ મળેલા દર્દીના ઘર અને આસપાસના વિસ્તારના ઘરો મળીને કુલ 53,999 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. વાયરલ એન્કેફેલાઈટીસ પોઝિટિવ કેસ મળેલા તાલુકાના તમામ ગામના કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઇંગ કામગીરી ધનિષ્ઠ તથા ઝડપી કરવામાં આવી છે. વધુમાં વાહકજન્ય રોગ અટકાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમાં જણાવવામાં આવ્યું છે.

ડસ્ટિંગ અને સ્પ્રેઇંગ કામગીરી : કુલ 7,46,927 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસસ્ટિંગ કામગીરી કરવામાં આવી, જ્યારે કુલ 1,58,074 કાચા ઘરમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે. કુલ 31,563 શાળા અને કુલ 36,150 આંગણવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસસ્ટિંગ તથા કુલ 8,649 શાળા અને 8,696 આંગણવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે.

  1. રાજ્યમાં ચાંદીપુરાનો વધતો કહેર, અત્યાર સુધીમાં 73 ના મોત
  2. ચાંદીપુરા વાયરસની ઝપેટમાં ગુજરાત, મૃત્યુઆંક વધીને 73 થયો

ગાંધીનગર : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો થઈ રહ્યો છે. બીજી તરફ રાજ્ય અને જિલ્લા કક્ષાએ રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી કરવામાં આવી રહી છે. હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 164 કેસ છે, ઉપરાંત કુલ 73 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર : ગુજરાત રાજ્યમાં વાયરલ એન્કેફેલાઈટીસના કુલ 164 કેસ છે. જે પૈકી સાબરકાંઠામાં 16, અરવલ્લીમાં 8, મહીસાગરમાં 4, ખેડામાં 7, મહેસાણામાં 11, રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 8, પંચમહાલમાં 16, જામનગરમાં 8, મોરબીમાં 6, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 4, વડોદરામાં 9, નર્મદામાં 2, બનાસકાંઠામાં 7, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 4, અમદાવાદમાં 2 તથા જામનગર કોર્પોરેશન, પોરબંદર, પાટણ, ગીર સોમનાથ, અમરેલી તેમજ ડાંગમાં 1-1 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે.

ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ : આ તમામ પૈકી સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 3, ખેડામાં 4, મહેસાણામાં 6, રાજકોટમાં 3, સુરેન્દ્રનગરમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગરમાં 2, પંચમહાલમાં 7, જામનગરમાં 1, મોરબીમાં 1, દાહોદમાં 3, વડોદરામાં 2, બનાસકાંઠામાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, કચ્છમાં 4, સુરત કોર્પોરેશનમાં 2 તથા ભરૂચ, અમદાવાદ, પોરબંદર તેમજ પાટણમાં 1-1 એમ ચાંદીપુરા વાયરસના કુલ 61 પોઝિટિવ કેસ મળ્યા છે.

રાજ્યમાં કુલ 73 મોત : ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઈટીસના કુલ 164 કેસ પૈકી સાબરકાંઠામાં 5, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 2, મહેસાણામાં 5, રાજકોટમાં 4, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ગાંધીનગરમાં 3, પંચમહાલમાં 7, જામનગરમાં 4, મોરબીમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, દાહોદમાં 3, વડોદરામાં 4, નર્મદામાં 1, બનાસકાંઠામાં 4, વડોદરા કોર્પોરેશનમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, કચ્છમાં 4 તથા સુરત કોર્પોરેશન, ભરૂચ, જામનગર કોર્પોરેશન, પાટણ તેમજ ગીર સોમનાથમાં 1-1 એમ કુલ 73 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

આરોગ્ય વિભાગની કામગીરી : રાજ્ય આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ મળેલા દર્દીના ઘર અને આસપાસના વિસ્તારના ઘરો મળીને કુલ 53,999 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. વાયરલ એન્કેફેલાઈટીસ પોઝિટિવ કેસ મળેલા તાલુકાના તમામ ગામના કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઇંગ કામગીરી ધનિષ્ઠ તથા ઝડપી કરવામાં આવી છે. વધુમાં વાહકજન્ય રોગ અટકાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમાં જણાવવામાં આવ્યું છે.

ડસ્ટિંગ અને સ્પ્રેઇંગ કામગીરી : કુલ 7,46,927 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસસ્ટિંગ કામગીરી કરવામાં આવી, જ્યારે કુલ 1,58,074 કાચા ઘરમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે. કુલ 31,563 શાળા અને કુલ 36,150 આંગણવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસસ્ટિંગ તથા કુલ 8,649 શાળા અને 8,696 આંગણવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે.

  1. રાજ્યમાં ચાંદીપુરાનો વધતો કહેર, અત્યાર સુધીમાં 73 ના મોત
  2. ચાંદીપુરા વાયરસની ઝપેટમાં ગુજરાત, મૃત્યુઆંક વધીને 73 થયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.