ETV Bharat / state

મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને પગલે આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું - Chandipura virus

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 21, 2024, 4:36 PM IST

મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો મળી આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. અને આરોગ્ય તંત્ર દ્વારા જીલ્લાના વિવિધ ગામોમાં સર્વે સહિતની કામગીરી શરુ કરવામાં આવી છે., Chandipura virus in Morbi district

ચાંદીપુરા વાયરસને પગલે મોરબી આરોગ્ય તંત્ર સતર્ક
ચાંદીપુરા વાયરસને પગલે મોરબી આરોગ્ય તંત્ર સતર્ક (ETV Bharat Gujarat)
ચાંદીપુરા વાયરસને પગલે મોરબી આરોગ્ય તંત્ર સતર્ક (ETV Bharat Gujarat)

મોરબી: હાલ સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબી જીલ્લામાં શંકાસ્પદ કેસો જોવા મળ્યા છે. ગ્રામ્ય પંથકમાં મજુરી કરતા શ્રમિક પરિવારોના બાળકોમાં શંકાસ્પદ કેસો ધ્યાને આવતા મોરબી જીલ્લાના ચાંચાપર, હમીરપર, જીવાપર અને ઘૂટું સહિતના ગામોમાં સર્વે શરુ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમે તાવ સહિતના લક્ષણો કોઈ બાળકોમાં છે કે નહિ તેની તપાસ શરુ કરી છે. તેમજ શ્રમિક પરિવારો વસવાટ કરતા હોય તેવા વિસ્તારમાં સઘન સર્વે કરવામાં આવી રહ્યો છે.

મોરબી આરોગ્ય તંત્ર સતર્ક
મોરબી આરોગ્ય તંત્ર સતર્ક (ETV Bharat Gujarat)

લોકોને સાવચેતી રાખવા કરી અપીલ: આ મામલે ચાંચાપર પીએચસી સુપરવાઈઝર દિનેશભાઈ રાંકજાએ જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો જોવા મળતા ચાંચાપર ગામે આરોગ્ય વિભાગની 4 ટીમો બનાવી ચાંદીપુરા વાયરસ ના ફેલાય તેના માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં ટીમો ઘરે ઘરે જઈને તાવના લક્ષણો હોય તો તુરંત દવા લેવા તેમજ જરૂર પડે તો મોરબી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવા જણાવ્યું છે. વાયરસ કાચા ઘરોમાંં અથવા દીવાલમાં તિરાડ હોય ત્યાં ઈંડા મૂકી તેમાંથી થતા મચ્છરથી ફેલાતો હોય છે. જેથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે સાથે જ સર્વે સહિતની કામગીર કરવામાં આવી રહી છે.

  1. ચાંદીપુરા વાયરસ સામે વલસાડ જિલ્લા આરોગ્ય વહીવટી તંત્ર બન્યુ સજજ - chandipura virus
  2. બનાસકાંઠામાં પ્રથમ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ, હાલ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ - Chandipura virus in banaskantha

ચાંદીપુરા વાયરસને પગલે મોરબી આરોગ્ય તંત્ર સતર્ક (ETV Bharat Gujarat)

મોરબી: હાલ સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબી જીલ્લામાં શંકાસ્પદ કેસો જોવા મળ્યા છે. ગ્રામ્ય પંથકમાં મજુરી કરતા શ્રમિક પરિવારોના બાળકોમાં શંકાસ્પદ કેસો ધ્યાને આવતા મોરબી જીલ્લાના ચાંચાપર, હમીરપર, જીવાપર અને ઘૂટું સહિતના ગામોમાં સર્વે શરુ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમે તાવ સહિતના લક્ષણો કોઈ બાળકોમાં છે કે નહિ તેની તપાસ શરુ કરી છે. તેમજ શ્રમિક પરિવારો વસવાટ કરતા હોય તેવા વિસ્તારમાં સઘન સર્વે કરવામાં આવી રહ્યો છે.

મોરબી આરોગ્ય તંત્ર સતર્ક
મોરબી આરોગ્ય તંત્ર સતર્ક (ETV Bharat Gujarat)

લોકોને સાવચેતી રાખવા કરી અપીલ: આ મામલે ચાંચાપર પીએચસી સુપરવાઈઝર દિનેશભાઈ રાંકજાએ જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો જોવા મળતા ચાંચાપર ગામે આરોગ્ય વિભાગની 4 ટીમો બનાવી ચાંદીપુરા વાયરસ ના ફેલાય તેના માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં ટીમો ઘરે ઘરે જઈને તાવના લક્ષણો હોય તો તુરંત દવા લેવા તેમજ જરૂર પડે તો મોરબી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવા જણાવ્યું છે. વાયરસ કાચા ઘરોમાંં અથવા દીવાલમાં તિરાડ હોય ત્યાં ઈંડા મૂકી તેમાંથી થતા મચ્છરથી ફેલાતો હોય છે. જેથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે સાથે જ સર્વે સહિતની કામગીર કરવામાં આવી રહી છે.

  1. ચાંદીપુરા વાયરસ સામે વલસાડ જિલ્લા આરોગ્ય વહીવટી તંત્ર બન્યુ સજજ - chandipura virus
  2. બનાસકાંઠામાં પ્રથમ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ, હાલ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ - Chandipura virus in banaskantha
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.