ETV Bharat / state

દિલ્હી-મુંબઈ રેલ્વે ટ્રેક પર માલસામાન ટ્રેનમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી - Fire In Goods Train

ઝાલાવાડના છતરપુરા સ્ટેશન પાસે દિલ્હી-મુંબઈ રેલ્વે ટ્રેક પરથી પસાર થઈ રહેલી માલગાડીમાં અચાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત ઉઠાવી આગને કાબુમાં લીધી હતી. આ દરમિયાન દિલ્હી-મુંબઈ ટ્રેક પર થોડા કલાકો માટે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. શું હતો સંપૂર્ણ માહોલ જાણો આ અહેવાલમાં. Fire In Goods Train

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 1, 2024, 5:12 PM IST

દિલ્હી-મુંબઈ રેલ્વે ટ્રેક પર માલસામાન ટ્રેનમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી
દિલ્હી-મુંબઈ રેલ્વે ટ્રેક પર માલસામાન ટ્રેનમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી (Etv Bharat)

ઝાલાવાડ: શનિવારના રોજ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ રેલવે ટ્રેક પર છતરપુરા સ્ટેશન નજીક એક માલગાડીમાં અચાનક આગ લાગી હતી. આ અચાનક થયેલા અકસ્માત બાદ સ્ટેશન પર થોડીવાર માટે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. બાદમાં માલગાડીની આ ટ્રેનમાં આગ લાગવા અંગે રેલવેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ સાથે જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લઈ લેવામાં આવ્યું હતું. જો કે આ સમયગાળા દરમિયાન કોઈ જાહેર જનતાને નુકસાન થયું ન હતું, પરંતુ દિલ્હી-મુંબઈ ટ્રેક પર થોડા કલાકો માટે અવરજવર બંધ કરી દેવામાં આવ્યો હતો.

માલસામાન ટ્રેનના બે ડબ્બામાં આગ: ઘટનાસ્થળે પહોંચેલા રેલવે અધિકારીઓ હવે આગ લાગવાના કારણ વિશે માહિતી એકઠી કરી રહ્યા છે. આ મામલાની માહિતી આપતા કોટા ડીઆરએમ મનીષ તિવારીએ જણાવતા કહ્યું હતું કે, શનિવારે વહેલી સવારે મુંબઈ સેન્ટ્રલથી દિલ્હીના વલ્લભગઢ જતી માલસામાન ટ્રેનના બે ડબ્બામાં દિલ્હી-મુંબઈ ટ્રેક પર છતરપુરા સ્ટેશન પાસે અચાનક આગ લાગી હતી. જે બાદ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને ખૂબ મહેનતથી આગ પર કાબુ મેળવ્યો હતો.

રેલવે ટ્રેકના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું: અધિકારીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, હાલ માલસામાન ટ્રેનમાં આગ શ માટે લાગી હતી તેનું કારણ મળી આવ્યું નથી. જો કે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન રેલવે ટ્રેકના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. ઉપરાંત એક ટ્રેકને થોડા કલાકો માટે બંધ પણ કરવામાં આવ્યો હતો. હાલમાં રેલવે કર્મચારીઓ દ્વારા ટ્રેક પર કામ ચાલી રહ્યું છે. અને અન્ય ટ્રેક પર વાહનવ્યવહાર સુધારવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જો કે અહી જાણવા જેવી વાત એ છે કે, આગને કારણે ત્યાંથી પસાર થતી ટ્રેનોને રામગંજમંડી અને ભવાની મંડી સ્ટેશનો વચ્ચે રોકી દેવામાં આવી હતી.

  1. 8 રાજ્યોમાં 3 વાગ્યા સુધીમાં 40.09 ટકા મતદાન, સૌથી વધુ ઝારખંડમાં 60.14 ટકા મતદાન થયું - lok sabha election 2024 7th phase
  2. વિચિત્ર ચોરી, ઘોડા સહિત ગાડીમાં ભરેલા 667 કિલો લોખંડના સળિયાની ચોરી, CCTV ફૂટેજમાં ખુલ્યું રહસ્ય - kanpur strange theft

ઝાલાવાડ: શનિવારના રોજ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ રેલવે ટ્રેક પર છતરપુરા સ્ટેશન નજીક એક માલગાડીમાં અચાનક આગ લાગી હતી. આ અચાનક થયેલા અકસ્માત બાદ સ્ટેશન પર થોડીવાર માટે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. બાદમાં માલગાડીની આ ટ્રેનમાં આગ લાગવા અંગે રેલવેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ સાથે જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લઈ લેવામાં આવ્યું હતું. જો કે આ સમયગાળા દરમિયાન કોઈ જાહેર જનતાને નુકસાન થયું ન હતું, પરંતુ દિલ્હી-મુંબઈ ટ્રેક પર થોડા કલાકો માટે અવરજવર બંધ કરી દેવામાં આવ્યો હતો.

માલસામાન ટ્રેનના બે ડબ્બામાં આગ: ઘટનાસ્થળે પહોંચેલા રેલવે અધિકારીઓ હવે આગ લાગવાના કારણ વિશે માહિતી એકઠી કરી રહ્યા છે. આ મામલાની માહિતી આપતા કોટા ડીઆરએમ મનીષ તિવારીએ જણાવતા કહ્યું હતું કે, શનિવારે વહેલી સવારે મુંબઈ સેન્ટ્રલથી દિલ્હીના વલ્લભગઢ જતી માલસામાન ટ્રેનના બે ડબ્બામાં દિલ્હી-મુંબઈ ટ્રેક પર છતરપુરા સ્ટેશન પાસે અચાનક આગ લાગી હતી. જે બાદ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને ખૂબ મહેનતથી આગ પર કાબુ મેળવ્યો હતો.

રેલવે ટ્રેકના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું: અધિકારીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, હાલ માલસામાન ટ્રેનમાં આગ શ માટે લાગી હતી તેનું કારણ મળી આવ્યું નથી. જો કે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન રેલવે ટ્રેકના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. ઉપરાંત એક ટ્રેકને થોડા કલાકો માટે બંધ પણ કરવામાં આવ્યો હતો. હાલમાં રેલવે કર્મચારીઓ દ્વારા ટ્રેક પર કામ ચાલી રહ્યું છે. અને અન્ય ટ્રેક પર વાહનવ્યવહાર સુધારવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જો કે અહી જાણવા જેવી વાત એ છે કે, આગને કારણે ત્યાંથી પસાર થતી ટ્રેનોને રામગંજમંડી અને ભવાની મંડી સ્ટેશનો વચ્ચે રોકી દેવામાં આવી હતી.

  1. 8 રાજ્યોમાં 3 વાગ્યા સુધીમાં 40.09 ટકા મતદાન, સૌથી વધુ ઝારખંડમાં 60.14 ટકા મતદાન થયું - lok sabha election 2024 7th phase
  2. વિચિત્ર ચોરી, ઘોડા સહિત ગાડીમાં ભરેલા 667 કિલો લોખંડના સળિયાની ચોરી, CCTV ફૂટેજમાં ખુલ્યું રહસ્ય - kanpur strange theft
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.