ETV Bharat / state

ખંભાળીયામાં આવેલ જર્જરિત કેનેડી પુલ બંધ થતાં ન છૂટકે જોખમી માર્ગ પસાર કરતા લોકો - People passing via dangerous roads

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 21, 2024, 4:33 PM IST

દ્વારકાના ખંભાળિયા તાલુકામાં અંગ્રેજોના સમયે બનેલ પુલ જે હાલ 120 વર્ષ જૂનો થઈ ગયો છે. અને સંપૂર્ણ રીતે જર્જરિત હાલતમાં છે. કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા આ પુલ બંધ કરવામાં આવ્યું છે. જેના પરિણામે નદીના પટમાં ડાયવર્ઝન દ્વારા રસ્તો ઇકરવામાં આવ્યો છે. જે ચોમાસા દરમિયાન પસાર કરવો મુશ્કેલ બની ગયો છે. લોકોની માંગ છે કે પુલ ખોલવામાં આવે. જાણો સંપૂર્ણ બાબત. People passing via dangerous roads

કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા આ પુલ બંધ કરવામાં આવ્યું
કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા આ પુલ બંધ કરવામાં આવ્યું (Etv Bharat Gujarat)
ખંભાળિયા તાલુકામાં આવેલો અંગ્રેજોના સમયનો કેનેડી પુલ 120 વર્ષ જૂનો છે (Etv Bharat Gujarat)

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલો અંગ્રેજોના સમયનો કેનેડી પુલ 120 વર્ષ જૂનો છે. હાલ આ બ્રિજ જર્જરીત થતા તેને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ પુલ બંધ કરાતા નદીના પટમાં ડાયવર્ઝન દ્વારા રસ્તો કરી આપવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિકોને કાદવ કીચડમાંથી જીવના જોખમે વાહનો લઈ મુશ્કેલી વેઠી વાહન ચલાવવાની ફરજ પડી રહી છે.

રસ્તામાં ઠેર-ઠેર ખાડા અને ખાડમાં પાણી ભરેલું: અંગ્રેજોના જમાનાનો 120 વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત થવાને કારણે પુલ પર અવર-જવર બંધ કરી દેવામાં આવી હતી. અને અન્ય માર્ગ તરીકે નદીના પટમાં ડાયવર્ઝન કાઢીને અવરજવર માટે રસ્તો કરી આપવામાં આવ્યો છે. પરંતુ હવે ચોમાસામાં નદીના પટમાં ડાયવર્જન આપવાથી વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કારણ કે આ રસ્તા પર કાદવ-કિચડ ફેલાયેલ છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડા અને ખાડમાં પાણી ભરેલું હોવાથી રસ્તો પાર કરતા-કરતા વાહનચાલકોને પરસેવો છૂટી જાય છે. ઉપરાંત જરા પણ ચૂક થાય તો વાહનચાલક કિચડમાં ગબડી પડે તેવી સ્થિતિ છે. હાલ દેવભૂમિ દ્વારકામાં અવિરત વરસાદના કારણે નદીના પટમાં ઉપરવાસમાંથી આવતા પાણીના લીધે પુર જેવી સ્થિતિ સર્જાય ચૂકી છે.

પુલ ખોલવાની લોકોની માંગ: આસપાસના ગામના લોકો તથા શાળાએ જતા વિદ્યાર્થીઓ આ રસ્તા પર અવર-જવર કરે છે. ચોમાસુ હોવાથી હાલ આ રસ્તા પર સતત પાણી રહે છે. આવી સ્થિતિમાં રસ્તો પાર કરવામાં ખૂબ જોખમી ભર્યું થય ગયુ છે. રસ્તામાં એટલું બધું કિચડ અને ખાડા છે કે પગપાળા રસ્તો પાર કરવો શક્ય જ નથી. ત્યારે સ્થાનિકો માગણી કરી રહ્યા છે કે પુલ ટૂવ્હિલર ચાલકો માટે ખૂલ્લો મુકવામાં આવે અથવા જલદી પાકો રસ્તો બનાવવામાં આવે.

છેલ્લા 6 મહિનાથી પુલનું કામ બંધ છે: માંગણીઓ થતી હોવા છતાં છેલ્લા 6 મહિના કરતા પણ વધુ સમયથી આ પુલનું ના સમાર કામ ચાલુ થયું ના પાકા રસ્તા માટે કોઈ કામગીરી શરૂ થઈ છે. હાલ આ રસ્તામાં પાણી આવી જતા લોકો ભયજનક રીતે પુલ પસાર કરવા લાગ્યા છે.

અત્યંત જોખમી રસ્તા: મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે, આ 120 વર્ષ જૂના પુલને તંત્ર દ્વારા પુલના ફિટનેસના કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. લોકોને આ અગવડ ન થાય તેમજ કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે બંધ કરવામાં આવેલ પુલના કારણે હવે લોકો ભયજનક રીતે અન્ય રસ્તા પરથી પસાર થાય છે, જે અત્યંત જોખમી છે.

  1. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કોલક નદી પરના 160 મીટર લંબાઈ ધરાવતા પુલનું કાર્ય પૂર્ણ - Bullet Train Project
  2. પોરબંદર જિલ્લાના બરડા અને ઘેડ વિસ્તારના ખેતરો જળમગ્ન, ખેડૂતોના પાકને નુકસાન - flood in Porbandar district

ખંભાળિયા તાલુકામાં આવેલો અંગ્રેજોના સમયનો કેનેડી પુલ 120 વર્ષ જૂનો છે (Etv Bharat Gujarat)

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલો અંગ્રેજોના સમયનો કેનેડી પુલ 120 વર્ષ જૂનો છે. હાલ આ બ્રિજ જર્જરીત થતા તેને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ પુલ બંધ કરાતા નદીના પટમાં ડાયવર્ઝન દ્વારા રસ્તો કરી આપવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિકોને કાદવ કીચડમાંથી જીવના જોખમે વાહનો લઈ મુશ્કેલી વેઠી વાહન ચલાવવાની ફરજ પડી રહી છે.

રસ્તામાં ઠેર-ઠેર ખાડા અને ખાડમાં પાણી ભરેલું: અંગ્રેજોના જમાનાનો 120 વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત થવાને કારણે પુલ પર અવર-જવર બંધ કરી દેવામાં આવી હતી. અને અન્ય માર્ગ તરીકે નદીના પટમાં ડાયવર્ઝન કાઢીને અવરજવર માટે રસ્તો કરી આપવામાં આવ્યો છે. પરંતુ હવે ચોમાસામાં નદીના પટમાં ડાયવર્જન આપવાથી વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કારણ કે આ રસ્તા પર કાદવ-કિચડ ફેલાયેલ છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડા અને ખાડમાં પાણી ભરેલું હોવાથી રસ્તો પાર કરતા-કરતા વાહનચાલકોને પરસેવો છૂટી જાય છે. ઉપરાંત જરા પણ ચૂક થાય તો વાહનચાલક કિચડમાં ગબડી પડે તેવી સ્થિતિ છે. હાલ દેવભૂમિ દ્વારકામાં અવિરત વરસાદના કારણે નદીના પટમાં ઉપરવાસમાંથી આવતા પાણીના લીધે પુર જેવી સ્થિતિ સર્જાય ચૂકી છે.

પુલ ખોલવાની લોકોની માંગ: આસપાસના ગામના લોકો તથા શાળાએ જતા વિદ્યાર્થીઓ આ રસ્તા પર અવર-જવર કરે છે. ચોમાસુ હોવાથી હાલ આ રસ્તા પર સતત પાણી રહે છે. આવી સ્થિતિમાં રસ્તો પાર કરવામાં ખૂબ જોખમી ભર્યું થય ગયુ છે. રસ્તામાં એટલું બધું કિચડ અને ખાડા છે કે પગપાળા રસ્તો પાર કરવો શક્ય જ નથી. ત્યારે સ્થાનિકો માગણી કરી રહ્યા છે કે પુલ ટૂવ્હિલર ચાલકો માટે ખૂલ્લો મુકવામાં આવે અથવા જલદી પાકો રસ્તો બનાવવામાં આવે.

છેલ્લા 6 મહિનાથી પુલનું કામ બંધ છે: માંગણીઓ થતી હોવા છતાં છેલ્લા 6 મહિના કરતા પણ વધુ સમયથી આ પુલનું ના સમાર કામ ચાલુ થયું ના પાકા રસ્તા માટે કોઈ કામગીરી શરૂ થઈ છે. હાલ આ રસ્તામાં પાણી આવી જતા લોકો ભયજનક રીતે પુલ પસાર કરવા લાગ્યા છે.

અત્યંત જોખમી રસ્તા: મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે, આ 120 વર્ષ જૂના પુલને તંત્ર દ્વારા પુલના ફિટનેસના કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. લોકોને આ અગવડ ન થાય તેમજ કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે બંધ કરવામાં આવેલ પુલના કારણે હવે લોકો ભયજનક રીતે અન્ય રસ્તા પરથી પસાર થાય છે, જે અત્યંત જોખમી છે.

  1. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કોલક નદી પરના 160 મીટર લંબાઈ ધરાવતા પુલનું કાર્ય પૂર્ણ - Bullet Train Project
  2. પોરબંદર જિલ્લાના બરડા અને ઘેડ વિસ્તારના ખેતરો જળમગ્ન, ખેડૂતોના પાકને નુકસાન - flood in Porbandar district
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.