ETV Bharat / state

પાટણમાં ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રા પૂર્વે સૌપ્રથમવાર જળયાત્રા નીકળી - jal yatra of Lord Jagannathji

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 2, 2024, 4:21 PM IST

ભગવાન જગન્નાથજીની પરંપરાગત 147 મી રથયાત્રા 7 જુલાઈ ના રોજ ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતેથી નીકળવાની છે. ત્યારે ભગવાનની જળયાત્રાનું અનેરુ મહત્વ હોય છે. રથયાત્રા પૂર્વે પાટણના આનંદ સરોવર પાસે આવેલા ગણેશ આશ્રમમાંથી ભવ્ય જળયાત્રાનું આયોજન રથયાત્રા સમિતિએ કર્યું હતું. jal yatra of Lord Jagannath

પાટણમાં ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રા પૂર્વે સૌપ્રથમવાર જળયાત્રા નીકળી
પાટણમાં ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રા પૂર્વે સૌપ્રથમવાર જળયાત્રા નીકળી (etv bharat gujarat)

પાટણમાં ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રા પૂર્વે સૌપ્રથમવાર જળયાત્રા નીકળી (etv bharat gujarat)

પાટણ: શહેરમાં આવેલ ગણેશ આશ્રમ ખાતે મંગળવારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર જળના પવિત્રકરણ માટે વિદ્વાન બ્રાહ્મણો થકી 999 નદીઓ તેમજ 64 તિર્થ ક્ષેત્રોનું આહ્વાન કરીને જળના પવિત્રકરણની સાથે સાથે જગત જનની મા જગદંબાનું આહ્વાન કરીને માને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું . તે માટે નવદુર્ગાના પ્રતિક સ્વરૂપ નવ કુંવારી દિકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું.જગદંબાને રિઝવવા માટે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા માતાજીની સ્તુતિ કરી શાસ્ત્રોક્ત શ્લોકોનું ગાન કરવામાં આવ્યું હતું.

પાટણમાં ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી: આ અવસરે માતાજીને સાક્ષી બનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું. તેમજ મખમલનું કાપડ તેમજ ફૂલોથી અલંકારીત પાલખીમાં ભગવાન જગન્નાથજી અને તેમના પરિવારને જયઘોષ સાથે બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથજી, ભ્રાતા બલરામજી અને બહેન સુભદ્રાજીનું પૂજન અર્ચન કરીને જય રણછોડ, માખણચોરના ગગનભેદી નારા સાથે કાવડમાં જળયાત્રા પાટણના રાજમાર્ગો ઉપર ઢોલ-નગારા સાથે વરસતા વરસાદમાં પ્રસ્થાન થઈ હતી.જેમાં મોટી સંખ્યા ભાવિક ભક્તો જળયાત્રામાં જોડાયા હતા.

જળયાત્રા ગણેશ આશ્રમથી નીકળીને નિજમંદિર પહોચશે: આ જળયાત્રા ગણેશ આશ્રમથી નીકળીને સુભાષ ચોક, જુનાગંજ બજાર, હિંગળાચાચર ચોકથી મુખ્ય બજારમાં થઈ ઘીવટા નાકાથી નિજમંદિર પહોંચશે બાદમાં ભગવાનનો જળાભિષેક શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવશે. અભિષેક માટે અભિમંત્રિત જળમાં ઘી, દૂધ, દહીં, સાકર, ગુલાબજળ, કેવડાજળ, યમુનાજળ, કેસર, ચંદન જેવા કુદરતી દ્રવ્યો નાંખીને ભક્તો ભગવાનને રિઝવવા પ્રયત્ન કરાશે. ભક્તોએ આ જળયાત્રામાં જોડાઇને ધન્યતાની લાગણી અનુભવી હતી.

  1. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શાપુર અને વંથલીનો ડેમ થયો ઓવરફ્લો, જુઓ રમણીય તસવીરો... - Shapur and Vanthali dams overflowed
  2. શિકારી અને શિકાર બંને ઉંડા કૂવામાં ખાબક્યા, વન વિભાગે સિંહણને જીવતી બહાર કાઢી - lioness was pulled out of the well

પાટણમાં ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રા પૂર્વે સૌપ્રથમવાર જળયાત્રા નીકળી (etv bharat gujarat)

પાટણ: શહેરમાં આવેલ ગણેશ આશ્રમ ખાતે મંગળવારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર જળના પવિત્રકરણ માટે વિદ્વાન બ્રાહ્મણો થકી 999 નદીઓ તેમજ 64 તિર્થ ક્ષેત્રોનું આહ્વાન કરીને જળના પવિત્રકરણની સાથે સાથે જગત જનની મા જગદંબાનું આહ્વાન કરીને માને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું . તે માટે નવદુર્ગાના પ્રતિક સ્વરૂપ નવ કુંવારી દિકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું.જગદંબાને રિઝવવા માટે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા માતાજીની સ્તુતિ કરી શાસ્ત્રોક્ત શ્લોકોનું ગાન કરવામાં આવ્યું હતું.

પાટણમાં ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી: આ અવસરે માતાજીને સાક્ષી બનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું. તેમજ મખમલનું કાપડ તેમજ ફૂલોથી અલંકારીત પાલખીમાં ભગવાન જગન્નાથજી અને તેમના પરિવારને જયઘોષ સાથે બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથજી, ભ્રાતા બલરામજી અને બહેન સુભદ્રાજીનું પૂજન અર્ચન કરીને જય રણછોડ, માખણચોરના ગગનભેદી નારા સાથે કાવડમાં જળયાત્રા પાટણના રાજમાર્ગો ઉપર ઢોલ-નગારા સાથે વરસતા વરસાદમાં પ્રસ્થાન થઈ હતી.જેમાં મોટી સંખ્યા ભાવિક ભક્તો જળયાત્રામાં જોડાયા હતા.

જળયાત્રા ગણેશ આશ્રમથી નીકળીને નિજમંદિર પહોચશે: આ જળયાત્રા ગણેશ આશ્રમથી નીકળીને સુભાષ ચોક, જુનાગંજ બજાર, હિંગળાચાચર ચોકથી મુખ્ય બજારમાં થઈ ઘીવટા નાકાથી નિજમંદિર પહોંચશે બાદમાં ભગવાનનો જળાભિષેક શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવશે. અભિષેક માટે અભિમંત્રિત જળમાં ઘી, દૂધ, દહીં, સાકર, ગુલાબજળ, કેવડાજળ, યમુનાજળ, કેસર, ચંદન જેવા કુદરતી દ્રવ્યો નાંખીને ભક્તો ભગવાનને રિઝવવા પ્રયત્ન કરાશે. ભક્તોએ આ જળયાત્રામાં જોડાઇને ધન્યતાની લાગણી અનુભવી હતી.

  1. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શાપુર અને વંથલીનો ડેમ થયો ઓવરફ્લો, જુઓ રમણીય તસવીરો... - Shapur and Vanthali dams overflowed
  2. શિકારી અને શિકાર બંને ઉંડા કૂવામાં ખાબક્યા, વન વિભાગે સિંહણને જીવતી બહાર કાઢી - lioness was pulled out of the well
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.