ETV Bharat / opinion

ભારત-યુએસ સંબંધોમાં અવરોધો - Roadblocks in Indo US ties

author img

By Major General Harsha Kakar

Published : 2 hours ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ અને તે દરમિયાનની વિદેશનીતિ પર અહીં લેખકે કેટલાક અદભૂત તથ્યો પર નજર કરી છે. સાથે જ આ દરમિયાન અન્ય દેશો સાથેના સંબંધો અને તેની અસરો પર ચર્ચા કરી છે. - Roadblocks in Indo US ties

ભારત-યુએસ સંબંધોમાં અવરોધો
ભારત-યુએસ સંબંધોમાં અવરોધો (AP)

વડાપ્રધાન મોદીની હાલની અમેરિકા યાત્રા પછી ભારત-અમેરિકાના સંબંધો પર પૂછાયેલા સવાલ પર, રાષ્ટ્રીય સુરક્ષા સંચાર સલાહકાર જોની કિર્બીએ કહ્યું કે સંબંધ મજબૂત છે અને વધુ મજબૂત થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ બાઈડેને ભારત અંગે વાત કરતા કહ્યું, ભારત કોવીડ 19 મહામારી માટે વૈશ્વિક પ્રતિક્રિયાનું સમર્થન કરવાથી લઈને દુનિયાભરમાં સંઘર્ષોના વિનાશકારી પરિમામોને દૂર કરવા સુધી, સૌથી વધારે દબાણ વાળા પડકારોના સમાધાન શોધવાના પ્રયાસોમાં સૌથી આગળ છે. તેમણે કહ્યું કે ભારત સાથે અમેરિકાના સંબંધ ઈતિહાસમાં કોઈપણ સમયની તુલનામાં સૌથી મજબૂત, ઘનિષ્ઠ અને વધુ ગતિશિલ છે.

પ્રધાનમંત્રી મોદીએ અમેરિકા સાથેના સંબંધોને મજબૂત કરવા પોતાની વિદેશનીતિનો આધાર બનાવ્યો છે. તેને ઘણીવાર ભારતની રણનીતિ સ્વયત્તતા પર શંકા પેદા થઈ છે. આ સંબંધોથી બંને દેશો પોતાના વૈશ્વિક પ્રયત્નોમાં લાભ થયો છે. ભારતને આઈસીટી (મહત્વપૂર્ણ અને ઉભરતી થયેલી પ્રૌદ્યોગિકી પર પહેલ), અમેરિકી હથિયારો અને ઈન્વેસ્ટથી પણ લાભ થયો. આક્રમ ચીનને રોકવા માટે ઈંડો-પેસિફિકમાં પોતાની રણનીતિને આગળ વદારવામાં અમેરિકા પાસે એક મજબૂત પાર્ટનર છે.

ભારત-યુએસ સંબંધોમાં અવરોધો
ભારત-યુએસ સંબંધોમાં અવરોધો (AP)

ડો. જયશંકરે પોતાની પુસ્તક પર ચર્ચામાં કહ્યું, આજે અમારી બહુધ્રુવીયતાને વધારવા માટે અમેરિકાને વધારવા માટે અમેરિકા આવકાર્ય છે, જો અમને નિર્ણય લેવાની સ્વતંત્રતા જોઈએ છે, તો અમે એવા દેશોની જરૂરિયાત છીએ, જેના હિત આ વાતમાં હોય કે અમારા પક્ષમાં આ અંતર હોય. રક્ષા, અંતરિક્ષ અને સેમી કંડક્ટરમાં વધતા સહયોગ ફક્ત આ સંદેશ આપે છે જે કે બંને રાષ્ટ્રોના વિચાર પહેલા ક્યારેય આટલા સમાન નથી રહ્યા.

વડાપ્રધાન મોદીની યુક્રેન અને પોલેન્ડ યાત્રા પર બિડેને વિશેષ ટિપ્પણી કરી. અમેરિકાને ખબર છે કે જો તે યુક્રેન યુદ્ધને ખત્મ કરવાનો નિર્ણય કરે છે, તો તેને જેલેન્સકીની જીતના કોઈ પણ દાવાને નજરઅંદાજ કરતા વાતચીતને આગળ વધારવા માટે ભારતની તરફ વળવું હશે. ભારત અમેરિકા અને અને રુસ સાથે સાથે રુસના અને યુક્રેનની વચ્ચે એક માત્ર વિસ્વાસપાત્ર માધ્યમ બનેલું છે.

ભારત-યુએસ સંબંધોમાં અવરોધો
ભારત-યુએસ સંબંધોમાં અવરોધો (AP)

મોસ્કો સાથે નવી દિલ્હીના સંબંધો પર ભારત અને યુએસ વચ્ચેના મતભેદો એક સમયે અવરોધરૂપ હતા. ભારત પર સસ્તું રશિયન ઓઈલ ખરીદીને યુક્રેન યુદ્ધમાં ફંડિંગ કરવાનો આરોપ હતો. આજે, વોશિંગ્ટન દ્વારા સંઘર્ષનો અંત લાવવા માટે આ જ સંબંધનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારત, યુક્રેન અને રશિયાના નેતૃત્વ વચ્ચે નિયમિત બેઠકોના સંકેત આપે છે કે ઉકેલ નક્કી કરવા માટે આગળની દિશામાં પગલા લેવાઈ રહ્યા છે. SCO (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન) અને BRICS+ માં ભારતની સહભાગિતાને શરૂઆતમાં માનવામાં આવતું હતું કે ભારત ચીન અને રશિયામાં યુએસ વિરોધી સંસ્થાઓનું વર્ચસ્વ ધરાવે છે. ઘણાને લાગ્યું કે ભારતે SCO ના સભ્ય બનવાનું બંધ કરવું જોઈએ. હવે આને અલગ રીતે જોવામાં આવી રહ્યું છે. ભારતની હાજરીએ તેમને અમેરિકા કે પશ્ચિમ વિરોધી બનવાથી રોક્યા છે. નિવેદનો સામાન્ય રીતે મૌન હોય છે.

ચીનની આક્રમકતાને નિયંત્રણમાં રાખવા માટે અમેરિકા અને ભારતને એકબીજાની જરૂર છે. ક્વાડની અસરકારકતા ભારત-યુએસ સહકાર પર આધારિત છે. પીએમ મોદીએ ક્વાડને 'વૈશ્વિક ભલાઈ માટેનું બળ' ગણાવ્યું હતું. ચીન જાણે છે કે ક્વાડ તેની સામે સંગઠીત છે. ચાઈના ડેઈલીના તાજેતરના સંપાદકીયમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભારત એશિયા-પેસિફિકમાં તેના હિતોને આગળ ધપાવવા માટે અમેરિકા અને અન્ય સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે કામ કરી રહ્યું છે, જ્યારે બાયડેન અને તેમના સલાહકારો સેક્રેટરી ઑફ સ્ટેટ એન્થોની બ્લિંકન અને સેક્રેટરી ઓફ ડિફેન્સ લોયડ ઓસ્ટિન કદાચ ભારત-યુએસ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે દબાણ કરી રહ્યા છે, તેમના સ્ટાફના એવા સભ્યો છે જેઓ ભારતને દૂર રાખવા અથવા સહાયક જૂથોને પસંદ કરે છે જે ભારતની આંતરિક સંકલનતાને નુકસાન પહોંચાડી શકે છે. શીખ્સ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુનને સુરક્ષા એ એક મુદ્દો છે. પન્નુનની 'કહેવાતી હત્યાનો પ્રયાસ' અને તેના પછીના ભારત સરકાર સામેના કોર્ટ કેસ, જેને દિલ્હી દ્વારા 'બકવાસ' તરીકે ઓળખવામાં આવે છે તે સંબંધોમાં અસ્વસ્થતા વધારે છે.

ભારત-યુએસ સંબંધોમાં અવરોધો
ભારત-યુએસ સંબંધોમાં અવરોધો (AP)

પ્રધાનમંત્રી મોદીના અમેરિકા પહોંચવાના ઠીક પહેલા વ્હાઈટ હાઉસના કર્મચારીઓએ અમેરિકા સિખોના એક પ્રતિનિધિમંડળથી મુલાકાત કરી અને તેમણે અમેરિકી સરકારની સુરક્ષાનું આશ્વાસન આપ્યું હતું. આ સંગઠન ખાલિસ્તાન બનાવવા માટે અલગાવાદી અભિયાનોને સમર્થન કરવા માટે જાણીતું ચે. અમેરિકા સિખ કૉક્સ કમેટીના પ્રીતપાલ સિંહે ટ્વીટ કર્યું, "સિખ અમેરિકીઓની સુર7ામાં પોતાની સતર્કતા માટે અમેરિકી અધિકારીઓનો આભાર. અમે પોતાના સમુદાયની સુરક્ષા માટે અને વધુ કાંઈક કરવાના તેમના આશ્વાસન પર કાયમ રહેશે. સ્વતંત્રતા અને ન્યાયની જીત થવી જોઈએ." યુટોપિયન ખાલિસ્તાન રાજ્યના માટે આંદોલનને અમેરિકી સરકાર દ્વારા આધિકારીક પ્રોત્સાહન અપાયું છે.

ટ્રુડોએ એક વર્ષ પહેલાં નિજ્જરની હત્યામાં ભારતીય સંડોવણીનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ તેમના આરોપોને યુએસએ સમર્થન આપ્યું હતું. મહિનાઓ પહેલા તેના સંભવિત હત્યારાઓની ધરપકડ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી પુરાવાનો એક ટુકડો પણ સામે આવ્યો નથી. ખેડૂતોના આંદોલન માટે મોટા ભાગનું ભંડોળ યુએસ અને કેનેડામાંથી આવ્યું છે. શક્ય છે કે તેમની સરકારો વાકેફ હોય.

ભારત-યુએસ સંબંધોમાં અવરોધો
ભારત-યુએસ સંબંધોમાં અવરોધો (AP)

શીખ અલગતાવાદી ચળવળોને બચાવવા જેવી રસ, ભારતીય મિશન પર હુમલા અને હિંદુ ધર્મસ્થાનોમાં તોડફોડ થયા પછીની તપાસમાં યુએસ સરકારના અધિકારીઓ દ્વારા ક્યારેય દર્શાવવામાં આવી નથી. ભારતે તેના પોતાના CCTV ફૂટેજમાંથી મેળવેલ ગુનેગારોના નામ અને વિગતો પ્રદાન કરી હોવા છતાં, FBI ગયા વર્ષે માર્ચના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પરના હુમલાની 'આક્રમક રીતે તપાસ' કરી રહી છે. તાજેતરના એક કિસ્સામાં, ન્યૂયોર્કમાં સમાન ઘટનાના થોડા દિવસો પછી સેક્રામેન્ટોમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને હિન્દુ વિરોધી નફરત સાથે અપમાનિત કરવામાં આવ્યું હતું. યુએસ અધિકારીઓ અને અમેરિકન શીખ કોકસના સભ્યોની મીટિંગ પછી, યુએસ અને કેનેડા બંનેમાં આ ઘટનાઓ વધી રહી છે. તપાસ કાં તો ધીમી અથવા અસ્તિત્વમાં નથી.

બાંગ્લાદેશની વચગાળાની સરકારના નેતા યુએનજીએના સત્ર દરમિયાન યુ.એસ.ની મુલાકાતે ગયા હતા. સેક્રેટરી ઓફ સ્ટેટ, એન્થોની બ્લિંકન, વિશ્વ બેંકના પ્રમુખ, યુએસ વહીવટીતંત્રના સભ્યો તેમજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સહિત યુએસ સરકારના તમામ મોટા ખેલાડીઓ તેમને મળ્યા હતા. નવી સરકાર લોકશાહી તરફ આગળ વધી રહી હોવાથી તમામે સમર્થન અને સહાયનું વચન આપ્યું હતું.

જ્યારે બ્લિંકને માનવાધિકારના પાલનનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારે દેશમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસા રોકવાનો કોઈ ઉલ્લેખ નહોતો. સંદેશ આપવામાં આવી રહ્યો હતો કે જ્યાં સુધી બાંગ્લાદેશ યુએસની લાઇન તરફ વળશે ત્યાં સુધી યુ.એસ. લઘુમતી વિરોધી હિંસાને અવગણશે. આનાથી ભારત-બાંગ્લાદેશના સંબંધોને નુકસાન થશે પરંતુ તેનાથી અમેરિકાની ચિંતા નથી. તેના પડોશમાં ઇસ્લામિક ઉગ્રવાદીઓના ઉદયની ભારતીય ચિંતાને પણ અવગણવામાં આવી રહી છે. કથિત 'સપ્લાય ચેઇન મુદ્દાઓ' પર યુ.એસ.થી ભારતને નિર્ણાયક કોન્ટ્રાક્ટેડ સાધનોના સપ્લાયમાં વિલંબ થાય છે. અપાચે હેલિકોપ્ટર જેવા કોન્ટ્રાક્ટેડ હાર્ડવેર માટે ભારતની પ્રાથમિકતા પણ નીચે લાવવામાં આવી હતી. ઈરાદો એવો સંદેશ આપવાનો લાગે છે કે જ્યારે નેતૃત્વ યુએસ-ભારત સંબંધોને સુધારવાની ઈચ્છા રાખે છે, તો યુએસ અમલદારશાહીમાં એવા તત્વો છે જેઓ હજુ પણ ભારત અથવા તેના ઈરાદા પર વિશ્વાસ કરતા નથી.

એવું ત્યારે વધી જાય છે જ્યારે અમેરિકાના અંદર તથાકથિત સ્વતંત્ર એજન્સીઓ ભારતના માનવાધિકાર રેકોર્ડ અને લોકતાંત્રિક સાખ પર અનુચિત અને નકલી ચિંતાઓને વર્ણવે છે. આ સ્વિકારવું જોઈએ કે નેતાઓ દ્વારા નજીકના સંબંધ અને સારા સંબંધ બનાવવાની ચાહત છતા, ભારતની રણનૈતિક સ્વાયત્તતાને રોકવાના પ્રયત્નોમાં ઘણા પૈડા લાગેલા છે. તેણે સમાપ્ત કરવું એક પડકાર બની રહેશે કારણ કે ઉચ્ચ પદાનુક્રમ બદલાઈ શકે છે પણ બીજા ત્યાં જ રહેશે.

  1. અમેરિકાની ઐતિહાસિક રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકનો પસંદ કરશે પોતાના મનપસંદ ઉમેદવાર - AMERICAN PRESIDENTIAL ELECTION

વડાપ્રધાન મોદીની હાલની અમેરિકા યાત્રા પછી ભારત-અમેરિકાના સંબંધો પર પૂછાયેલા સવાલ પર, રાષ્ટ્રીય સુરક્ષા સંચાર સલાહકાર જોની કિર્બીએ કહ્યું કે સંબંધ મજબૂત છે અને વધુ મજબૂત થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ બાઈડેને ભારત અંગે વાત કરતા કહ્યું, ભારત કોવીડ 19 મહામારી માટે વૈશ્વિક પ્રતિક્રિયાનું સમર્થન કરવાથી લઈને દુનિયાભરમાં સંઘર્ષોના વિનાશકારી પરિમામોને દૂર કરવા સુધી, સૌથી વધારે દબાણ વાળા પડકારોના સમાધાન શોધવાના પ્રયાસોમાં સૌથી આગળ છે. તેમણે કહ્યું કે ભારત સાથે અમેરિકાના સંબંધ ઈતિહાસમાં કોઈપણ સમયની તુલનામાં સૌથી મજબૂત, ઘનિષ્ઠ અને વધુ ગતિશિલ છે.

પ્રધાનમંત્રી મોદીએ અમેરિકા સાથેના સંબંધોને મજબૂત કરવા પોતાની વિદેશનીતિનો આધાર બનાવ્યો છે. તેને ઘણીવાર ભારતની રણનીતિ સ્વયત્તતા પર શંકા પેદા થઈ છે. આ સંબંધોથી બંને દેશો પોતાના વૈશ્વિક પ્રયત્નોમાં લાભ થયો છે. ભારતને આઈસીટી (મહત્વપૂર્ણ અને ઉભરતી થયેલી પ્રૌદ્યોગિકી પર પહેલ), અમેરિકી હથિયારો અને ઈન્વેસ્ટથી પણ લાભ થયો. આક્રમ ચીનને રોકવા માટે ઈંડો-પેસિફિકમાં પોતાની રણનીતિને આગળ વદારવામાં અમેરિકા પાસે એક મજબૂત પાર્ટનર છે.

ભારત-યુએસ સંબંધોમાં અવરોધો
ભારત-યુએસ સંબંધોમાં અવરોધો (AP)

ડો. જયશંકરે પોતાની પુસ્તક પર ચર્ચામાં કહ્યું, આજે અમારી બહુધ્રુવીયતાને વધારવા માટે અમેરિકાને વધારવા માટે અમેરિકા આવકાર્ય છે, જો અમને નિર્ણય લેવાની સ્વતંત્રતા જોઈએ છે, તો અમે એવા દેશોની જરૂરિયાત છીએ, જેના હિત આ વાતમાં હોય કે અમારા પક્ષમાં આ અંતર હોય. રક્ષા, અંતરિક્ષ અને સેમી કંડક્ટરમાં વધતા સહયોગ ફક્ત આ સંદેશ આપે છે જે કે બંને રાષ્ટ્રોના વિચાર પહેલા ક્યારેય આટલા સમાન નથી રહ્યા.

વડાપ્રધાન મોદીની યુક્રેન અને પોલેન્ડ યાત્રા પર બિડેને વિશેષ ટિપ્પણી કરી. અમેરિકાને ખબર છે કે જો તે યુક્રેન યુદ્ધને ખત્મ કરવાનો નિર્ણય કરે છે, તો તેને જેલેન્સકીની જીતના કોઈ પણ દાવાને નજરઅંદાજ કરતા વાતચીતને આગળ વધારવા માટે ભારતની તરફ વળવું હશે. ભારત અમેરિકા અને અને રુસ સાથે સાથે રુસના અને યુક્રેનની વચ્ચે એક માત્ર વિસ્વાસપાત્ર માધ્યમ બનેલું છે.

ભારત-યુએસ સંબંધોમાં અવરોધો
ભારત-યુએસ સંબંધોમાં અવરોધો (AP)

મોસ્કો સાથે નવી દિલ્હીના સંબંધો પર ભારત અને યુએસ વચ્ચેના મતભેદો એક સમયે અવરોધરૂપ હતા. ભારત પર સસ્તું રશિયન ઓઈલ ખરીદીને યુક્રેન યુદ્ધમાં ફંડિંગ કરવાનો આરોપ હતો. આજે, વોશિંગ્ટન દ્વારા સંઘર્ષનો અંત લાવવા માટે આ જ સંબંધનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારત, યુક્રેન અને રશિયાના નેતૃત્વ વચ્ચે નિયમિત બેઠકોના સંકેત આપે છે કે ઉકેલ નક્કી કરવા માટે આગળની દિશામાં પગલા લેવાઈ રહ્યા છે. SCO (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન) અને BRICS+ માં ભારતની સહભાગિતાને શરૂઆતમાં માનવામાં આવતું હતું કે ભારત ચીન અને રશિયામાં યુએસ વિરોધી સંસ્થાઓનું વર્ચસ્વ ધરાવે છે. ઘણાને લાગ્યું કે ભારતે SCO ના સભ્ય બનવાનું બંધ કરવું જોઈએ. હવે આને અલગ રીતે જોવામાં આવી રહ્યું છે. ભારતની હાજરીએ તેમને અમેરિકા કે પશ્ચિમ વિરોધી બનવાથી રોક્યા છે. નિવેદનો સામાન્ય રીતે મૌન હોય છે.

ચીનની આક્રમકતાને નિયંત્રણમાં રાખવા માટે અમેરિકા અને ભારતને એકબીજાની જરૂર છે. ક્વાડની અસરકારકતા ભારત-યુએસ સહકાર પર આધારિત છે. પીએમ મોદીએ ક્વાડને 'વૈશ્વિક ભલાઈ માટેનું બળ' ગણાવ્યું હતું. ચીન જાણે છે કે ક્વાડ તેની સામે સંગઠીત છે. ચાઈના ડેઈલીના તાજેતરના સંપાદકીયમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભારત એશિયા-પેસિફિકમાં તેના હિતોને આગળ ધપાવવા માટે અમેરિકા અને અન્ય સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે કામ કરી રહ્યું છે, જ્યારે બાયડેન અને તેમના સલાહકારો સેક્રેટરી ઑફ સ્ટેટ એન્થોની બ્લિંકન અને સેક્રેટરી ઓફ ડિફેન્સ લોયડ ઓસ્ટિન કદાચ ભારત-યુએસ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે દબાણ કરી રહ્યા છે, તેમના સ્ટાફના એવા સભ્યો છે જેઓ ભારતને દૂર રાખવા અથવા સહાયક જૂથોને પસંદ કરે છે જે ભારતની આંતરિક સંકલનતાને નુકસાન પહોંચાડી શકે છે. શીખ્સ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુનને સુરક્ષા એ એક મુદ્દો છે. પન્નુનની 'કહેવાતી હત્યાનો પ્રયાસ' અને તેના પછીના ભારત સરકાર સામેના કોર્ટ કેસ, જેને દિલ્હી દ્વારા 'બકવાસ' તરીકે ઓળખવામાં આવે છે તે સંબંધોમાં અસ્વસ્થતા વધારે છે.

ભારત-યુએસ સંબંધોમાં અવરોધો
ભારત-યુએસ સંબંધોમાં અવરોધો (AP)

પ્રધાનમંત્રી મોદીના અમેરિકા પહોંચવાના ઠીક પહેલા વ્હાઈટ હાઉસના કર્મચારીઓએ અમેરિકા સિખોના એક પ્રતિનિધિમંડળથી મુલાકાત કરી અને તેમણે અમેરિકી સરકારની સુરક્ષાનું આશ્વાસન આપ્યું હતું. આ સંગઠન ખાલિસ્તાન બનાવવા માટે અલગાવાદી અભિયાનોને સમર્થન કરવા માટે જાણીતું ચે. અમેરિકા સિખ કૉક્સ કમેટીના પ્રીતપાલ સિંહે ટ્વીટ કર્યું, "સિખ અમેરિકીઓની સુર7ામાં પોતાની સતર્કતા માટે અમેરિકી અધિકારીઓનો આભાર. અમે પોતાના સમુદાયની સુરક્ષા માટે અને વધુ કાંઈક કરવાના તેમના આશ્વાસન પર કાયમ રહેશે. સ્વતંત્રતા અને ન્યાયની જીત થવી જોઈએ." યુટોપિયન ખાલિસ્તાન રાજ્યના માટે આંદોલનને અમેરિકી સરકાર દ્વારા આધિકારીક પ્રોત્સાહન અપાયું છે.

ટ્રુડોએ એક વર્ષ પહેલાં નિજ્જરની હત્યામાં ભારતીય સંડોવણીનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ તેમના આરોપોને યુએસએ સમર્થન આપ્યું હતું. મહિનાઓ પહેલા તેના સંભવિત હત્યારાઓની ધરપકડ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી પુરાવાનો એક ટુકડો પણ સામે આવ્યો નથી. ખેડૂતોના આંદોલન માટે મોટા ભાગનું ભંડોળ યુએસ અને કેનેડામાંથી આવ્યું છે. શક્ય છે કે તેમની સરકારો વાકેફ હોય.

ભારત-યુએસ સંબંધોમાં અવરોધો
ભારત-યુએસ સંબંધોમાં અવરોધો (AP)

શીખ અલગતાવાદી ચળવળોને બચાવવા જેવી રસ, ભારતીય મિશન પર હુમલા અને હિંદુ ધર્મસ્થાનોમાં તોડફોડ થયા પછીની તપાસમાં યુએસ સરકારના અધિકારીઓ દ્વારા ક્યારેય દર્શાવવામાં આવી નથી. ભારતે તેના પોતાના CCTV ફૂટેજમાંથી મેળવેલ ગુનેગારોના નામ અને વિગતો પ્રદાન કરી હોવા છતાં, FBI ગયા વર્ષે માર્ચના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પરના હુમલાની 'આક્રમક રીતે તપાસ' કરી રહી છે. તાજેતરના એક કિસ્સામાં, ન્યૂયોર્કમાં સમાન ઘટનાના થોડા દિવસો પછી સેક્રામેન્ટોમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને હિન્દુ વિરોધી નફરત સાથે અપમાનિત કરવામાં આવ્યું હતું. યુએસ અધિકારીઓ અને અમેરિકન શીખ કોકસના સભ્યોની મીટિંગ પછી, યુએસ અને કેનેડા બંનેમાં આ ઘટનાઓ વધી રહી છે. તપાસ કાં તો ધીમી અથવા અસ્તિત્વમાં નથી.

બાંગ્લાદેશની વચગાળાની સરકારના નેતા યુએનજીએના સત્ર દરમિયાન યુ.એસ.ની મુલાકાતે ગયા હતા. સેક્રેટરી ઓફ સ્ટેટ, એન્થોની બ્લિંકન, વિશ્વ બેંકના પ્રમુખ, યુએસ વહીવટીતંત્રના સભ્યો તેમજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સહિત યુએસ સરકારના તમામ મોટા ખેલાડીઓ તેમને મળ્યા હતા. નવી સરકાર લોકશાહી તરફ આગળ વધી રહી હોવાથી તમામે સમર્થન અને સહાયનું વચન આપ્યું હતું.

જ્યારે બ્લિંકને માનવાધિકારના પાલનનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારે દેશમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસા રોકવાનો કોઈ ઉલ્લેખ નહોતો. સંદેશ આપવામાં આવી રહ્યો હતો કે જ્યાં સુધી બાંગ્લાદેશ યુએસની લાઇન તરફ વળશે ત્યાં સુધી યુ.એસ. લઘુમતી વિરોધી હિંસાને અવગણશે. આનાથી ભારત-બાંગ્લાદેશના સંબંધોને નુકસાન થશે પરંતુ તેનાથી અમેરિકાની ચિંતા નથી. તેના પડોશમાં ઇસ્લામિક ઉગ્રવાદીઓના ઉદયની ભારતીય ચિંતાને પણ અવગણવામાં આવી રહી છે. કથિત 'સપ્લાય ચેઇન મુદ્દાઓ' પર યુ.એસ.થી ભારતને નિર્ણાયક કોન્ટ્રાક્ટેડ સાધનોના સપ્લાયમાં વિલંબ થાય છે. અપાચે હેલિકોપ્ટર જેવા કોન્ટ્રાક્ટેડ હાર્ડવેર માટે ભારતની પ્રાથમિકતા પણ નીચે લાવવામાં આવી હતી. ઈરાદો એવો સંદેશ આપવાનો લાગે છે કે જ્યારે નેતૃત્વ યુએસ-ભારત સંબંધોને સુધારવાની ઈચ્છા રાખે છે, તો યુએસ અમલદારશાહીમાં એવા તત્વો છે જેઓ હજુ પણ ભારત અથવા તેના ઈરાદા પર વિશ્વાસ કરતા નથી.

એવું ત્યારે વધી જાય છે જ્યારે અમેરિકાના અંદર તથાકથિત સ્વતંત્ર એજન્સીઓ ભારતના માનવાધિકાર રેકોર્ડ અને લોકતાંત્રિક સાખ પર અનુચિત અને નકલી ચિંતાઓને વર્ણવે છે. આ સ્વિકારવું જોઈએ કે નેતાઓ દ્વારા નજીકના સંબંધ અને સારા સંબંધ બનાવવાની ચાહત છતા, ભારતની રણનૈતિક સ્વાયત્તતાને રોકવાના પ્રયત્નોમાં ઘણા પૈડા લાગેલા છે. તેણે સમાપ્ત કરવું એક પડકાર બની રહેશે કારણ કે ઉચ્ચ પદાનુક્રમ બદલાઈ શકે છે પણ બીજા ત્યાં જ રહેશે.

  1. અમેરિકાની ઐતિહાસિક રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકનો પસંદ કરશે પોતાના મનપસંદ ઉમેદવાર - AMERICAN PRESIDENTIAL ELECTION
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.