ETV Bharat / entertainment

અમદાવાદમાં ફિલ્મ “એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, ફિલ્મ 19મી જુલાઈએ રિલીઝ થશે - ACCIDENT OR CONSPIRACY GODHRA

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 12, 2024, 2:37 PM IST

અમદાવાદમાં 22 વર્ષ પહેલા થયેલ ટ્રેન દુર્ધટના અંગે નિર્દેશક એમકે શિવાક્ષ અને નિર્માતા બી.જે. પુરોહિત દ્વારા "એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા" ફિલ્મ સિનેમાઘરોમાં આવા જઈ રહી છે, આ ફિલ્મ 19 તારીખે રીલીઝ થશે. આ અંગે આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જાણો વધુ આ ફિલ્મ વિશે...

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
અમદાવાદમાં ફિલ્મ “એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
અમદાવાદમાં ફિલ્મ “એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ (ETV Bharat Gujarat)

અમદાવાદ: આખો દેશ આજે પણ સાબરમતી ટ્રેન દુર્ઘટનાની પીડા અનુભવે છે, પરંતુ નિર્દોષ લોકોના મોતની અવિસ્મરણીય દુઃખદ યાદો 22 વર્ષ પછી આજે પણ લોકોના મનમાં તાજી છે. આ સંદર્ભે યોજાવનાર પ્રેસ કોન્સફરન્સમાં રણવીર શૌરી અભિનીત " એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા" ના મુખ્ય કલાકારો હિતુ કનોડિયા, ડેનિશા ઘુમરા, અક્ષિતા નામદેવ, નિર્દેશક એમકે શિવાક્ષ અને નિર્માતા બી.જે. પુરોહિત હાજર હતા. ગોધરા અકસ્માતમાં ગુજરાત સરકારના વકીલ રાજેન્દ્ર તિવારી પણ હાજર હતા અને આ ફિલ્મમાં તેમણે પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ કોઈ પણ પ્રકારના પ્રચાર વિના આ દર્દનાક ઘટનાનું સત્ય હિંમતપૂર્વક રજૂ કરે છે.

અમદાવાદમાં ફિલ્મ “એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ (ETV Bharat Gujarat)

મોટા પડદા પર સત્ય જોઈ શકાશે: 22 વર્ષ પહેલા ગુજરાતના ગોધરામાં થયેલ સાબરમતી ટ્રેન દુર્ઘટના અકસ્માત હતો કે સુનિયોજિત કાવતરું, આ ફિલ્મ દ્વારા આપણે મોટા પડદા પર સત્ય જોઈ શકીશું. ઓમ ત્રિનેત્ર ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન એમકે શિવાક્ષે કર્યું છે. બી.જે પુરોહિત દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રણવીર શૌરી ઉપરાંત અક્ષિતા નામદેવ, મનોજ જોશી, હિતુ કનોડિયા, ગુલશન પાંડે અને ડેનિશા ઘુમરા પણ નજરે આવશે. આ ફિલ્મ 19 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ જઈ રહી છે.

અમદાવાદમાં ફિલ્મ “એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ (ETV Bharat Gujarat)

નિર્માતા બી.જે પુરોહિત કહે છે કે, "આ ર્ઘટનાના સૌથી મોટા સાક્ષી ગુજરાતના લોકો છે. આ ફિલ્મ દ્વારા દર્શકો હવે 19મી જુલાઈના રોજ દેશભરમાં એકસાથે રિલીઝ થનારી “એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” જોઈ શકશે. અભિનેતા હિતુ કનોડિયા કહ્યું કે, "ફિલ્મના ખાનગી સ્ક્રીનિંગ વખતે દર્શકો રડ્યા હતા. અમને બધાને લાગે છે કે આ ફિલ્મની સૌથી મોટી સફળતા છે."

અમદાવાદમાં ફિલ્મ “એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ (ETV Bharat Gujarat)

આ ફિલ્મ ભયાનક ટ્રેન હુમલાની ઊંડાણપૂર્વક તપાસ: તેમણે વધુમાં જણાવ્યું કે, ગોધરામાં સાબરમતી ટ્રેનના 59 નિર્દોષ કર્મચારીઓની હત્યા પર માત્ર રાજકારણ જ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દ્વારા જનતાને સત્ય જોવા મળશે. ફિલ્મ “એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” એક એવી ફિલ્મ છે જે ભયાનક ટ્રેન હુમલાની ઊંડાણપૂર્વક તપાસ કરે છે, જે પ્રેક્ષકોને ક્યારેય ન્યાય ન મળ્યો હોય તેવા દુ:ખદ ભૂતકાળ વિશે વિચારવા માટે મજબૂર કરે છે.

અમદાવાદમાં ફિલ્મ “એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ (ETV Bharat Gujarat)

ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું: આ ફિલ્મનું ટીઝર આવતા જ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. સેન્સર સંબંધિત વિવિધ અવરોધોને કારણે પણ આ ફિલ્મ હેડલાઇન્સમાં રહી છે. નિર્માતાઓએ સેન્સર બોર્ડ દ્વારા વિવિધ તબક્કામાં પરીક્ષણો કરવા માટે લાંબી રાહ જોવી પડી હતી. આ ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું છે અને તે 19 જુલાઈના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હિન્દીની સાથે સાથે આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થશે. આજે આ ફિલ્મ અંગે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

  1. જુઓ અરિજિત સિંહનો ક્રેઝ, આરોપી તરીકે કોર્ટમાં પહોંચ્યા, પરંતુ જજે પણ સેલ્ફી લેવાનું શરૂ કરી દીધું - ARIJIT SINGH APPEARS IN COURT
  2. 'આયે હમ બારાતી...' આજે બપોરે 3 વાગ્યે અનંત અંબાણી જાન લઈને નીકળશે, રાત્રે 8 વાગ્યે હસ્તમેળાપ , જાણો શું હશે ડ્રેસ કોડ... - Anant Radhika Wedding Updates

અમદાવાદમાં ફિલ્મ “એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
અમદાવાદમાં ફિલ્મ “એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ (ETV Bharat Gujarat)

અમદાવાદ: આખો દેશ આજે પણ સાબરમતી ટ્રેન દુર્ઘટનાની પીડા અનુભવે છે, પરંતુ નિર્દોષ લોકોના મોતની અવિસ્મરણીય દુઃખદ યાદો 22 વર્ષ પછી આજે પણ લોકોના મનમાં તાજી છે. આ સંદર્ભે યોજાવનાર પ્રેસ કોન્સફરન્સમાં રણવીર શૌરી અભિનીત " એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા" ના મુખ્ય કલાકારો હિતુ કનોડિયા, ડેનિશા ઘુમરા, અક્ષિતા નામદેવ, નિર્દેશક એમકે શિવાક્ષ અને નિર્માતા બી.જે. પુરોહિત હાજર હતા. ગોધરા અકસ્માતમાં ગુજરાત સરકારના વકીલ રાજેન્દ્ર તિવારી પણ હાજર હતા અને આ ફિલ્મમાં તેમણે પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ કોઈ પણ પ્રકારના પ્રચાર વિના આ દર્દનાક ઘટનાનું સત્ય હિંમતપૂર્વક રજૂ કરે છે.

અમદાવાદમાં ફિલ્મ “એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ (ETV Bharat Gujarat)

મોટા પડદા પર સત્ય જોઈ શકાશે: 22 વર્ષ પહેલા ગુજરાતના ગોધરામાં થયેલ સાબરમતી ટ્રેન દુર્ઘટના અકસ્માત હતો કે સુનિયોજિત કાવતરું, આ ફિલ્મ દ્વારા આપણે મોટા પડદા પર સત્ય જોઈ શકીશું. ઓમ ત્રિનેત્ર ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન એમકે શિવાક્ષે કર્યું છે. બી.જે પુરોહિત દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રણવીર શૌરી ઉપરાંત અક્ષિતા નામદેવ, મનોજ જોશી, હિતુ કનોડિયા, ગુલશન પાંડે અને ડેનિશા ઘુમરા પણ નજરે આવશે. આ ફિલ્મ 19 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ જઈ રહી છે.

અમદાવાદમાં ફિલ્મ “એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ (ETV Bharat Gujarat)

નિર્માતા બી.જે પુરોહિત કહે છે કે, "આ ર્ઘટનાના સૌથી મોટા સાક્ષી ગુજરાતના લોકો છે. આ ફિલ્મ દ્વારા દર્શકો હવે 19મી જુલાઈના રોજ દેશભરમાં એકસાથે રિલીઝ થનારી “એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” જોઈ શકશે. અભિનેતા હિતુ કનોડિયા કહ્યું કે, "ફિલ્મના ખાનગી સ્ક્રીનિંગ વખતે દર્શકો રડ્યા હતા. અમને બધાને લાગે છે કે આ ફિલ્મની સૌથી મોટી સફળતા છે."

અમદાવાદમાં ફિલ્મ “એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ (ETV Bharat Gujarat)

આ ફિલ્મ ભયાનક ટ્રેન હુમલાની ઊંડાણપૂર્વક તપાસ: તેમણે વધુમાં જણાવ્યું કે, ગોધરામાં સાબરમતી ટ્રેનના 59 નિર્દોષ કર્મચારીઓની હત્યા પર માત્ર રાજકારણ જ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દ્વારા જનતાને સત્ય જોવા મળશે. ફિલ્મ “એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” એક એવી ફિલ્મ છે જે ભયાનક ટ્રેન હુમલાની ઊંડાણપૂર્વક તપાસ કરે છે, જે પ્રેક્ષકોને ક્યારેય ન્યાય ન મળ્યો હોય તેવા દુ:ખદ ભૂતકાળ વિશે વિચારવા માટે મજબૂર કરે છે.

અમદાવાદમાં ફિલ્મ “એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ (ETV Bharat Gujarat)

ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું: આ ફિલ્મનું ટીઝર આવતા જ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. સેન્સર સંબંધિત વિવિધ અવરોધોને કારણે પણ આ ફિલ્મ હેડલાઇન્સમાં રહી છે. નિર્માતાઓએ સેન્સર બોર્ડ દ્વારા વિવિધ તબક્કામાં પરીક્ષણો કરવા માટે લાંબી રાહ જોવી પડી હતી. આ ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું છે અને તે 19 જુલાઈના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હિન્દીની સાથે સાથે આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થશે. આજે આ ફિલ્મ અંગે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

  1. જુઓ અરિજિત સિંહનો ક્રેઝ, આરોપી તરીકે કોર્ટમાં પહોંચ્યા, પરંતુ જજે પણ સેલ્ફી લેવાનું શરૂ કરી દીધું - ARIJIT SINGH APPEARS IN COURT
  2. 'આયે હમ બારાતી...' આજે બપોરે 3 વાગ્યે અનંત અંબાણી જાન લઈને નીકળશે, રાત્રે 8 વાગ્યે હસ્તમેળાપ , જાણો શું હશે ડ્રેસ કોડ... - Anant Radhika Wedding Updates
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.