ETV Bharat / bharat

Aditya Thackeray's advice : રાહુલ ગાંધીને સલાહ આપતા આદિત્ય ઠાકરેએ કહ્યું, ભાજપમાં જોડાઈ જાવ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 18, 2024, 12:24 PM IST

મહારાષ્ટ્રમાં એક જાહેર સભા દરમિયાન આદિત્ય ઠાકરેએ રાહુલ ગાંધીને ભાજપમાં જોડાવાની સલાહ આપી હતી. આ તકે સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું, ભાજપે નવું સૂત્ર શરૂ કર્યું છે 'દાગ અચ્છે છે, વોશિંગ પાવડર ભાજપ'. બધા ભ્રષ્ટ લોકો ભાજપમાં છે.

રાહુલ ગાંધીને આદિત્ય ઠાકરની સલાહ
રાહુલ ગાંધીને આદિત્ય ઠાકરની સલાહ

મુંબઈ : લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટા શરૂ થઈ ગયા છે. હાલમાં ભાજપમાં જોરદાર ઇનકમિંગ ચાલી રહ્યું છે. રાજ્યમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા છે. તેમજ એવી પણ ચર્ચા છે કે દેશના ઘણા કોંગ્રેસી નેતાઓ ભાજપના સંપર્કમાં છે. આ ઇનકમિંગ પર ભાજપની ભારે ટીકા થઈ રહી છે. હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને પણ ભાજપમાં જોડાવાની સલાહ આપવામાં આવી છે.

આદિત્ય ઠાકરેની જાહેર સભા : આદિત્ય ઠાકરેએ શનિવારના રોજ મહાનિષ્ઠા, મહાનયાયા, મહારાષ્ટ્ર અભિયાન હેઠળ રાજ્યના લોકોનો સંપર્ક કર્યો હતો. આદિત્ય ઠાકરેએ સરકારની ટીકા કરતાં કહ્યું છે કે ગદ્દાર અને બાપચોરની છાપ ક્યારેય ભૂંસાશે નહીં. ઉપરાંત આદિત્ય ઠાકરેએ એવી સલાહ પણ આપી હતી કે, રાહુલ ગાંધીએ પણ ભાજપમાં જોડાવું જોઈએ.

રાહુલ ગાંધીને ઠાકરેની સલાહ : જાહેર સભાને સંબોધતા આદિત્ય ઠાકરેએ કહ્યું, મને ભાજપના કાર્યકર્તાઓ માટે ખરાબ લાગે છે, કારણ કે હવે જે નેતાઓને હોદ્દો આપવામાં આવ્યો છે તેમાંથી ઘણા બહારના છે. હું રાહુલ ગાંધીને સલાહ આપીશ કે જો તમે વડાપ્રધાન બનવા માંગતા હોવ તો ભાજપમાં જોડાઈ જાઓ. કારણ કે ત્યાં બધા કોંગ્રેસીઓ છે. હવે ભાજપે નવું સૂત્ર શરૂ કર્યું છે 'દાગ અચ્છે છે, વોશિંગ પાવડર ભાજપ'. બધા ભ્રષ્ટ લોકો ભાજપમાં છે.

સરકાર પર ચાબખા : આ બેઠકમાં હાજર શિવસૈનિકોને સંબોધતા આદિત્ય ઠાકરેએ રાજ્ય સરકારની ટીકા કરી હતી. આદિત્ય ઠાકરેએ સરકારની ટીકા કરતાં કહ્યું કે, વર્તમાન સરકાર માત્ર ઈતિહાસમાં જે બન્યું તેમાં જ અટવાઈ ગઈ છે. પરંતુ અમે લોકો ભવિષ્ય પર કામ કરી રહ્યા છીએ. વર્તમાન સરકાર દ્વારા તમામ ઉદ્યોગોને ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યા છે. ચૂંટણીઓ આવે ત્યારે જ સૂત્રો બદલાય છે, કામ પૂરું થતું નથી.

  1. Rahul Gandhi In Wayanad: રાહુલ ગાંધી વારાણસીમાં ભારત જોડો ન્યાય યાત્રા છોડીને વાયનાડ ગયા, જાણો કારણ
  2. Rahul Gandhi In Varansi : વારાણસીમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા, કાશી વિશ્વનાથ મંદિરના મહંતને મળી ધર્મની વાત કરી

મુંબઈ : લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટા શરૂ થઈ ગયા છે. હાલમાં ભાજપમાં જોરદાર ઇનકમિંગ ચાલી રહ્યું છે. રાજ્યમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા છે. તેમજ એવી પણ ચર્ચા છે કે દેશના ઘણા કોંગ્રેસી નેતાઓ ભાજપના સંપર્કમાં છે. આ ઇનકમિંગ પર ભાજપની ભારે ટીકા થઈ રહી છે. હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને પણ ભાજપમાં જોડાવાની સલાહ આપવામાં આવી છે.

આદિત્ય ઠાકરેની જાહેર સભા : આદિત્ય ઠાકરેએ શનિવારના રોજ મહાનિષ્ઠા, મહાનયાયા, મહારાષ્ટ્ર અભિયાન હેઠળ રાજ્યના લોકોનો સંપર્ક કર્યો હતો. આદિત્ય ઠાકરેએ સરકારની ટીકા કરતાં કહ્યું છે કે ગદ્દાર અને બાપચોરની છાપ ક્યારેય ભૂંસાશે નહીં. ઉપરાંત આદિત્ય ઠાકરેએ એવી સલાહ પણ આપી હતી કે, રાહુલ ગાંધીએ પણ ભાજપમાં જોડાવું જોઈએ.

રાહુલ ગાંધીને ઠાકરેની સલાહ : જાહેર સભાને સંબોધતા આદિત્ય ઠાકરેએ કહ્યું, મને ભાજપના કાર્યકર્તાઓ માટે ખરાબ લાગે છે, કારણ કે હવે જે નેતાઓને હોદ્દો આપવામાં આવ્યો છે તેમાંથી ઘણા બહારના છે. હું રાહુલ ગાંધીને સલાહ આપીશ કે જો તમે વડાપ્રધાન બનવા માંગતા હોવ તો ભાજપમાં જોડાઈ જાઓ. કારણ કે ત્યાં બધા કોંગ્રેસીઓ છે. હવે ભાજપે નવું સૂત્ર શરૂ કર્યું છે 'દાગ અચ્છે છે, વોશિંગ પાવડર ભાજપ'. બધા ભ્રષ્ટ લોકો ભાજપમાં છે.

સરકાર પર ચાબખા : આ બેઠકમાં હાજર શિવસૈનિકોને સંબોધતા આદિત્ય ઠાકરેએ રાજ્ય સરકારની ટીકા કરી હતી. આદિત્ય ઠાકરેએ સરકારની ટીકા કરતાં કહ્યું કે, વર્તમાન સરકાર માત્ર ઈતિહાસમાં જે બન્યું તેમાં જ અટવાઈ ગઈ છે. પરંતુ અમે લોકો ભવિષ્ય પર કામ કરી રહ્યા છીએ. વર્તમાન સરકાર દ્વારા તમામ ઉદ્યોગોને ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યા છે. ચૂંટણીઓ આવે ત્યારે જ સૂત્રો બદલાય છે, કામ પૂરું થતું નથી.

  1. Rahul Gandhi In Wayanad: રાહુલ ગાંધી વારાણસીમાં ભારત જોડો ન્યાય યાત્રા છોડીને વાયનાડ ગયા, જાણો કારણ
  2. Rahul Gandhi In Varansi : વારાણસીમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા, કાશી વિશ્વનાથ મંદિરના મહંતને મળી ધર્મની વાત કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.