ETV Bharat / bharat

બિહારના પૂર્વ મંત્રી મુકેશ સહનીના પિતાની ક્રૂર હત્યા, વિકૃત હાલતમાં મળી લાશ, SITને સોંપાઈ તપાસ - Mukesh Sahani Father Killed

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 10:18 AM IST

Updated : Jul 16, 2024, 10:57 AM IST

બિહારના પૂર્વ મંત્રી મુકેશ સહનીના પિતાની હત્યા કરવામાં આવી છે. તેમનો મૃતદેહ દરભંગા સ્થિત તેમના ઘરમાંથી વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. Mukesh Sahani Father Killed

બિહારમાં હત્યાની ઘટનાની હાહાકાર
બિહારમાં હત્યાની ઘટનાની હાહાકાર (બિહારમાં હત્યાની ઘટનાની હાહાકાર)

દરભંગાઃ પૂર્વ મંત્રી અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીના અધ્યક્ષ મુકેશ સહનીના પિતાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના દરભંગામાં તેમના ઘરમાં બની છે અને તેમનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો છે. હવે આ મામલે બિહારનું રાજકારણ ગરમાયું છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉભા થઈ રહ્યાં છે ત્યારે આ મામલે SITની રચના કરવામાં આવી છે.

SSPએ શું કહ્યું?: દરભંગાના SSP જગુનાથ રેડ્ડીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે પૂર્વ મંત્રી મુકેશ સહનીના દરભંગાના સુપૌલ બજાર સ્થિત અફઝલા પંચાયતમાં આવેલું છે. તેમના પિતા જીતન સહનીની ઘરમાં જ ઘાતકી હત્યા કરવામાં આવી છે. તેમની ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે બિરૌલ પોલીસ સ્ટેશનના એસડીપીઓ મનીષ ચંદ્ર ચૌધરી સાથે ઘટનાસ્થળે પહોંચીને આ મામલાની તપાસ શરૂ કરી છે.

"પ્રથમ દૃષ્ટિએ, આ હત્યાનો મામલો છે. મૃતક જીતન સાહની તેમના ઘરે સૂતા હતા. જ્યારે ચોરીના ઇરાદે ઘરમાં ઘૂસેલા ગુનેગારોએ જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને તેની હત્યા કરી. ઘરમાં વસ્તુઓ વેરવિખેર પડી હતી."- મનીષ ચંદ્ર ચૌધરી, SDPO

પરિવારમાં કોણ છે?: કહેવાય છે કે પૂર્વ મંત્રી મુકેશ સહનીને બે ભાઈ અને એક બહેન છે. મુકેશ સહની અને તેમના ભાઈ સંતોષ સહની બહાર રહે છે, જ્યારે તેમની બહેન પરિણીત છે અને મુંબઈમાં તેના સાસરિયાઓ સાથે રહે છે. મુકેશ સહની પણ મુંબઈથી દરભંગા જવા રવાના થઈ ગયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઘટના સમયે મુકેશ સાહનીના પિતા જીતન સહની ઘરમાં એકલા હતા.

મુકેશ સહની
મુકેશ સહની (Etv Bharat)

કોણ છે મુકેશ સહનીઃ બિહારના રાજકારણમાં મુકેશ સહની ખૂબ જ ઝડપથી ઉભરી આવ્યા છે. તેઓ વિકાસશીલ ઇન્સાન પાર્ટીના પ્રમુખ છે. 2020ની ચૂંટણી બાદ બિહારમાં નીતિશ કુમારની સરકાર બની ત્યારે તેમને પશુપાલન અને મત્સ્ય વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા. જોકે, બાદમાં ભાજપ સાથે મતભેદ થતાં તેઓ એનડીએથી અલગ થઈ ગયા હતા. તેઓ બિહાર વિધાન પરિષદના સભ્ય પણ રહી ચૂક્યા છે. નિષાદ સમુદાયમાંથી આવતા મુકેશ સાહની પોતાને 'સન ઓફ મલ્લાહ' કહે છે. રાજ્યમાં મલ્લાહ (નિષાદ) સમુદાય લગભગ 12 ટકા છે.

મુકેશ સહનીના પિતા જીતન સહનીની હત્યાએ બિહારના રાજકારણમાં ચકચાર મચાવી દીધી છે, વિવિધ પાર્ટીના નેતાઓએ તેમના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો છે અને ઘટનાને ખુબજ દુ:ખદ ગણાવી છે.

દરભંગાઃ પૂર્વ મંત્રી અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીના અધ્યક્ષ મુકેશ સહનીના પિતાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના દરભંગામાં તેમના ઘરમાં બની છે અને તેમનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો છે. હવે આ મામલે બિહારનું રાજકારણ ગરમાયું છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉભા થઈ રહ્યાં છે ત્યારે આ મામલે SITની રચના કરવામાં આવી છે.

SSPએ શું કહ્યું?: દરભંગાના SSP જગુનાથ રેડ્ડીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે પૂર્વ મંત્રી મુકેશ સહનીના દરભંગાના સુપૌલ બજાર સ્થિત અફઝલા પંચાયતમાં આવેલું છે. તેમના પિતા જીતન સહનીની ઘરમાં જ ઘાતકી હત્યા કરવામાં આવી છે. તેમની ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે બિરૌલ પોલીસ સ્ટેશનના એસડીપીઓ મનીષ ચંદ્ર ચૌધરી સાથે ઘટનાસ્થળે પહોંચીને આ મામલાની તપાસ શરૂ કરી છે.

"પ્રથમ દૃષ્ટિએ, આ હત્યાનો મામલો છે. મૃતક જીતન સાહની તેમના ઘરે સૂતા હતા. જ્યારે ચોરીના ઇરાદે ઘરમાં ઘૂસેલા ગુનેગારોએ જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને તેની હત્યા કરી. ઘરમાં વસ્તુઓ વેરવિખેર પડી હતી."- મનીષ ચંદ્ર ચૌધરી, SDPO

પરિવારમાં કોણ છે?: કહેવાય છે કે પૂર્વ મંત્રી મુકેશ સહનીને બે ભાઈ અને એક બહેન છે. મુકેશ સહની અને તેમના ભાઈ સંતોષ સહની બહાર રહે છે, જ્યારે તેમની બહેન પરિણીત છે અને મુંબઈમાં તેના સાસરિયાઓ સાથે રહે છે. મુકેશ સહની પણ મુંબઈથી દરભંગા જવા રવાના થઈ ગયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઘટના સમયે મુકેશ સાહનીના પિતા જીતન સહની ઘરમાં એકલા હતા.

મુકેશ સહની
મુકેશ સહની (Etv Bharat)

કોણ છે મુકેશ સહનીઃ બિહારના રાજકારણમાં મુકેશ સહની ખૂબ જ ઝડપથી ઉભરી આવ્યા છે. તેઓ વિકાસશીલ ઇન્સાન પાર્ટીના પ્રમુખ છે. 2020ની ચૂંટણી બાદ બિહારમાં નીતિશ કુમારની સરકાર બની ત્યારે તેમને પશુપાલન અને મત્સ્ય વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા. જોકે, બાદમાં ભાજપ સાથે મતભેદ થતાં તેઓ એનડીએથી અલગ થઈ ગયા હતા. તેઓ બિહાર વિધાન પરિષદના સભ્ય પણ રહી ચૂક્યા છે. નિષાદ સમુદાયમાંથી આવતા મુકેશ સાહની પોતાને 'સન ઓફ મલ્લાહ' કહે છે. રાજ્યમાં મલ્લાહ (નિષાદ) સમુદાય લગભગ 12 ટકા છે.

મુકેશ સહનીના પિતા જીતન સહનીની હત્યાએ બિહારના રાજકારણમાં ચકચાર મચાવી દીધી છે, વિવિધ પાર્ટીના નેતાઓએ તેમના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો છે અને ઘટનાને ખુબજ દુ:ખદ ગણાવી છે.

Last Updated : Jul 16, 2024, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.