ETV Bharat / bharat

કોંગ્રેસ હાઇકમાન્ડની મહત્વની બેઠક યોજાઇ, મતગણતરીના દિવસે ઉમેદવારોને સતર્ક રહેવા જણાવ્યું - LOK SABHA ELECTIONS 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 2, 2024, 4:54 PM IST

કોંગ્રેસ પાર્ટીને ઈન્ડિયા ગઠબંધન માટે 295 બેઠકો મળવાનો વિશ્વાસ છે. કોંગ્રેસ પક્ષે એક્ઝિટ પોલના પરિણામોને નકારી દીધા છે અને તેના દાવા પર અડગ છે. આ તમામ મુદ્દાઓને લઈને આજે પાર્ટીની મહત્વની બેઠક મળી હતી. કોંગ્રેસે પાર્ટીના લોકસભા ચૂંટણીના ઉમેદવારોને મતગણતરીના દિવસે સતર્ક રહેવા જણાવ્યું છે. LOK SABHA ELECTIONS 2024

કોંગ્રેસ હાઇકમાન્ડની મહત્વની બેઠક યોજાઇ
કોંગ્રેસ હાઇકમાન્ડની મહત્વની બેઠક યોજાઇ (Etv Bharat)

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પહેલા હાઇકમાન્ડે રવિવારે ઉમેદવારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ હાજર રહ્યા હતા. આ મીટીંગ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કરવામાં આવી હતી. આ બેઠક એવા સમયે બોલાવવામાં આવી હતી જ્યારે એક્ઝિટ પોલના પરિણામો કોંગ્રેસના દાવાથી બિલકુલ વિપરીત છે.

ઇન્ડિયા ગઠબંધનને 295 બેઠકો મળશે: બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું, 'ઇન્ડિયા ગઠબંધનને 295 બેઠકો મળવા જઈ રહી છે.' દરમિયાન, એક્ઝિટ પોલ પર, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું હતુ કે, 'અમે અમારા પીસીસી પ્રમુખો, મુખ્યમંત્રીઓ, પ્રભારીઓ અને ઉમેદવારો સાથે ચર્ચા કરી. તેઓ બધાને ખૂબ જ આત્મવિશ્વાસ છે. આ એક્ઝિટ પોલ સરકાર માટે નકલી પોલ છે. ઇન્ડિયા ગઠબંધનને 295 બેઠકો મળશે અને નિશ્ચિતપણે સરકાર બનાવશે.

કોંગ્રેસે એક્ઝિટ પોલના અંદાજા ફગાવ્યા: જણાવવામાં આવી રહ્યું છે કે, બેઠકમાં 4 જૂને મતગણતરી દિવસની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખો અને ઉમેદવારોને મતગણતરી કેન્દ્ર પર જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી મત ગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી મતગણતરી કેન્દ્ર છોડશો નહીં. દરેકને એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. તે જ સમયે, ઉમેદવારોને પણ ચેતવણી આપવામાં આવી છે કે, તેઓ અન્ય પક્ષોના સંપર્કમાં ન આવે. સાથે જ કોંગ્રેસે એક્ઝિટ પોલના અંદાજોને ફગાવી દીધા છે.

સાંસદ જયરામે ભાજપ પર પ્રહારો કર્યા: એક્ઝિટ પોલના પરિણામોમાં, લોકસભા ચૂંટણી 2024માં એનડીએને ફરી એકવાર પ્રચંડ બહુમતી મળી છે. આ પરિણામ બાદ આજે કોંગ્રેસ પાર્ટીની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠક બાદ કોંગ્રેસે ફરી એકવાર 295 બેઠકો જીતવાનો દાવો કર્યો છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે પણ એક્ઝિટ પોલને લઈને ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે આઉટગોઇંગ પીએમ ચોક્કસપણે 4 જૂને વિદાય લેશે.

  1. પંજાબના ફતેહગઢમાં બે માલગાડી વચ્ચે ટક્કર, પેસેન્જર ટ્રેન પણ આવી અડફેટે, બે લોકો પાયલોટ ઘાયલ - TRAIN ACCIDENT IN PUNJAB
  2. આજે તિહાડ જેલ પરત ફરશે CM અરવિંદ કેજરીવાલ, કોર્ટમાંથી ન મળી રાહત - Arvind Kejriwal will go to Tihar

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પહેલા હાઇકમાન્ડે રવિવારે ઉમેદવારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ હાજર રહ્યા હતા. આ મીટીંગ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કરવામાં આવી હતી. આ બેઠક એવા સમયે બોલાવવામાં આવી હતી જ્યારે એક્ઝિટ પોલના પરિણામો કોંગ્રેસના દાવાથી બિલકુલ વિપરીત છે.

ઇન્ડિયા ગઠબંધનને 295 બેઠકો મળશે: બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું, 'ઇન્ડિયા ગઠબંધનને 295 બેઠકો મળવા જઈ રહી છે.' દરમિયાન, એક્ઝિટ પોલ પર, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું હતુ કે, 'અમે અમારા પીસીસી પ્રમુખો, મુખ્યમંત્રીઓ, પ્રભારીઓ અને ઉમેદવારો સાથે ચર્ચા કરી. તેઓ બધાને ખૂબ જ આત્મવિશ્વાસ છે. આ એક્ઝિટ પોલ સરકાર માટે નકલી પોલ છે. ઇન્ડિયા ગઠબંધનને 295 બેઠકો મળશે અને નિશ્ચિતપણે સરકાર બનાવશે.

કોંગ્રેસે એક્ઝિટ પોલના અંદાજા ફગાવ્યા: જણાવવામાં આવી રહ્યું છે કે, બેઠકમાં 4 જૂને મતગણતરી દિવસની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખો અને ઉમેદવારોને મતગણતરી કેન્દ્ર પર જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી મત ગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી મતગણતરી કેન્દ્ર છોડશો નહીં. દરેકને એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. તે જ સમયે, ઉમેદવારોને પણ ચેતવણી આપવામાં આવી છે કે, તેઓ અન્ય પક્ષોના સંપર્કમાં ન આવે. સાથે જ કોંગ્રેસે એક્ઝિટ પોલના અંદાજોને ફગાવી દીધા છે.

સાંસદ જયરામે ભાજપ પર પ્રહારો કર્યા: એક્ઝિટ પોલના પરિણામોમાં, લોકસભા ચૂંટણી 2024માં એનડીએને ફરી એકવાર પ્રચંડ બહુમતી મળી છે. આ પરિણામ બાદ આજે કોંગ્રેસ પાર્ટીની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠક બાદ કોંગ્રેસે ફરી એકવાર 295 બેઠકો જીતવાનો દાવો કર્યો છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે પણ એક્ઝિટ પોલને લઈને ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે આઉટગોઇંગ પીએમ ચોક્કસપણે 4 જૂને વિદાય લેશે.

  1. પંજાબના ફતેહગઢમાં બે માલગાડી વચ્ચે ટક્કર, પેસેન્જર ટ્રેન પણ આવી અડફેટે, બે લોકો પાયલોટ ઘાયલ - TRAIN ACCIDENT IN PUNJAB
  2. આજે તિહાડ જેલ પરત ફરશે CM અરવિંદ કેજરીવાલ, કોર્ટમાંથી ન મળી રાહત - Arvind Kejriwal will go to Tihar
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.