ETV Bharat / bharat

કુવૈત અગ્નિકાંડ: રાંચીના યુવકનું પણ મોત, પરિવારજનો આઘાતમાં - Ranchi youth died in Kuwait

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 14, 2024, 1:36 PM IST

કુવૈત આગ્નિકાંડમાં રાંચીના એક યુવકનું પણ મોત થયું છે. પરિવાર તેના પાર્થિવ દેહની રાહ જોઈ રહ્યો છે. આ યુવક રાંચીના હિંદપીરીનો રહેવાસી હતો. તે થોડા દિવસ પહેલા જ કુવૈત ગયો હતો., Ranchi youth died in Kuwait

રાંચીના અલી હુસૈનનું મોત
રાંચીના અલી હુસૈનનું મોત (Etv Bharat Gujarat)

રાંચી: કુવૈતમાં ભનેલ ભીષણ આગની ઘટનામાં રાંચીના એક યુવકનું પણ મોત થયું છે. રાંચીના હિંદપીરીનો રહેવાસી 22 વર્ષીય અલી હસન 18 દિવસ પહેલા જ નોકરી માટે કુવૈત ગયો હતો. તે પણ આગમાં સળગીને મૃત્યુ પામ્યો હતો. પરિવાર મૃતદેહના આગમનની રાહ જોઈ રહ્યો છે.

ઘરમાં શોક: કુવૈતમાં બુધવારે બનેલી આગની ધટનામાં રાંચીના 22 વર્ષિય મોહમ્મદ અલી હસનનું મોત થયું હતું. રાંચીના હિન્દીપીરીના નિઝામ નગરનો રહેવાસી અલી આ વર્ષે 24 મેના રોજ કુવૈત ગયો હતો. અલી કુવૈતમાં એક સુપરમાર્કેટમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. અલી હસનનો મોટો ભાઈ આદિલ હસન પણ સાઉદીમાં નોકરી કરે છે. અલીના પરિવારજનોએ જણાવ્યું કે કુવૈતમાં આગની માહિતી મળતાં પરિવારે બુધવારે અલીનો ફોન પર ઘણી વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહીં. આ પછી તેના ભાઈ પાસેથી માહિતી મળી કે અલીનું આગમાં દાઝી જવાને કારણે મોત થયું છે.

સરકાર પાસે મદદ માંગી: અલીના પિતા મુબારક હુસૈને જણાવ્યું કે તેઓ તેમના બાળકના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે, આ માટે તેમણે સરકાર પાસે મદદ પણ માંગી છે. મુબારક હુસૈને જણાવ્યું કે અલી તેના ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર પરિવાર આઘાતમાં છે. મુબારક હુસૈને કહ્યું છે કે કેન્દ્ર સરકારની મદદથી કુવૈતમાં આગમાં મૃત્યુ પામેલા તમામ લોકોના મૃતદેહ ભારત લાવવામાં આવી રહ્યા છે, એવી આશા છે કે જલ્દીથી તેમના પુત્રનો મૃતદેહ પણ રાંચી પહોંચશે અને ત્યારબાદ તેના મૃતદેહને દફનાવવામાં આવશે.

  1. કુવૈત અગ્નિકાંડ: 45 ભારતીય શ્રમિકોના મૃતદેહોને લઈને વાયુસેનાનું વિમાન કોચ્ચિ માટે રવાના - Kuwait fire tragedy
  2. કુવૈત અગ્નિકાંડ: 42 ભારતીયો સહિત 49 જીવતા ભૂંજાયા, PMએ 2 લાખની સહાય જાહેર કરી - kuwait building fire mishap

રાંચી: કુવૈતમાં ભનેલ ભીષણ આગની ઘટનામાં રાંચીના એક યુવકનું પણ મોત થયું છે. રાંચીના હિંદપીરીનો રહેવાસી 22 વર્ષીય અલી હસન 18 દિવસ પહેલા જ નોકરી માટે કુવૈત ગયો હતો. તે પણ આગમાં સળગીને મૃત્યુ પામ્યો હતો. પરિવાર મૃતદેહના આગમનની રાહ જોઈ રહ્યો છે.

ઘરમાં શોક: કુવૈતમાં બુધવારે બનેલી આગની ધટનામાં રાંચીના 22 વર્ષિય મોહમ્મદ અલી હસનનું મોત થયું હતું. રાંચીના હિન્દીપીરીના નિઝામ નગરનો રહેવાસી અલી આ વર્ષે 24 મેના રોજ કુવૈત ગયો હતો. અલી કુવૈતમાં એક સુપરમાર્કેટમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. અલી હસનનો મોટો ભાઈ આદિલ હસન પણ સાઉદીમાં નોકરી કરે છે. અલીના પરિવારજનોએ જણાવ્યું કે કુવૈતમાં આગની માહિતી મળતાં પરિવારે બુધવારે અલીનો ફોન પર ઘણી વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહીં. આ પછી તેના ભાઈ પાસેથી માહિતી મળી કે અલીનું આગમાં દાઝી જવાને કારણે મોત થયું છે.

સરકાર પાસે મદદ માંગી: અલીના પિતા મુબારક હુસૈને જણાવ્યું કે તેઓ તેમના બાળકના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે, આ માટે તેમણે સરકાર પાસે મદદ પણ માંગી છે. મુબારક હુસૈને જણાવ્યું કે અલી તેના ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર પરિવાર આઘાતમાં છે. મુબારક હુસૈને કહ્યું છે કે કેન્દ્ર સરકારની મદદથી કુવૈતમાં આગમાં મૃત્યુ પામેલા તમામ લોકોના મૃતદેહ ભારત લાવવામાં આવી રહ્યા છે, એવી આશા છે કે જલ્દીથી તેમના પુત્રનો મૃતદેહ પણ રાંચી પહોંચશે અને ત્યારબાદ તેના મૃતદેહને દફનાવવામાં આવશે.

  1. કુવૈત અગ્નિકાંડ: 45 ભારતીય શ્રમિકોના મૃતદેહોને લઈને વાયુસેનાનું વિમાન કોચ્ચિ માટે રવાના - Kuwait fire tragedy
  2. કુવૈત અગ્નિકાંડ: 42 ભારતીયો સહિત 49 જીવતા ભૂંજાયા, PMએ 2 લાખની સહાય જાહેર કરી - kuwait building fire mishap
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.