ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સામે પોલીસ ફરિયાદ બાદ, પીડિત યુવતીએ મીડિયા સમક્ષ વ્યથા જણાવી - Rajkot Swami Narayan Saint Issue

રાજકોટના ઉપલેટાના ખીરસરા સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો અને સંચાલક સામે નોંધાવાયલ પોલીસ ફરિયાદ બાદ પીડિત યુવતીએ મીડિયા સમક્ષ વ્યથા જણાવી છે. જુઓ આ અહેવાલમાં.

By ETV Bharat Gujarati Team

Published : Jun 24, 2024, 10:28 PM IST

Etv Bharatપીડિત યુવતીએ મીડિયા સમક્ષ વ્યથા જણાવી
Etv Bharatપીડિત યુવતીએ મીડિયા સમક્ષ વ્યથા જણાવી (Etv Bharat)

પીડિત યુવતીએ મીડિયા સમક્ષ વ્યથા જણાવી (Etv Bharat Gujarat)

રાજકોટ: ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામની વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સંચાલિત શૈક્ષણિક સંસ્થાના બે સ્વામી તેમજ એક મુખ્ય સંચાલક સામે દુષ્કર્મ તેમજ ગર્ભપાત સહિતની બાબતોની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે આ મામલે દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા જણાવી છે. તેની સાથે બનેલ બનાવ અંગેની માહિતીઓ મીડિયા સમક્ષ આપી છે.

આ બાબતે યુવતી જણાવે છે કે, સ્વામી દ્વારા તેમને ફેસબુકમાં રિક્વેસ્ટ મોકલી અને તેમની સાથે વાત કરી ઓળખાણ કરાવી તેમને ભોળવી હતી. આ ઉપરાંત તેમના ભોળપણનો આ સ્વામીએ ગેરફાયદો ઉઠાવી ધર્મસ્વરૂપદાસ સ્વામીએ ખોટી લગ્નની વાત કરી તેમને ફસાવી હતી. જ્યારે તેઓ બન્ને પહેલીવાર મળ્યા ત્યારે સ્વામીએ રૂમમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં લગ્ન કર્યા અને આગળનો સિલસિલો ચાલુ થયો હતો. આ ઘટના બાદ યુવતીને ગર્ભ રહી ગયો હોવાની બાબત સામે આવી હતી ત્યારે આ વાત બહાર આવશે તો લોકો તેમને બદનામ કરશે તેવી વાત સામે આવી હતી.

આ સંસ્થાના નારાયણસ્વરૂપદાસ સ્વામીને તેમના સંબંધ વિશે ખ્યાલ હતો અને મયુર કાંસોદરિયા નામના વ્યક્તિ છે જે મુખ્ય સંચાલક છે તેમને ગર્ભપાત કઈ રીતે કરવું તે સમજાવવા માટે કહ્યું હતું. આ બાબત અગાઉ પહેલા પણ બની ગયા હસે તેવું લાગી રહ્યું છે. આ ભોગ બનનાર યુવતી સિવાય બીજી છોકરીઓને પણ તેઓ ખરાબ નજરથી જોતા હતા તેવું જણાવ્યું છે.

આ સાથે યુવતીએ પોતાની વ્યથામાં જણાવ્યું છે કે, આવું કૃત્ય કરનારા લોકોને ફાંસીએ ચડાવી દેવા જોઈએ અને આ બાબતમાં તેમને અગાઉ પહેલેથી જ તેઓ ધમકીઓ આપતા હતા અને આ બાબતમાં ભોગ બનનાર યુવતીએ જણાવ્યું છે કે, તેમને અગાઉ પણ શંકા હતી કે, સ્થાનિક પોલીસ આરોપીઓને સપોર્ટ કરશે તેથી જ આ સમગ્ર મામલાની પોલીસ ફરિયાદ તેમને રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે અને હાલ આ મામલે જવાબદારોને ફાંસીની સજા મળવી જોઈએ તેવી માંગ કરી છે.

  1. ખીરસરાના લંપટ સ્વામીની દુષ્કર્મની ઘટનામાં મુખ્ય સંચાલક આવ્યો પોલીસ સકંજામાં - Rajkot Swami Narayan Saint Issue

ABOUT THE AUTHOR

...view details