અમદાવાદ:નવા સપ્તાહની શરૂઆતની સાથે સપ્તકની છઠ્ઠી રાત્રિએ સિતાર, તબલા, હારમોનિયમ, સારંગી અને શાસ્ત્રિયન ગાયન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. IIT બોમ્બેના ગોલ્ડ મેડલિસ્ટ અને કેમિકલ એન્જીનીયરની સાથે શાસ્ત્રિય ગાયક અરુણ દ્રવિડ અને પદ્મભૂષણ અજોય ચક્રવર્તી સહિતના નામી કલાકારો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
પહેલી બેઠકમાં શાસ્ત્રીય સંગીત ગાયક અરુણ દ્રવિડ અને તેમની સાથે સહ ગાયિકા જુઈ ધાયગુડે, તબલા પર સાથ પુરાવવા આશિષ સેનગુપ્તા અને હાર્મોનિયમ પર નિલય સાલ્વીએ પહેલી બેઠકમાં સંગીતનો રંગ ભર્યો હતો.
શાસ્ત્રિય સંગીત ગાયક અરૂણ દ્રવિડ (Etv Bharat Gujarat) શાસ્ત્રિય સંગીત ગાયક, અરૂણ દ્રવિડ: તમને જણાવી દઈએ કે, અરુણ દ્રવિડ IIT બોમ્બના ગોલ્ડ મેડલિસ્ટ અને કેમિકલ એન્જનિયર છે. પોતાના આ કરિયરની સાથે-સાથે તેઓ જયપુર-અતરૌલી ઘરાનાના ખૂબ જ કુશળ ગાયક પણ છે. તેમણે સ્વર્ગસ્થ અબ્દુલ મજીદ ખાન સાહબના માર્ગદર્શન હેઠળ તેમની તાલીમ શરૂ કરી, જેઓ સ્વર્ગસ્થ અલ્લાદિયા ખાન સાહબના સીધા શિષ્ય અને મહાન કેસરબાઈ કેરકરના જીવનભર સારંગી સાથી હતા. પાછળથી પ્રખ્યાત ગાયિકા કિશોરી અમોનકર હેઠળ અદ્યતન તાલીમ મેળવી, આદરણીય મોગુબાઈ કુર્ડીકર પાસેથી પ્રસંગોપાત તાલીમ મેળવી હતી.
પદ્મભૂષણ શાસ્ત્રિય સંગીત ગાયક અજોય ચક્રવર્તી (Etv Bharat Gujarat) સહ ગાયિકા જુઈ ધાયગુડે:જુઈ ધાયગુડેનો જન્મ એક સંગીત પરિવારમાં થયો હતો. તેમણે પ્રેમા સબનેના માર્ગદર્શન હેઠળ મૂળભૂત સંગીત શિક્ષણની શરૂઆત કરી. પાછળથી, તેમણે જયપુર-અતરૌલી ઘરાનાના સુપ્રસિદ્ધ કિશોરી અમોનકરની શિષ્યા, પ્રખ્યાત ગાયિકા શીલા જોશી પાસેથી તાલીમ પ્રાપ્ત કરી હતી. હાલમાં, તે પ્રખ્યાત ગાયક અરુણ દ્રવિડ હેઠળ અદ્યતન તાલીમ લઈ રહ્યા છે.
તબલાવાદક આશિષ સેનગુપ્તા:તેઓ બનારસ ઘરાનાના છે. તેમણે પ્રારંભિક શિક્ષણ તેમના પિતા રણજિત કુમાર સેનગુપ્તા પાસેથી મેળવ્યું હતું અને બાદમાં નનકુ મહારાજ, જાણીતા તબલાવાદક મહાપુરુષ મિશ્રા અને કૃષ્ણ કુમાર ગાંગુલી પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.
પદ્મભૂષણ શાસ્ત્રિય સંગીત ગાયક અજોય ચક્રવતી (Etv Bharat Gujarat) હાર્મોનિયમ પર સંગીત આપનાર નિલય સાલ્વી:આજની પહેલી બેઠકમાં હાર્મોનિયમ પર સંગીત આપનાર નિલય સાલ્વી એક પ્રતિભાશાળી યુવા હાર્મોનિયમ વાદક છે જેમણે બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી વોકલ્સમાં સ્નાતક અને સ્નાતકોત્તરનો અભ્યાસ કરતી વખતે હાર્મોનિયમમાં રસ કેળવ્યો, જે ટૂંક સમયમાં જ તેમનો શોખ બની ગયો. આમ, તેણે તન્મય દેવાચકે પાસેથી હાર્મોનિયમ શીખવાનું શરૂ કર્યું છે.
કુશલ દાસ અને અકરમ ખાન:બીજી બેઠકમાં કુશલ દાસ અને અકરમ ખાને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ બંને કલાકારોની સિતાર અને તબલાની જુગલબંધી કરવામાં આવી હતી. કુશલ દાસનો જન્મ કોલકાતાના એક સંગીત પરિવારમાં થયો હતો. તેમના દાદા બિમલ દાસ ઈસરાજ વાદક હતા અને તેમના પિતા અને કાકા બંને સિતાર વાદક હતા. તેમના પિતા શૈલેન દાસ લક્ષ્મણ ભટ્ટાચાર્ય અને રવિશંકરના શિષ્ય હતા. તેમના કાકા શાંતનુ દાસ અલી અકબર ખાનના શિષ્ય હતા. તેમણે તેમના પિતા અને કાકાના માર્ગદર્શન હેઠળ તેની તાલીમ શરૂ કરી. બાદમાં તેમણે સંજય બંદોપાધ્યાય અને અજય સિંહા રોય (અલાઉદ્દીન ખાનના શિષ્યો) પાસેથી તાલીમ લીધી અને માનસ ચક્રવર્તી અને રામકૃષ્ણ બસુ પાસેથી ગાયનનાં પાઠ લીધાં.
સપ્તક સંગીત સમારોહ દિવસ 6 (Etv Bharat Gujarat) અકરમ ખાન મહાન તબલાવાદક હશમત અલી ખાનનો પુત્ર છે, જે અજરદા ઘરાના સાથે સંબંધ ધરાવે છે. તેઓ આ ઘરાનાના 7મી પેઢીના ખેલાડી છે, જે ભારતમાં તબલા વગાડવાની 6 મુખ્ય પરંપરાગત શાળાઓમાંની એક ગણાય છે. તેમના બાળપણમાં, તેમને તેમના પરદાદા મોહમ્મદ શફી ખાનના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવવાનો લહાવો મળ્યો હતો. તેમને નિયાઝૂ ખાન પાસેથી શીખવાનો લહાવો પણ મળ્યો હતો, જેઓ અજરદા ઘરાનાના મહાન તબલાવાદકોમાંના એક ગણાય છે.
પદ્મભૂષણ, શાસ્ત્રિય સંગીત ગાયક, અજોય ચક્રવર્તી :ત્રીજી અને અંતિમ બેઠકમાં પદ્મભૂષણથી સન્માનિત અજોય ચક્રવર્તી દ્વારા શાસ્ત્રિય ગાયન તેમની સાથે તબલા પર ઇશાન ઘોસ અને હાર્મોનિયમ પર જ્યોતિર્મય બેનરજી દ્વારા સંગીત આપવાના આવ્યું હતું. અજોય ચક્રવતી પ્રસ્તુતિની શરૂઆત પહેલા વિદુષી મંજુ મહેતા અને ઉસ્તાદ ઝાકીર હુસેનને યાદ કરવામાં આવ્યા હતા.
અજોય ચક્રવતીએ કહ્યું કે, "ઝાકીર હુસેનનના જવાથી સૌથી વધુ દુઃખ તબલાને થયું હશે".
અજોય ચક્રવર્તીને તેમના પિતા, સ્વ. અજીત કુમાર ચક્રવર્તી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેઓ તેમની માતાઓ, મહામાયા દેવી અને જયંતિ ચક્રવર્તી સાથે તેમના પ્રથમ ગુરુ હતા. ત્યારબાદ, તેમણે સ્વ. પન્નાલાલ સામંત, સ્વ. કનાડીદાસ બૈરાગી અને અમીરંજન બેનર્જી પાસેથી તાલીમ મેળવી. પાછળથી તેઓ ગુરુ જ્ઞાન પ્રકાશ ઘોષના આશ્રય હેઠળ ગયા, એક ઉસ્તાદ અને દરેક રીતે એક મહાન માણસ, અને અત્યાર સુધીના સૌથી મહાન ગુરુઓમાંના એક છે. વધુમાં, મહાન ગાયક બડે ગુલામ અલી ખાનના પુત્ર મુનવ્વર અલી ખાને તેમને પટિયાલા કસૂર ઘરાના શીખવ્યા હતા. ITC સંગીત સંશોધન અકાદમી અને તેના અન્ય વિવિધ ઘરાના નિવાસી મહાન ગુરુઓ સાથેના તેમના ગાઢ જોડાણને કારણે, તેઓ અન્ય તમામ મુખ્ય શાસ્ત્રીય ઘરાનાઓ જેવા કે જયપુર, આગ્રા, કિરાણા અને ગ્વાલિયરની મુખ્ય લાક્ષણિકતાઓને સમાન રીતે ચિત્રિત કરી શકે છે.
ઈશાન ઘોષ પ્રખ્યાત સંગીતકારોના પરિવારમાંથી આવે છે, જેમાં પ્રખ્યાત ફરુખાબાદ ઘરાનાના તબલાવાદક નિખિલ ઘોષ, પ્રતિષ્ઠિત વાંસળીવાદક પન્નાલાલ ઘોષ અને સારંગી વાદક ધ્રુબ ઘોષનો સમાવેશ થાય છે. તેઓ જાણીતા તબલા અને સિતાર વાદક નયન ઘોષના પુત્ર અને શિષ્ય બંને છે. જ્યોતિર્મય બેનર્જી પટિયાલા-કાસુર ઘરાનાના જાણીતા ગાયક અજય ચક્રવર્તીના આજ્ઞાકારી શિષ્ય છે. તે એક ઉત્તમ હાર્મોનિયમ વાદક અને પ્રતિભાશાળી સંગીત નિર્માતા છે.
આ પણ વાંચો:
- સપ્તક સંગીત સમારોહ દિવસ 5: 'સંગીત માટે તો આજીવન વિદ્યાર્થી જ રહીશ અને શિખતી રહીશ' - શુભા મુદ્ગલ
- સપ્તક સંગીત સમારોહ દિવસ 4: કલા જગતના બે સ્વર્ગીય દિગ્ગજોને સ્વરાંજલિ અર્પણ કરાઈ, જાણો આજની બેઠકોમાં કોણ રંગ જમાવશે...