ગુજરાત

gujarat

ETV Bharat / state

HMPV વાયરસ અંગે બોલ્યા મોરારી બાપુઃ 'હવે નવું જંતુ આવ્યું છે, હાથ ના મિલાવવા' - MORARI BAPU TALKS ABOUT HMPV

એચએમપીવી વાઇરસથી ગભરાશો નહીં, સાવચેતી રાખોઃ મોરારી બાપૂ

HMPV વાયરસ અંગે બોલ્યા મોરારી બાપુ
HMPV વાયરસ અંગે બોલ્યા મોરારી બાપુ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2025, 7:31 PM IST

ભરૂચઃકબીરવડ ભરૂચ ખાતે આજે મોરારી બાપુની રામકથા માટે મોટી સંખ્યામાં મેદની ઉમટી છે. બુધવારે યોજાયેલી આ કથામાં તેમણે હાલમાં દેશ દુનિયામાં ચકચારી બનેલા HMPV વાયરસ અંગે વાત કરી છે. તેમણે HMPV વાયરસથી ન ડરવા અને બહુ સાવધાન રહેવાની લોકોને ટકોર કરી છે.

ઉલ્લેખનીય છે કે, આજે બુધવારે ભરૂચના કબીર વડ ખાતે મોરારી બાપુ દ્વારા કહેવાતી રામકથા માટે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આ સંખ્યામાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દરમિયાન મોરારી બાપુએ લોકોને HMPV વાયરસથી સાવધાન રહેવાની વાત કરી હતી. તેમણે લોકોને બહુ હાથ ના મિલાવવા અને વધુ ના ડર રાખવા અંગે વાત કરી છે.

HMPV વાયરસ અંગે બોલ્યા મોરારી બાપુ (Etv Bharat Gujarat)

મોરારી બાપૂએ આજે તેમની રામકથા દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓને નવા HMPV વાયરસથી ડરવાનું નહીં, પરંતુ સાવચેતી રાખવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ વાઇરસના બે કે ત્રણ જ કેસ જોવા મળ્યાં છે અને તે ભયંકર પણ નથી, પરંતુ પૂરતી સાવધાની રાખવી જરૂરી છે. અગાઉ કોરોનાએ કેટલાને મારી નાખ્યા, નાના નાના જંતુઓ જ હતાને, હવે નવું જંતુ આવ્યું છે. આજના છાપામાં છે. મારી જનતાને પ્રાર્થના છે, સરકાર તો કરે જ છે હું પણ આપને આગાહ કરું છું, તેનાથી બહુ સાવધાન રહેજો. હજી તો બે ત્રણ કેસ જ મળ્યા છે અને એટલું બધું ભયંકર છે પણ નહીં, ડરવાની જરૂર નથી. પરંતુ, બહુ બધાની સાથે હાથ ના મિલાવવો. તેમણે ખાલી સલામ કરવાની આદત રાખવા કહ્યું હતું.

  1. ભાવનગર મહાનગરપાલિકાની 126 જગ્યા માટે યોજાશે લેખિત પરીક્ષા: કયા પદો માટે છે પરીક્ષા, જાણો
  2. "HMPV વાયરસથી ગભરાવાની જરૂર નથી, માત્ર સતર્ક રહો" અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટની સાચી સલાહ

ABOUT THE AUTHOR

...view details