નવી દિલ્હી : સરકારે મજૂર વર્ગના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા દરેક કામદારને 59 વર્ષની ઉંમર પછી રૂ.3000 નું માસિક પેન્શન મળશે. આ પેન્શન સ્કીમ ઇ-શ્રમ યોજના (E-Shram Yojana) હેઠળ શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે ઈ-શ્રમ કાર્ડ જરૂરી છે, જેના માટે તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી. તમે આ કાર્ડ ઘરે બેઠા ઓનલાઇન બનાવી શકાય છે.
ઇ-શ્રમ યોજના : ઈ-શ્રમ કાર્ડ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને ઓળખવા અને તેમને માસિક પેન્શન અને વીમા કવચ જેવી સુવિધા પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત, દરેક શ્રમિકને એક યુનિક ડિજિટલ કાર્ડ આપવામાં આવે છે, જે તેમની ઓળખ સુનિશ્ચિત કરે છે.
ઈ-શ્રમ કાર્ડ માટે કોણ અરજી કરી શકે છે ?
ભારતમાં કોઈપણ શ્રમિક, જેની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે હોય, તે ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે. આ યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે છે, જેમાં તે બધા લોકોનો સમાવેશ થાય છે જેઓ સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા નથી. આમાં ઓલા-ઉબેર, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ પર કામ કરતા લોકોનો પણ સમાવેશ થાય છે.
ઈ-શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું ?
ઈ-શ્રમ કાર્ડ બનાવવાની બે રીતો છે : ઓનલાઈન અને ઓફલાઈન. પરંતુ, ઓનલાઈન પદ્ધતિ સૌથી સરળ અને અનુકૂળ છે.
ઈ-શ્રમ કાર્ડ બનાવવાની ઓનલાઇન પ્રક્રિયા :
- સૌ પ્રથમ ઈ-શ્રમ પોર્ટલ (https://eshram.gov.in/) ની મુલાકાત લો.
- હોમ પેજ પર "REGISTER on eShram" વિકલ્પ પર ક્લિક કરો.
- એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
- EPFO અને ESIC ના સક્રિય સભ્ય હોવા માટે હા અથવા ના માં જવાબ આપો.
- OTP ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરો.
- તમારું સરનામું અને શૈક્ષણિક માહિતી ભરો.
- તમારા કૌશલ્યનું નામ, વ્યવસાયનો પ્રકાર અને નોકરીનો પ્રકાર પસંદ કરો.
- તમારી બેંક વિગતો દાખલ કરો અને સ્વ-ઘોષણા વિકલ્પ પસંદ કરો.
- 'સબમિટ' બટન પર ક્લિક કરો.
- તમારા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.
- OTP દાખલ કરો અને 'વેરીફાય' બટન પર ક્લિક કરો. આ પછી તમારું ઈ-શ્રમ કાર્ડ તૈયાર થઈ જશે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો.
ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજો :
મોબાઇલ નંબર સાથે લિંક થયેલ આધાર કાર્ડ
માન્ય બેંક એકાઉન્ટ નંબર
ઈ-શ્રમ કાર્ડના ફાયદા :
- માસિક પેન્શન : પ્રધાનમંત્રી માનધન યોજના હેઠળ, 60 વર્ષની ઉંમર પછી દર મહિને રૂ. 3000 નું પેન્શન ઉપલબ્ધ થશે.
- નાણાકીય સહાય : જો તમે આંશિક રીતે અપંગ છો, તો તમને રૂપિયા એક લાખની નાણાકીય સહાય મળશે.
- વીમા કવર : મૃત્યુના કિસ્સામાં રૂપિયા બે લાખનો વીમો ઉપલબ્ધ રહેશે.
- અન્ય સરકારી યોજનાઓના લાભ : ઈ-શ્રમ કાર્ડ ધારકો પણ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે.
ઈ-શ્રમ કાર્ડ કોણ બનાવી શકે છે ?
ઈ-શ્રમ કાર્ડ સેલ્સમેન, હેલ્પર, ઓટો ડ્રાઈવર અને અન્ય ઘણી શ્રમ શ્રેણીના લોકો બનાવી શકે છે.