અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટથી ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ન્યાય યાત્રા રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે જે વિસ્તારમાં દુર્ઘટના બની છે તે વિસ્તારોમાં આ ન્યાય યાત્રા નીકળી હતી. આજે આ ન્યાય યાત્રાનો અંતિમ દિવસ છે. ત્યારે આ ન્યાય યાત્રા અમદાવાદ પહોંચી હતી. આ ન્યાય યાત્રા જિલ્લા કલેક્ટર ઓફીસથી લઈને ચાંદખેડા અને ત્યારબાદ ગાંધીનગર ખાતે સમાપન થવાનું હતું. જે હવે અમદાવાદ ખાતે સમાપ્ત થશે.
ન્યાય યાત્રા અમદાવાદમાં પૂર્ણ કે ગાંધીનગર જશે ? પાલ આંબલિયાએ કહી મોટી વાત... - Congress Nyay Yatra
Published : Aug 23, 2024, 1:40 PM IST
કોંગ્રેસ દ્વારા શરુ કરવામાં આવેલી ન્યાય યાત્રાનો આજે અંતિમ દિવસ છે. અગાઉ આ યાત્રા ગાંધીનગર ખાતે પૂર્ણ થવાની હતી. પરંતુ આજે અમદાવાદમાં યાત્રા પૂર્ણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, આ વચ્ચે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ ETV Bharat સાથે વાત કરતાં મોટું એલાન કર્યું છે. Nyay Yatra
ત્યારે કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પાલ આંબલિયાએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે, " આ યાત્રાની પૂર્ણાંહુતી નથી, માત્ર અલ્પવિરામ છે. આવનારા દિવસોમાં અલગ-અલગ મુદ્દાઓ અને પ્રશ્નોને લઈને કોંગ્રેસ સરકાર લડવાની છે. પરંતુ સવાલ એ છે કે TRP ગેમઝોન, હરણીકાંડ, તક્ષશિલાઘટના કે મોરબી ઝૂલતા પૂલની ઘટનાની અંદર જે પીડિત પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. જેમાં લગભગ 250થી વધુ સ્વજનોનો સમાવેશ થાય છે. ત્યારે આ સરકાર ન્યાય પણ અપાવી શકતી નથી. તેથી આ પીડિત પરિવારોને અત્યારે અમારી સાથે આ ન્યાય યાત્રામાં જોડાવું પડે છે."
અગાઉ આ યાત્રા ગાંધીનગર ખાતે પૂર્ણ થવાની હતી. પરંતુ કોંગ્રેસે જણાવ્યું કે, વિધાનસભા સત્રના કારણે ન્યાય યાત્રાને અમદાવાદમાં જ પૂર્ણ થશે. તે મુદ્દે તેમણે જણાવ્યું કે આ ન્યાય યાત્રાનું સો ટકા નિરાકરણ આવશે. આ ન્યાય યાત્રામાં ગાંધીનગર જવાની મંજૂરી મળી કે નથી મળી. એ અમારો પ્રશ્ન નથી. "અમે તો ગાંધીનગર જઈશું." જો સરકારને એવું લાગશે તો અમારી અટકાયત કરી લે.