અમદાવાદ: ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વપૂર્વક "હમારે રામ" રજૂ કરે છે, જે મહાકાવ્ય પ્રમાણનો થિયેટર એક્સ્ટ્રાવેગેન્ઝા છે. ગૌરવ ભારદ્વાજ દ્વારા દિગ્દર્શિત, આ ભવ્ય ઓપસ રામાયણના અભૂતપૂર્વ દ્રશ્યો દર્શાવે છે, જે સ્ટેજ પર અગાઉ ક્યારેય બતાવવામાં આવેલ નથી. બોલિવૂડના અગ્રણી અભિનેતા આશુતોષ રાણાએ રાવણની આઇકોનિક ભૂમિકા ભજવી છે, પ્રશંસનીય અભિનેતા રાહુલ આર ભુચર ભગવાન રામ તરીકે, ડેનિશ અખ્તર ભગવાન હનુમાન તરીકે, તરુણ ખન્ના ભગવાન શિવ તરીકે, હરલીન કૌર રેખી માતા સીતા તરીકે, અને કરણ શર્મા સૂર્યદેવ તરીકે જોવાં મળશે. થિયેટરની દુનિયાના કુશળ કલાકારો પણ આ નાટકમાં જોવા મળશે. "હમારે રામ"નું પ્રીમિયર 22 અને 23 જૂન 2024ના રોજ અમદાવાદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં થશે. અમદાવાદ 22મી જૂને ગોલ્ડન જ્યુબિલી શોનું સાક્ષી બનશે !
"હમારે રામ": શ્રાવ્ય અનુભવને શ્રેષ્ઠ બનાવવા મહાન ગાયકો કૈલાશ ખેર, શંકર મહાદેવન અને સોનુ નિગમે "હમારે રામ" માટે વિશિષ્ટ રીતે રચાયેલી મૂળ રચનાઓમાં તેમના અવાજોનું યોગદાન આપ્યું છે. આ ગ્રાન્ડ થિયેટ્રિકલ એક્સપિરિયન્સ, એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મન્સ, પાવરફુલ ડાયલોગ્સ, સોલ સ્ટીરિન્ગ મ્યુઝિક, વાઇબ્રન્ટ કોરિયોગ્રાફી, ઉત્કૃષ્ટ કોસ્ચ્યુમ અને સ્ટેટ- ઓફ- ધ- આર્ટ લાઇટ્સ અને સ્પેશિયલ ઇફેક્ટ્સનું વચન આપે છે. પ્રેસ કોન્ફરન્સમાં એક્ટર આશુતોષ રાણા, ફેલિસિટી થિયેટરના એમડી અને નિર્માતા રાહુલ ભુચર અને રાઇટર- ડૉ. નરેશ કાત્યાયન ઉપસ્થિત રહ્યાં હતા. 22મી જૂને ગોલ્ડન જ્યુબિલી શોનું પ્રદર્શન થશે.
યુવા પેઢીને આકર્ષિત કરશે આ એક્ટ: ફેલિસિટી થિયેટરના નિર્માતા અને એમડી રાહુલ ભુચર જણાવે છે કે, "હમારે રામ" રામાયણ કથામાં એક નવો પરિપ્રેક્ષ્ય લાવવા માટે ઝીણવટપૂર્વક રચવામાં આવી છે, જે યુવા પેઢીને આકર્ષિત કરશે. આશુતોષ રાણાનું રાવણનું ભાવનાત્મક ચિત્રણ, આઇકોનિક પ્લેબેક સિંગર્સની સંગીત પ્રતિભા સાથે, ભગવાન રામ માટે પુન: આદર દર્શાવતા, સાંસ્કૃતિક યાત્રાનું વચન આપે છે. દિગ્દર્શક ગૌરવ ભારદ્વાજ, એક ટોચના એડ ફિલ્મ નિર્માતા, આ પ્રયાસમાં ગતિશીલ અભિગમ ઉમેરે છે અને પ્રેક્ષકો આ વિઝ્યુઅલ સ્પેક્ટેકલ દ્વારા મંત્રમુગ્ધ થવા માટે તૈયાર થઈ શકે છે."