ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં ડિમોલિશન સામે કાર્યવાહી કરવા SCમાં અરજી, ગુજરાત સરકારે બચાવમાં શું જવાબ આપ્યો?

ગુજરાત સરકારે અરજીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે, અરજદારે અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને સાંપ્રદાયિક રંગ આપ્યો છે, જે સત્યથી દૂર છે.

By ANI

Published : 5 hours ago

સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર
સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર (Getty Images)

નવી દિલ્હી:તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર પાસે ગુજરાત સરકાર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આ અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ થતા ગુજરાત સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો છે.ગીર સોમનાથમાં અધિકારીઓ દ્વારા ધાર્મિક સ્થાન અને અન્ય સ્થળોને કથિત રીતે તોડી પાડવાના તેના નિર્ણયનો બચાવ કરતા, ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે, આ જમીન અરબી સમુદ્ર પર સ્થિત દરિયાકાંઠાને અડીને આવેલી સરકારી જમીન છે, જ્યાંથી અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, "અતિક્રમણો હટાવવા એ ગીર સોમનાથ જિલ્લાના મહેસૂલ અધિકારીઓ દ્વારા ચલાવાઈ રહેલા અભિયાનનો એક ભાગ છે, જેથી આ સુનિશ્ચિત કરી શકાય કે દરિયા કિનારે આવેલી કિંમતી સરકારી જમીનને અતિક્રમણથી મુક્ત કરાય."

ડિમોલિશનની કાર્યવાહી સામે SCમાં અરજી
ગીર સોમનાથ ડિમોલિશન કેસમાં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં રાજ્યના વહીવટીતંત્રે સર્વોચ્ચ અદાલતને માહિતી આપી હતી કે, ગીર સોમનાથ જિલ્લામાં જ્યાંથી અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું, ત્યાં અરબ સાગરને અડીને આવેલી સરકારી જમીન છે. આ સોગંદનામું સુમસ્ત પટણી મુસ્લિમ જમાતની અરજીના જવાબમાં આવ્યું છે, જે અરજીમાં 17 સપ્ટેમ્બરના આદેશનું જાણીજોઈને ઉલ્લંઘન કરવા બદલ ગુજરાતના અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

'અરજદારે કાર્યવાહીને સાંપ્રદાયિક રંગ આપ્યો'
જો કે, કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તે વર્તમાન કાર્યવાહીના વિષયને લગતી કોઈપણ ઇરાદાપૂર્વક અથવા અજાણતા કાર્યવાહી અથવા નિષ્ક્રિયતાથી ઉદ્ભવતા કોઈપણ કથિત તિરસ્કારપૂર્ણ વર્તન માટે તેની સંપૂર્ણ, બિનશરતી અને નિષ્ઠાવાન માફી માંગે છે. પરંતુ ગુજરાત સરકારે જમાતની અરજીનો વિરોધ કર્યો અને કહ્યું કે, સરકારી જમીન અતિક્રમણથી મુક્ત છે તે સુનિશ્ચિત કરવા કાયદામાં નિર્ધારિત યોગ્ય પ્રક્રિયાને અનુસરીને ડિમોલિશનના તમામ તબક્કાઓ પૂર્ણ કરવામાં આવ્યા છે. અરજદારના દાવાના વિરોધમાં, ગુજરાત સરકારે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે, અરજદારે અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને સાંપ્રદાયિક રંગ આપ્યો છે, જે સત્યથી દૂર છે.

પ્રથમ તબક્કામાં 15000 ચો.મી જમીન દબાણ મુક્ત કરાઈ
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, "અતિક્રમણો દૂર કરવાના તબક્કા-1માં, 8 ઓક્ટોબર, 2023ના રોજ પ્રભાસ પાટણ ગામના રેવન્યુ સર્વે નંબર 1852માંથી 26 અતિક્રમણ દૂર કરવામાં આવ્યા હતા, જેમાંથી 1 અતિક્રમણ હિન્દુ સમુદાયના સભ્યોનું હતું અને 25 અતિક્રમણ મુસ્લિમ સમુદાયના સભ્યોના હતા. ફેઝ-1માં 15,000 ચોરસ મીટર સરકારી જમીનને અતિક્રમણમાંથી મુક્ત કરવામાં આવી હતી.

સોગંદનામામાં વધુમાં જણાવાયું છે કે ફેઝ 2,174માં ધર્મ સ્થાનો સહિત તમામ હિંદુ સમુદાયના સભ્યોના અતિક્રમણને દૂર કરવામાં આવ્યા હતા અને ત્રીજા તબક્કામાં પ્રભાસ પાટણ ગામમાંથી જાહેર માર્ગો પરના 155 અતિક્રમણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાંથી 147 અતિક્રમણ હિન્દુ સમુદાયના સભ્યોના હતા અને 8 અતિક્રમણ મુસ્લિમ સમુદાયના સભ્યોના હતા. ડિમોલિશનના વધુ બે તબક્કા થયા જેમાં ઘણા અતિક્રમણો દૂર કરવામાં આવ્યા.

અતિક્રમણ દૂર કરતા પહેલા અપાઈ નોટિસ
ગુજરાત સરકારે જણાવ્યું કે "આમ, અતિક્રમણ દૂર કરવું એ ગીર સોમનાથ જિલ્લાના મહેસૂલ સત્તાવાળાઓ દ્વારા હાથ ધરવામાં આવેલી સતત ઝુંબેશનો એક ભાગ છે. જેથી કરીને દરિયાકિનારાની બાજુમાં આવેલી કિંમતી સરકારી જમીન અતિક્રમણથી મુક્ત થઈ જાય.

ગુજરાત સરકારે રજૂઆત કરી હતી કે, 28-29 સપ્ટેમ્બર, 2024 ના રોજ અતિક્રમણ હટાવવા પહેલાં, અતિક્રમણકર્તાઓને, 5 સપ્ટેમ્બર, 2024 ના રોજ, ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવા માટે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ (GLRC) ની કલમ 202 હેઠળ નોટિસ જારી કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

  1. રાજકોટમાં ફૂડ વિભાગનું ચેકીંગ ડ્રાઇવ: ખાધતેલના 15 નમૂના લેવાયા, 10 ધંધાર્થીને નોટિસ
  2. રાજ્ય સરકારના કર્મચારીઓને આનંદો, ઓક્ટોબર માસના પગાર-પેન્શન એડવાન્સમાં અપાશે

ABOUT THE AUTHOR

...view details