ગુજરાત

gujarat

ETV Bharat / state

'ધરમપુર ધ ગ્લોરી ઓફ ગુજરાત' પુસ્તકમાં દર્શાવાયો છે ભવ્ય અને જાજરમાન રાજવી ઈતિહાસ - Dharampur The Glory of Gujarat

વલસાડ જિલ્લાનું ધરમપુર એ ભવ્ય રાજવી વારસો ધરાવે છે. રાજવી સમયમાં ધરમપુરની શાનો શૌકત અને જાહોજલાલી કેવી હતી એ તમામ વિગતો તેમજ ધરમપુરના રાજા સાથેના સંકળાયેલા વિવિધ સ્મરણોની સુંદર રજૂઆત ધરમપુર વનરાજ કોલેજના પ્રોફેસર ડોક્ટર ચંદ્રહાસ નાયક દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક 'ધરમપુર ધ ગલોરી ઓફ ગુજરાત'માં કરવામાં આવી છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 20, 2024, 10:38 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

વલસાડઃ ધરમપુર એ ભવ્ય રાજવી વારસો ધરાવે છે. આ ધરમપુરના રાજા સાથેના સંકળાયેલા વિવિધ સ્મરણો તેમજ ધરમપુરની શાનો શૌકત અને જાહોજલાલીથી અવગત કરાવતું પુસ્તક વનરાજ કોલેજના પ્રોફેસર ડોક્ટર ચંદ્રહાસ નાયક દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. પુસ્તકનું નામ જ તેમાં રહેલ વાંચન સામગ્રીને સુપેરે ઉજાગર કરે છે. પુસ્તકનું નામ છે 'ધરમપુર ધ ગલોરી ઓફ ગુજરાત'.

સરળ રજૂઆતઃ 'ધરમપુર ધ ગલોરી ઓફ ગુજરાત' પુસ્તકના લેખક અને વનરાજ કોલેજના પ્રોફેસર ડોક્ટર ચંદ્રહાસ નાયક આ પુસ્તક વિશે જણાવતા કહે છે કે, તેઓ નાનપણથી જ ધરમપુરમાં રહ્યા છે પરંતુ ધરમપુરનો જે ઈતિહાસ છે તે અંગ્રેજી પુસ્તકોમાં સચવાયેલો છે. જેને તેમણે સંશોધન કરી અનેક વિગતો મેળવી અને ત્યારબાદ આ પુસ્તકમાં ધરમપુરના ઈતિહાસને ગુજરાતીમાં સરળ રીતે રજૂ કર્યો છે. જેથી સામાન્યમાં સામાન્ય લોકો ધરમપુરના રાજવી સમયના સ્મરણોને જાણી શકે અને ઈતિહાસને માણી શકે. તે સમયના રાજા કેટલી દીર્ઘદ્રષ્ટિ વાળા હતા તેમજ કેવા પ્રકારનું તેમનું શાસન અને વહીવટ હતો. સાથે જ તે સમયે થયેલા લગ્ન પ્રસંગ કે કરવામાં આવેલી સતત 12 થી 14 દિવસની ઉજવણી અંગેની વિશેષ રજૂઆત આ પુસ્તકમાં કરવામાં આવી છે.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ઈ.સ. 1262માં સ્થાપનાઃ ઈ.સ. 1262માં સિસોદિયા કુળના રાજકુમાર અને રાજપૂત શાસકોના વંશજ મેવાડના રાણા રાહપના વંશજ દ્વારા ધરમપુર રાજ્યની સ્થપાના કરવામાં આવી હોવાનું મનાય છે. ધરમપુર રાજ્ય વસાઈથી થાણા સુધી અને પૂર્વમાં નાસિક સુધી વિસ્તરેલું હતું. સન 1672માં શિવાજી એ ધરમપુરની મૈત્રી મુલાકાત કરી અને ધરમપુરને એક સ્વતંત્ર રાજ્ય તરીકેની ઓળખ આપી. શિવાજીએ કોઈપણ પ્રકારના વેરામાંથી બાકાત પણ રાખવામાં જણાવ્યું હતું. જેથી ધરમપુર રાજ્ય એક સ્વતંત્ર રાજ્ય તરીકે જાહેર થયું હતું.

11 તોપોની સલામીઃ ધરમપુર રાજ્ય 800 ચોરસ માઈલ માં ફેલાયેલું હતું. 1890માં મહારાજા નારણ દેવજીના ઉમદા શાસનને તે સમયે અન્ય રાજ્યો કરતાં વિશેષ ઓળખ મળી હતી. તેમની ઉમદા કામગીરી બદલ 11 તોપોની સલામીથી આ રાજ્યને સન્માનિત કરાયું હતું.

14 દિવસ લગ્નની ઉજવણીઃ ધરમપુરના હીઝ હાઈનેસ મહારાજા વિજયસિંહજીના સૌથી મોટા દીકરી ધનવંત કુંવરબાઈજી સાહેબના લગ્ન કાશ્મીરના વારસદાર રાજા સાહેબ સર હરિસિંહજી સાથે યોજાયા હતા. આ લગ્નની ઉજવણી ધરમપુરમાં 14 દિવસ પૂર્વેથી શરૂ થઈ હતી. તેમના આ લગ્ન પ્રસંગમાં સમગ્ર ભારતભરમાંથી વિવિધ રાજ્યોના રાજકુમારો રાજાઓ મળી કુલ 1200 કરતાં લોકોનો રસાલો ધરમપુર ખાતે પહોંચ્યો હતો. આ તમામ લોકોને ખાસ સુવિધાઓ ઊભી કરવા માટે અસંખ્ય તંબુઓ ઊભા કરવામાં આવ્યા હતા. નાનું રાજ્ય હોવા છતાં હજારો રાજવી મહેમાનોની રહેવાની વ્યવસ્થા સુપેરે પાર પાડવામાં આવી હતી.

શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે સભાન રાજવીઃ સમગ્ર રાજ્યની પ્રજાને આરોગ્યલક્ષી સારવાર મળી રહે અને બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તે માટે ધરમપુરના રાજવી દ્વારા તેમના રાજ્યમાં કુલ 28 જેટલી શાળાઓ અને 3થી વધુ હોસ્પિટલો શરૂ કરાઈ હતી. જેમાં તમામ પ્રકારની સારવાર આપવામાં આવતી હતી. તે માટે વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યો હતા. આમ, શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે ધરમપુરમાં ખૂબ જ વિકાસકાર્યો થયા હતા.

  1. જામનગરના રાજવીએ પત્ર લખ્યો.... હાલારી પાઘડી પીએમને ભેટમાં આપ્યા વિશે પત્રમાં કર્યો ઉલ્લેખ - PM Modi Met Royal Jam Saheb
  2. Vadodara News: 145 વર્ષનું થયું વડોદરાનું આ બાગ, 1879માં મહારાજા સાયાજીરાવ ગાયકવાડે કરી હતી સ્થાપના

ABOUT THE AUTHOR

...view details