ભાવનગર: દિવાળીને હવે થોડો જ સમય બાકી રહ્યો છે. ત્યારે અમીરથી લઇને ગરીબ દરેક તબક્કાના લોકો દિવાળી સમયે મિઠાઇથી મોઢાં મીઠા કરીને દિવાળીની ઉજવણી કરતા હોય છે. ત્યારે દિવાળી પર્વ પર લોકો અવનવી મીઠાઇઓની ખરીદી કરતા હોય છે.
ભાવનગરમાં ઘરે મિઠાઇ બનાવવાની પરંપરા આજે પણ જોવા મળે છે. જેમની સાથે વાત કરતા ગૃહિણીઓએ કહ્યું કે, બહારની વાનગી અને મિઠાઇઓમાં શું શું ભેળવીને વહેંચ્યું હોય કોને ખબર એટલે ઘરે જ અમે મિઠાઇઓ અને વાનગીઓ બનાવીએ છીએ.
દિવાળીના પર્વે ભાવનગરની ગૃહિણીઓ ઘરે મિઠાઇઓ બનાવેે છે (Etv Bharat Gujarat) ભાવનગરની ગૃહિણીઓ ઘરે મિઠાઇ બનાવે છે.
ગૃહિણીઓ પોતાના ઘરમાં મિઠાઇઓ બનાવીને દિવાળી પર્વ પર પોતાના પરિવારને પ્રેમથી ખવડાવે છે. ત્યારે ETV BHARAT એ ગૃહિણીઓ સાથે ખાસ વાતચીત કરી હતી અને તેઓ કેમ ઘરે મિઠાઇઓ બનાવે છે, કઇ મિઠાઇ બનાવે છે, તે સમગ્ર માહિતી ગૃહિણીઓએ ETV BHARAT ના સંવાદદાતાને જણાવી હતી.
દિવાળી પર્વ એ ખુશીઓનો પર્વ છે, ત્યારે લોકો મોઢાં મીઠા કરીને આ પર્વને ઉજવે છે. ત્યારે મિઠાઇઓની અવનવી વેરાઇટીઓ વિશે ખાસ ચોપાલમાં જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો:
- સાબરકાંઠામાં 240 થી વધારે લોકો હેલ્મેટ વિના ઝડપાયા, આરટીઓ વિભાગની કચેરી ખાતે મેગા ડ્રાઈવ
- દિવાળી પહેલા IT વિભાગનું સર્ચ ઓપરેશન, વડોદરાના જાણીતા બિલ્ડરને ત્યાં આઈટીના દરોડા