ગુજરાત

gujarat

વાવ તાલુકાના એક ગામમાં બળાત્કારના મામલે માવસરી પોલીસે આરોપીની અટકાયત કરી - Banaskantha Vaav Rape

By ETV Bharat Gujarati Team

Published : Jul 22, 2024, 7:06 PM IST

Updated : Jul 22, 2024, 7:26 PM IST

બનાસકાંઠાના વાવ તાલુકાના એક ગામમાં મોડી રાત્રે મહિલાને ઘરની બહાર બોલાવીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ડરી ગયેલ મહિલાએ ઝેરી દવા ગટગટાવી હતી. સમગ્ર મામલે માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીની અટકાયત કરી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Banaskantha Vaav Asara Rape in Night Woman Drank Poison Police Arrested Accused

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

બનાસકાંઠા: જિલ્લાના વાવ તાલુકાના એક ગામમાં મોડી રાત્રે મહિલાને ઘરની બહાર બોલાવીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ડરી ગયેલ મહિલાએ ઝેરી દવા ગટગટાવી હતી. પરિવારે દવા પીવાનું કારણ પુછતા મહિલાએ બળાત્કાર વિશે જણાવ્યું હતું. આ સમગ્ર મામલે માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીની અટકાયત કરી છે.

સમગ્ર ઘટનાક્રમઃ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના એક ગામમાં એક મહિલા રાત્રિના સમયે જમવાનું પતાવીને પોતાના ઘરે દીકરી સાથે સૂતી હતી. તે સમયે અસારા ગામના દાદુભાઈ ઉર્ફે વિક્રમસિંહ ચૌહાણ મહિલાના ઘરે પહોંચ્યો હતો. તેને મહિલાને ઘરની બહાર બોલાવી હતી. મહિલા દાદુભાઈના બોલાવવાથી બહાર આવી હતી. દાદુભાઈએ મહિલાને તેમના ઘરની પાછળ લઈ ગયો હતો અને મહિલા કંઈ બોલે તે પહેલા જ તેની સાથે બળાત્કાર કર્યો હતો. દાદુભાઈએ મહિલાને કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

મહિલાએ ઝેરી દવા પીધીઃ મહિલા આખી રાત આ વાતની જાણ કર્યા વગર ડરીને સુઈ ગઈ હતી. બીજા દિવસે મહિલાએ ઝેરી દવા ગટગટાવી દીધી હતી. મહિલાને સારવાર માટે તાત્કાલિક થરાદ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. પરિવારે દવા પીવાનું કારણ પુછતા મહિલાએ અસારા ગામના દાદુભાઈએ બળાત્કાર કર્યો હોવાની માહિતી આપી હતી. આબરૂ ન જાય તેથી ઝેરી દવા પીવાનું પગલું ભર્યુ હોવાનું પણ મહિલાએ જણાવ્યું હતું.

પોલીસ કાર્યવાહીઃઆ સમગ્ર ઘટના સંદર્ભે મહિલાએ દાદુભાઈ ઉર્ફે વિક્રમસિંહ ચૌહાણ સામે માવસરી પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે સઘન તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ અંગે માવસરી પોલીસ મથકના PSI વી.એસ. દેસાઈ સાથે ટેલીફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, વાવ તાલુકાના એક ગામની મહિલા સાથે દાદુભાઈ ઉર્ફે વિક્રમસિંહ ચૌહાણ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે દાદુભાઈની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  1. કામરેજની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી - Surat Kamrej Rape Case
  2. છોટાઉદેપુરમાં દીકરીની માતાને ભગાડી બળાત્કાર કરનાર આરોપી તમિલનાડુથી ઝડપાયો - Chhota Udepur News
Last Updated : Jul 22, 2024, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details