ગુજરાત

gujarat

ETV Bharat / state

'અજવાળું દીઠ્યું મધરાતે' અમરેલીમાં કવિ ગોપાલ ધકાણના પ્રથમ કાવ્યસંગ્રહનો વિમોચન: ગીતો રજૂ કરાયા

યુવા કવિ ગોપાલ ધકાણના પ્રથમ કાવ્યસંગ્રહ 'અજવાળું દીઠ્યું મધરાતે"નો વિમોચન સમારોહનું આયોજન થયું હતું. જેમાં નાદબ્રહ્મ ગૃપ દ્વારા કવિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

અમરેલીમાં કવિ ગોપાલ ધકાણના પ્રથમ કાવ્યસંગ્રહનો વિમોચન
અમરેલીમાં કવિ ગોપાલ ધકાણના પ્રથમ કાવ્યસંગ્રહનો વિમોચન (Etv Bharat Gujarat)

અમરેલી: યુવા કવિ ગોપાલ ધકાણના પ્રથમ કાવ્યસંગ્રહ 'અજવાળું દીઠ્યું મધરાતે"નો વિમોચન સમારોહ યોજવવામાં આવ્યો હતો. બે સત્રમાં યોજાયેલા આ સમારોહનું પ્રથમ સત્ર 'વિમોચન ઉત્સવ' મૂર્ધન્ય કવિ ડૉ. વિનોદ જોશીની અધ્યક્ષતામાં અને ભરતભાઈ ચૌહાણ (અવધ ટાઈમ્સ) તથા વિદુષી ડૉ. કાલિન્દી પરીખના અતિથિ વિશેષ પદે યોજાયું હતું. જેમાં નાદબ્રહ્મ ગૃપ દ્વારા સ્વરબદ્ધ કરેલાં કવિના મધુર ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ સંગ્રહનો ઉઘાડ કવિ હરેશ વડાવિયાએ પોતાની અભ્યાસપૂર્ણ અને રસપ્રદ શૈલીમાં કર્યો હતો. સંગ્રહનું વિમોચન કવિના માતા મીનાક્ષીબેન ધકાણ તથા ગુરુવર્ય ભનુભાઈ રાખોલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, આ પ્રસંગે કવિએ પોતાની કેફિયતમાં સંગ્રહ તૈયાર કરવામાં કરેલા સંઘર્ષની વાત તથા નવું શીખતા રહેવાની પ્રતિબધ્ધતા રજૂ કરી હતી. અધ્યક્ષીય ઉદ્બોધનમાં મૂર્ધન્ય કવિ ડો. વિનોદ જોશીએ ગીત કવિતાના મર્મની વાત કરી કવિની કાવ્યનિષ્ઠાને બિરદાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સંપૂર્ણ સત્રનું સંચાલન યુવાકવિ ડૉ. ધ્રુવ મહેતાએ કર્યું હતું.

અમરેલીમાં કવિ ગોપાલ ધકાણના પ્રથમ કાવ્યસંગ્રહનો વિમોચન (Etv Bharat Gujarat)

કવિ સંશોધક ડો. કેતન કાનપરિયાના સુંદર સંચાલનમાં બીજું સત્ર 'ગીતોત્સવ' યોજાયું. જેમાં કવિઓ ડૉ.વિનોદ જોશી, સ્નેહી પરમાર, પારુલ ખખ્ખર, મુકેશ દવે, વિમલ અગ્રાવત, ડૉ. વિરલ શુક્લ અને ભરત વાઘેલા પોતાના ગીતપઠનથી સૌને રસતરબોળ કર્યા.

આ અવસરે બહોળી સંખ્યામાં કવિઓ, ભાવકો, મિત્રો, સંબંધીઓ ઉપરાંત ઢસાથી મૂર્ધન્ય કવિ મનોહર ત્રિવેદી, કવિતાકક્ષ –ભાવનગરના કવિ હિમલ પંડ્યા, જીતુભાઈ વાઢેર, ઉદયભાઈ મારુ એ સિવાય અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર, સંવાદ ગૃપ, સંવેદન ગૃપ, શેર એન્ડ કેર ગૃપ, લોક સાહિત્ય સેતુ, અમરેલી સોની સમાજ, બી.આર.સી ભવન ખાંભા, બી.આર.સી ભવન લીલીયા, ઘટક પ્રાથમિક શિક્ષક સંઘ–ખાંભા. રમેશ પારેખ સાહિત્ય વર્તુળ અમરેલી, બાલકૃષ્ણ દવે સાહિત્ય સભા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન–અમરેલી, સુર ગંગા સંગીત વિદ્યાલય, જીકીયાળી પ્રાથમિક શાળા, સરસ્વતી વિદ્યામંદિર વગેરે સંસ્સ્થાઓના હોદ્દેદારો, પ્રજ્ઞાચક્ષુ મંડળના ઉપપ્રમુખ-રવિ સેગલિયા ઉપસ્થિત રહ્યાં હતા.

ધકાણ પરિવાર ખાંભા યોજિત આ સમારોહને સફળ બનાવવા નાગલોક કવિમિત્રો મુકેશ દવે, મુકેશ જોગી, પંકજ ચૌહાણ, ધર્મેશ ઉનાગર અને પ્રકાશ મકવાણાએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.

આ પણ વાંચો:

  1. સરદારના સાનિધ્યમાં વિકાસ પદયાત્રા: વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ રેલી યોજાઈ
  2. દશેરામાં તમે જે જલેબી ફાફડા ખાધા તે શું ખાવા લાયક હતા ? જુઓ શું કહે છે AMC લેબ રિપોર્ટ

ABOUT THE AUTHOR

...view details