ગુજરાત

gujarat

અક્ષય તૃતીયા નિમિત્તે સોના-ચાંદીમાં ધૂમ ખરીદી, ઘડામણ પર તગડું ડિસ્કાઉન્ટ - Akshay Tritiya 2024

By ETV Bharat Gujarati Team

Published : May 10, 2024, 4:44 PM IST

Updated : May 10, 2024, 6:36 PM IST

આંતરરાષ્ટ્રીય બજારમાં 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 850 રૂપિયાનો વધારો જોવા મળ્યો હોવા છતાં, રાજકોટમાં સોના-ચાંદીની ખરીદીમાં સારો માહોલ જોવા મળ્યો છે. આ પરિસ્થિતિમાં રાજકોટના સોની વેપારીઓએ હજુ વધુ સોનું અને ચાંદી ખરીદાય એ માટે ગ્રાહકોને પ્રોત્સાહક ઓફર આપી છે. અખાત્રીજ નિમિતે ETV Bharat નો વિશેષ અહેવાલ...

અક્ષય તૃતીયાના દિવસે સોનામાં ભાવ વધારો
અક્ષય તૃતીયાના દિવસે સોનામાં ભાવ વધારો (ETV Bharat Desk)

અક્ષય તૃતીયા નિમિત્તે સોના-ચાંદીમાં ધૂમ ખરીદી (ETV Bharat Desk)

રાજકોટ :અક્ષય તૃતીયા દિવસ એટલે નવી શરૂઆત માટે વણજોયા મુહર્તોનો સારામાં સારો દિવસ. રાજકોટમાં સોના-ચાંદીની ખરીદીમાં પ્રોત્સાહક માહોલ જોવા મળ્યો છે. વૈશ્વિક પટલ પર ડી-ડોલરાઈઝેશનની રમતને ખાળવા માટે મોટાભાગના રાષ્ટ્રો તેમનું સોવેરીન રેટિંગ સુધારવા માટે સોના તરફ વળતા સોનાનાં ભાવમાં તેજી જોવા મળી છે. ગઈકાલે 22 કેરેટ સોનાનો 1 તોલા કે 10 ગ્રામની કિંમત 66,150 રૂપિયા હતી. આજે બજાર 67,000 રૂપિયા પ્રતિ તોલાના ભાવથી ખૂલ્યું હતું. આ ભાવ વધારાની સ્થિતિમાં પણ અક્ષય તૃતીયાના મુહૂર્ત સાચવવા માટે સોના-ચાંદીની ખરીદીમાં જમાવટ નોંધાઈ છે.

સોના-ચાંદીની દમદાર ખરીદી :આજે અક્ષય તૃતીયા નિમિત્તે બજારમાં સોના-ચાંદીની ઘરાકીમાં અને ગ્રાહકોને સોના-ચાંદીની ખરીદી તરફ આકર્ષવા માટે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશન સાથે સંકળાયેલા સોની બજારના તમામ સભ્ય-વેપારીઓએ સોનાનાં પ્રતિ તોલા ખરીદી પર 1,500 રૂપિયા મજૂરી ખર્ચનું ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું હતું. એકંદરે સોના-ચાંદીના દાગીના કે ઘરેણાની ખરીદી ઉપરાંત લગડીની ખરીદી કરનારા રોકાણકારોમાં પણ ક્યાંય મુહૂર્ત ખરીદી સાચવવાનો માહોલ જોવા મળ્યો હતો.

સોના-ચાંદીના ભાવમાં વધારો : વૈશ્વિક અનિશ્ચિતતા અને તૂટી રહેલા શેરબજાર સામે ગ્રાહકોએ આ વર્ષની અક્ષય તૃતીયાની ખરીદીની તકને ક્યાંક રોકાણની તક તરીકે મૂલવી છે. આથી સોના-ચાંદીની ખરીદીમાં સારું વલણ જોવા મળ્યું હોવાની વાતને સોની બજારનાં નાના-મોટા વેપારીઓએ પણ સ્વીકારી હતી. ચૂંટણીના માહોલને કારણે લાગેલી આચારસંહિતા હોવાથી કેસ રૂપિયો ઓછો ફરતો થયો હતો. ઉપરાંત રોકડથી સોના-ચાંદીની ખરીદીમાં એક પ્રકારે બ્રેક લાગી હતી. જોકે ચૂંટણી પૂર્ણ થતાં હવે આજના દિવસે સારો ધંધો કરશે તેવી આશા સોના-ચાંદીના વેપારીઓએ વ્યક્ત કરી હતી.

  1. અક્ષય તૃતીયાના પર્વ પર સુરતમાં સોના-ચાંદીની ખરીદી, ભાવ વધારા વચ્ચે મેકિંગ ચાર્જીસમાં ડિસ્કાઉન્ટ આપતા વેપારીઓ
  2. આજની અક્ષય તૃતીયાએ 100 વર્ષ પછી બની રહ્યો છે અદ્ભુત સંયોગ, જાણો પૂજાનો શુભ સમય અને વિધિ
Last Updated : May 10, 2024, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details