નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસે ભારત જીતની ઉંબરે પહોંચી ગયું છે. હવે ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે માત્ર 7 વિકેટની જરૂર છે, જ્યારે બાંગ્લાદેશને જીતવા માટે હજુ 370 રન બનાવવાના છે. આ મેચમાં ભારતે રવિચંદ્રન અશ્વિનની સદી અને રવિન્દ્ર જાડેજા અને યશસ્વી જયસ્વાલની અડધી સદીની મદદથી પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશ પ્રથમ દાવમાં 149 રનમાં સમેટાઈ ગયું હતું.
શુભમન ગિલ અને રિષભ પંતની તોફાની સદીઓની મદદથી ભારતે તેનો બીજો દાવ 287/4 પર ડિકલેર કર્યો હતો. આમ ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્રીજા દિવસની રમતના અંતે બાંગ્લાદેશે 37.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 158 રન બનાવી લીધા હતા. હવે અહીંથી બાંગ્લાદેશને જીતવા માટે 357 રનની જરૂર છે અને ભારતને જીતવા માટે 6 વિકેટની જરૂર છે.
ત્રીજા દિવસનું પ્રથમ સેશન ભારતના નામે રહ્યું:
આ બંનેએ સાથે મળીને ટીમ માટે 167 રનની ભાગીદારી પૂરી કરી અને ભારતને મજબૂત લીડ પર પહોંચાડ્યું. બંનેએ લંચ સુધીમાં ભારતના સ્કોરને 3 વિકેટે 205 રન સુધી પહોંચાડ્યો હતો. આ દરમિયાન ગિલે 86 રન અને પંતે 82 રન બનાવ્યા હતા. આ સત્ર સંપૂર્ણપણે ભારતીય બેટ્સમેનોના નામે હતું અને બાંગ્લાદેશના બોલરો એક પણ વિકેટ લઈ શક્યા ન હતા.
ભારતે ત્રીજા દિવસના બીજા સેશન પર કબજો જમાવ્યો :
ત્રીજા દિવસે શુભમન ગિલ અને રિષભ પંતે ભારત માટે પોતપોતાની સદી પૂરી કરી. પંતે 124 બોલમાં 4 છગ્ગા અને 11 ચોગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. રિષભ 109 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. તેને મેહદી હસન મિરાજે આઉટ કર્યો હતો. આ પછી ગિલે 161 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પોતાના 100 રન પૂરા કર્યા. ગિલ 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 119 રન બનાવીને અણનમ પેવેલિયન પરત ફર્યો હતો. ગિલ સિવાય કેએલ રાહુલ 22 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. અને બંનેએ પાંચમી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. ભારતે તેનો બીજો દાવ 4 વિકેટે 287 રન પર ડિકલેર કર્યો હતો.
બાંગ્લાદેશે તેની બીજી ઇનિંગની શરૂઆત ખૂબ જ જોરદાર રીતે કરી હતી અને બીજા સત્રના અંત સુધીમાં તેણે 13 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 56 રન બનાવી લીધા હતા. બાંગ્લાદેશ તરફથી ઝાકિર હસને 32 રન અને શાદમાન ઈસ્લામ 21 રન બનાવીને અણનમ પેવેલિયન પરત ફર્યા હતા.
ત્રીજા દિવસના ત્રીજા સેશનમાં ભારતીય બોલરોએ ધમાકેદાર પ્રદર્શન:
બાંગ્લાદેશે ઝાકિર હસન 32 અને શાદમાન ઈસ્લામ 21 સાથે ત્રીજા સેશનની શરૂઆત કરી હતી. પરંતુ ભારતીય બોલરોએ શાનદાર વાપસી કરી અને જસપ્રિત બુમરાહે ઈનિંગની 17મી ઓવરના બીજા બોલ પર ઝાકિર હસનને આઉટ કર્યો હતો. તેને 33 રનના વ્યક્તિગત સ્કોર પર યશસ્વી જયસ્વાલ દ્વારા ત્રીજી સ્લિપમાં આઉટ કરવામાં આવ્યો હતો. આ પછી અશ્વિને 22મી ઓવરના ત્રીજા બોલ પર 36 રનના સ્કોર પર શાદમાન ઈસ્લામને આઉટ કરીને ગિલને પેવેલિયન મોકલી દીધો હતો.
બાંગ્લાદેશે ડ્રિંક બ્રેક સુધી 25.0 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 100 રન બનાવ્યા હતા. આ પછી અશ્વિને મોમિનુલ હકને 13 રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલીને ભારતને ચોથી સફળતા અપાવી હતી અને ત્યારબાદ મુશફિકુર રહીમ રહીમને 13 રનના અંગત સ્કોર પર કેએલ રાહુલને આઉટ કરી દીધો હતો. બાંગ્લાદેશ તરફથી નઝમુલ હુસૈન શાંતોએ આ મેચની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે 55 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 50 રન પૂરા કર્યા. હાલમાં કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો (51) અને શાકિબ અલ હસન (5) રન બનાવીને ક્રિઝ પર છે. આ પછી, ત્રીજા દિવસે લગભગ 45 મિનિટની રમત પછી ખરાબ પ્રકાશને કારણે મેચ સમાપ્ત થઈ ગઈ હતી અને બાંગ્લાદેશે 158 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો:
- ગુજરાત ટાઈટન્સના યુવા કેપ્ટન શુભમન ગિલે ટેસ્ટ કારકિર્દીની 5મી સદી ફટકારી, તોડ્યો વિરાટ કોહલીનો આ શાનદાર રેકોર્ડ... - IND vs BAN 1st Test
- ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ મેચમાં રિષભ પંતે વિરોધી ટીમની ફિલ્ડિંગ સેટ કરી, વીડિયો થયો વાયરલ… - IND vs BAN 1st Test