નવી દિલ્હીઃકોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને 10 વર્ષ બાદ IPL ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ ભારતીય ક્રિકેટર અને માર્ગદર્શક ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ જેવી રીતે KKRએ IPLની 17મી સિઝનમાં જે રીતે પ્રદર્શન કર્યું છે. ત્યારથી ચાહકો તેને ભારતના મુખ્ય કોચ બનાવવાની માંગ કરી રહ્યા છે. હવે સમાચાર સામે આવ્યા છે કે, રાહુલ દ્રવિડનો કાર્યકાળ આવતા મહિને પૂરો થઈ રહ્યો છે તેના સ્થાને ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.
ગૌતમ ગંભીર ભારતના મુખ્ય કોચ બનશે: ગૌતમ ગંભીર બનશે મુખ્ય કોચ ક્રિકબઝના અહેવાલ મુજબ, ગૌતમ ગંભીર ભારતના મુખ્ય કોચ બનશે તે લગભગ નિશ્ચિત છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, IPL ફ્રેન્ચાઈઝીના એક ખૂબ જ હાઈ-પ્રોફાઈલ માલિક, જે બીસીસીઆઈના ટોચના અધિકારીઓની ખૂબ નજીક છે, તેણે કહ્યું કે, ગંભીરની નિમણૂક એક થઈ ગયેલી ડીલ છે અને તેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. તે જ સમયે, એક ઉચ્ચ પ્રોફાઇલ કોમેન્ટેટર, જે બીસીસીઆઈમાં થઈ રહેલી ઘટનાઓથી સારી રીતે વાકેફ છે, તેણે કહ્યું છે કે, ગંભીરને સામેલ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હકીકત એ છે કે, હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ દર્શાવે છે કે તેમની સાથે અનેક મોરચે વાતચીત ચાલી રહી છે.