તાજેતરના સમયમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો પોતાને સ્વસ્થ રાખવા માટે તમામ સંભવિત સ્વાસ્થ્ય સાવચેતીઓનું પાલન કરે છે. ડાયાબિટીસથી પીડિત લોકોએ તેમના બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે પણ સાવચેત રહેવું જોઈએ. આવી સ્થિતિમાં ખાનપાન પર પણ પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. દિવસની શરૂઆત ડાયાબિટીસ ફ્રેન્ડલી ફૂડથી કરવી જરૂરી છે. તમને જણાવી દઈએ કે, તમારી ખાવાની આદતોનું ધ્યાન રાખવાથી તમારી શુગર કંટ્રોલમાં રહે છે. જો કે, મોટાભાગના લોકોને તેમની વ્યસ્ત જીવનશૈલીને કારણે તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખવામાં ઘણી વાર મુશ્કેલી પડે છે.
જો કે, શક્ય હોય ત્યાં સુધી ડાયાબિટીસના દર્દીઓએ તેમની ખાનપાનની વિશેષ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે આપણામાંથી મોટાભાગના લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે શું કારેલા ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે? આ સંદર્ભમાં સ્વાસ્થ્ય નિષ્ણાતોના કેટલાક સંશોધનમાં જાણવા મળ્યું છે કે કારેલા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. નિષ્ણાતોનું કહેવું છે કે તેને ખાવાથી બ્લડ ગ્લુકોઝ લેવલ કંટ્રોલમાં રહે છે.
NCBIમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ અનુસારબ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવા માટે સંતુલિત આહાર લેવાની જરૂર છે. જો બધી જ વસ્તુઓનું યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો કારેલાનું સેવન પણ ફાયદાકારક છે. નિષ્ણાતો કહે છે કે ડાયાબિટીસના દર્દીઓ તાજા કારેલાનો રસ પી શકે છે. કારેલાને તળીને ખાવાથી કોઈ ફાયદો થતો નથી અને કારેલામાંથી તમામ પોષક તત્વો નીકળી જાય છે. તેથી, બને ત્યાં સુધી કારેલાને રાંધ્યા પછી ખાવાનું ટાળો.
ડોક્ટરના મતે કારેલા ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, પરંતુ તેમાં કસરત અને ચાલવાની સાથે સંતુલિત આહાર પણ જરૂરી છે. તેમણે કહ્યું કે ડાયાબિટીસના દર્દીઓ જો સતત કારેલાનું સેવન કરે તો જ હકારાત્મક પરિણામો જોવા મળે છે. કારેલાના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તમને જણાવી દઈએ કે, કારેલામાં ફાઈબર, વિટામિન A અને C અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.