ગુજરાત

gujarat

વાયનાડ ભૂસ્ખલન દૂર્ઘટના, 340ના મૃત્યુ, 200થી વધુ ગુમ, પાંચમાં દિવસે પણ સર્ચ ઓપરેશન યથાવત - Kerala Landslide

By ETV Bharat Gujarati Team

Published : Aug 3, 2024, 11:02 AM IST

Updated : Aug 3, 2024, 12:39 PM IST

વાયનાડ ભૂસ્ખલનની દૂર્ઘટના બાદ સતત મોતનો આંકડો વધી રહ્યો છે. પશ્ચિમ બંગાળના આશરે 242 શ્રમિકો પણ ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે અને બધા લોકો સુરક્ષિત છે. Kerala Landslide LIVE Updates

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

વાયનાડ ભૂસ્ખલન દૂર્ઘટના, પાંચમાં દિવસે પણ સર્ચ ઓપરેશન યથાવત (વીડિયો સોર્સ ANI)

વાયનાડ:કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની વિનાશકારી દૂર્ઘટના બાદ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હાલમાં મળતી માહિતી અનુસાર, શનિવારે 340 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જ્યારે બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે, 1300 થી વધુ બચાવકર્મીઓ ભૂસ્ખલનમાં ફસાયેલા લોકોને શોધવામાં લાગેલા છે. જ્યારે સેંકડો લોકો હજુ પણ ગુમ છે.

ભૂસ્ખલન બાદ સર્ચ ઓપરેશનનો 5મો દિવસ: ચુરલમાલા અને મુંડાકાઈમાં આજે શનિવારે પાંચમા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે હજી પણ 200 થી વધુ લોકોની કોઈ ભાળ મળી નથી. 30 જુલાઈના રોજ, વાયનાડના ચુરામાલા અને મુંડક્કઈમાં બે મોટી ભૂસ્ખલનની દૂર્ઘટના સર્જાય હતી જેના કારણે આ વિસ્તારમાં મોટા પાયે વિનાશ અને જાનમાલનું નુકસાન થયું છે.

પશ્ચિમ બંગાળના શ્રમિકો વાયનાડમાં ફસાયા: જાણવા મળતી માહિતી અનુસાર આ ભયાનક દુર્ઘટનાને કારણે પશ્ચિમ બંગાળના 242 પ્રવાસી મજૂરો પણ વાયનાડમાં ફસાયેલા છે. શ્રમ મંત્રી મોલોય ઘટકે વિધાનસભાને આ માહિતી આપી છે. વિધાનસભામાં હિંગલગંજ ટીએમસી ધારાસભ્ય દેબેસ મંડલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, મોલોય ઘટકે પશ્ચિમ બંગાળના સ્થળાંતર કામદારોની વિગતો આપી જેઓ ભૂસ્ખલનને કારણે તાજેતરની આપત્તિને કારણે વાયનાડ જિલ્લામાં ફસાયેલા હતા. વિધાનસભામાં ઘટકે કહ્યું કે રાજ્ય પ્રશાસને તેમાંથી કેટલાક લોકો સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે. પશ્ચિમ બંગાળ સરકારના શ્રમ વિભાગના ડેટા અનુસાર, બંગાળના 242 પ્રવાસી મજૂરો વાયનાડ જિલ્લામાં ફસાયેલા છે.

તેમણે કહ્યું કે અમે તેમાંથી કેટલાક સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે. અમે અન્ય લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઘટકે વધુમાં કહ્યું કે બંગાળના કામદારો અત્યંત કુશળ છે, તેથી દક્ષિણના રાજ્યમાં તેમની હંમેશા માંગ રહે છે. તેમણે કહ્યું કે સંપર્ક કરાયેલા તમામ પ્રવાસી મજૂરો સુરક્ષિત છે. રાજ્યના વિવિધ જિલ્લાના આ પરપ્રાંતિય મજૂરો કુશળ છે અને તેથી જ અન્ય રાજ્યોમાં તેમની માંગ વધારે છે.

  1. વાયનાડ ભૂસ્ખલન દૂર્ઘટના, 308 લોકોના મોત, પોલીસે કહ્યું 300 જેટલાં હજી પણ ગુમ - wayanad landslide mishap
Last Updated : Aug 3, 2024, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details