ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Tejashwi Yadav: તેજસ્વીને ગુજરાતીઓ વિષયક ટિપ્પણી પરત લેવા અને યોગ્ય નિવેદન દાખલ કરવા સુપ્રીમનો આદેશ

સુપ્રીમ કોર્ટે બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આરજેડી નેતા તેજસ્વી યાદવને ગુજરાતીઓ પરની તેમની ટિપ્પણીઓ પાછી ખેંચવા અને યોગ્ય નિવેદન દાખલ કરવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે તેજસ્વી યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો...Tejashwi Yadav RJD leader Supreme Court Gujarati People Proper Statement

By PTI

Published : Jan 29, 2024, 10:18 PM IST

યોગ્ય નિવેદન દાખલ કરવા સુપ્રીમનો આદેશ
યોગ્ય નિવેદન દાખલ કરવા સુપ્રીમનો આદેશ

નવી દિલ્હી: સોમવારે સુપ્રીમ કોર્ટે RJD નેતા તેજસ્વી યાદવને તેમની કથિત ટિપ્પણી પાછી ખેંચીને યોગ્ય નિવેદન દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેજસ્વીએ કહ્યું હતું કે, 'માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે'. ન્યાયાધીશ એ.એસ. ઓકા અને ન્યાયાધીશ ઉજ્જલ ભુયાની સંયુક્ત બેન્ચે તેજસ્ને નવું નિવેદન દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો છે.

આ મામલે આગામી સુનાવણી 5 ફેબ્રુઆરી પર કરવામાં આવશે. સંયુક્ત બેન્ચે કહ્યું, અમે અરજીકર્તાને યોગ્ય નિવેદન દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય આપીએ છીએ. તેજસ્વીએ 19 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરી હતી. તેની કથિત ટિપ્પણી 'ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે' પાછી ખેંચી હતી.

સુપ્રીમ કોર્ટમાં તેજસ્વીની અરજી પર સુનાવણી ચાલી રહી છે. જેમાં તેજસ્વીએ રાજ્યની બહારની કથિત ટિપ્પણી બદલ અમદાવાદની કોર્ટમાં પડતર ફોજદારી માનહાનિની ​​ફરિયાદને ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. આરજેડી નેતાની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે અગાઉ ફોજદારી માનહાનિની ​​ફરિયાદમાં કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. તેમજ અરજી દાખલ કરનાર ગુજરાતીને નોટિસ પણ પાઠવી હતી.

તેજસ્વી યાદવ વિરુદ્ધ આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગુજરાત કોર્ટે ઓગસ્ટમાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 202 અંતર્ગત યાદવ સામે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ગુજરાતના સ્થાનિક વેપારી હરેશ મહેતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર તેને સમન્સ મોકલવા માટે પૂરતા પુરાવા પણ ધ્યાને લીધા હતા. ફરિયાદ અનુસાર, તેજસ્વીએ માર્ચ 2023માં પટનામાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, 'હાલની સ્થિતિમાં માત્ર ગુજરાતીઓ જ છેતરપિંડી કરી શકે છે અને તેમની છેતરપિંડી માફ કરવામાં આવશે.'

બિહારના તત્કાલીન નાયબ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, 'જો તેઓ LIC કે બેંકોના પૈસા લઈને ભાગી જશે તો કોણ જવાબદાર રહેશે?' મહેતાએ દાવો કર્યો હતો કે તેજસ્વીની ટિપ્પણીએ તમામ ગુજરાતીઓને બદનામ કર્યા છે.

Land For Job Scam: તેજસ્વી યાદવને EDનું તેડું, લેન્ડ ફોર જોબ મામલે થશે પુછપરછ

'2015ની બિહાર ચૂંટણીની જેમ બાજી પલટી ન જાય, માટે પરિણામોની રાહ જોવી જોઈએ' : તેજસ્વી યાદવ

ABOUT THE AUTHOR

...view details