ચેન્નાઈ: બહુજન સમાજ પાર્ટી (BSP) તમિલનાડુના વડા કે આર્મસ્ટ્રોંગની હત્યાના આરોપીનું શનિવારે રાત્રે પોલીસ સાથે થયેલી અથડામણમાં મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે આરોપી થિરુવેંગદમને આર્મસ્ટ્રોંગની હત્યામાં વપરાયેલા હથિયારો પરત મેળવવા માટે માધવરમ નજીકના એક સ્થળે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ પોલીસ ટીમે તેના પર ગોળીબાર કર્યો.
તમિલનાડુ: BSP ચીફ આર્મસ્ટ્રોંગની હત્યાનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર - armstrong murder case - ARMSTRONG MURDER CASE
તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં BSP ચીફ આર્મસ્ટ્રોંગ હત્યાકાંડના એક આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. આરોપી હત્યા જેવા અનેક ગંભીર કેસમાં સંડોવાયેલો હતો. chennai armstrong murder case
![તમિલનાડુ: BSP ચીફ આર્મસ્ટ્રોંગની હત્યાનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર - armstrong murder case BSP ચીફ આર્મસ્ટ્રોંગની હત્યાનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-07-2024/1200-675-21947982-thumbnail-16x9-jpg.jpg)
Published : Jul 14, 2024, 1:11 PM IST
રાજધાનીના માધવરમમાં આજે પોલીસ એન્કાઉન્ટરમાં થિરુવેંગદમ નામના બદમાશને ઠાર કર્યો છે. આર્મસ્ટ્રોંગની હત્યા કેસમાં થિરુવેંગદમની આ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી હથિયારો રિકવર કરવા માટે પોલીસ તેને ચેન્નઈના માધવરમ વિસ્તારમાં લઈ ગઈ હતી, જ્યાં આરોપીએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી જેમાં તે માર્યો ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો.
આર્મસ્ટ્રોંગની હત્યાના સંબંધમાં 11 લોકોને 5 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. K1 સેમ્બિયમ પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી છે. આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ગુનેગાર થિરુવેંગદમના શરીરના જમણા ખભા અને છાતી પર ગોળીના નિશાન જોવા મળ્યા હતા. આ પછી પોલીસ ગુનેગાર થિરુવેંગદમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચેન્નાઈની સ્ટેનલી સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ઝીણવટભરી તપાસ કરી હતી. અગાઉ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે એન્કાઉન્ટરમાં સામેલ ગુનેગાર થિરુવેંગદમે એક મહિના પહેલા આર્મસ્ટ્રોંગને તેની હત્યા કરવાની ધમકી આપી હતી. થિરૂવેંગદમ સામે 2 હત્યાના કેસ સહિત 5 કેસ નોંધાયેલા છે.