ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi: વડાપ્રધાન મોદીના પત્ની જશોદાબેન આજકાલ ક્યાં પ્રવાસ કરી રહ્યા છે? જાણો આ વિસ્તૃત અહેવાલમાં - Yashoda Ben In Alwar

પીએમ મોદીના પત્ની જશોદાબેન રાજસ્થાનના પ્રવાસે છે. તેઓએ અલવરના જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી, ઉપરાંત જિલ્લાના અન્ય મંદિરોની મુલાકાત લીધી હતી. જશોદાબેનને અલવરના સૌથી મોટા મેળાના આયોજનમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું છે. What is travel destination of PM Modi's wife Jashodaben?

PM મોદીના પત્ની જશોદાબેન રાજસ્થાનના પ્રવાસે
PM મોદીના પત્ની જશોદાબેન રાજસ્થાનના પ્રવાસે (ETV Bharat Desk)

By ETV Bharat Gujarati Team

Published : May 22, 2024, 2:36 PM IST

રાજસ્થાન :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન રાજસ્થાનમાં ત્રણ દિવસીય પ્રવાસના ભાગરૂપે મંગળવારે રાત્રે અલવર પહોંચ્યા હતા. બુધવારે સવારે તેમણે અલવરના જૂના કટલા સુભાષચોક સ્થિત જગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી. જશોદાબેને ભગવાન જગન્નાથના દર્શન કર્યા તથા આરતી અને સત્સંગમાં ભાગ લીધો હતો.

ભારતભ્રમણ પર જશોદાબેન : જગન્નાથ મંદિર સમિતિના સભ્ય ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મંદિર પહોંચ્યા અને ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા. તેમણે ભગવાન જગન્નાથને દેશમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. જશોદાબેન ભારત ભ્રમણ કરીને વિવિધ મંદિરોમાં પૂજા અર્ચના કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસશીલ ભારત માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

જગન્નાથ મંદિરમાં પૂજા કરી : રાજસ્થાનના અલવરમાં તેમના પ્રવાસ દરમિયાન જશોદાબેને જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની ધાર્મિક વિધિપૂર્વક પૂજા કરી હતી. આ પ્રસંગે મંદિર સમિતિ અને ભગવાન જગન્નાથ વતી તેમને તુલસીનો છોડ અર્પણ કરવામાં આવ્યો અને હાર પહેરાવવામાં આવ્યો હતો. ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, અલવરમાં સૌથી મોટા મેળાના આયોજનમાં ભાગ લેવા માટે જશોદાબેનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જશોદાબેનનો અલવરનો કાર્યક્રમ :જશોદાબેન અલવરના ભૂરાસિદ્ધ સ્થિત હનુમાન મંદિરે પહોંચ્યા અને હનુમાનજીના દર્શન કર્યા હતા. અહીંથી જશોદાબેન શહેરની સ્કીમ નંબર 8માં અલ્પાહાર કરવા પહોંચ્યા હતા. બાદમાં ધોલાગઢ સ્થિત ધોળાગઢ મંદિરે માતાની પૂજા કરવા માટે રવાના થયા હતા. જશોદાબેન સાંજે અલવર પરત ફરશે અને એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ રાત્રે જ ઊંઝા જવા રવાના થશે.

અલવરની મુલાકાતે જશોદાબેન :વડાપ્રધાન મોદીના પત્ની જશોદાબેન અગાઉ વર્ષ 2017માં પણ અલવરની મુલાકાત લઈ ચૂક્યા છે. તે દરમિયાન તેમણે ઐતિહાસિક પાંડુપોલ હનુમાન મંદિર સહિત અન્ય મંદિરોની પણ મુલાકાત લીધી હતી.

  1. જશોદાબેને ચિત્તોડગઢ કિલ્લામાં મીરા મંદિર, જોહર સ્થળ અને વ્યૂ પોઈન્ટની મુલાકાત કરી
  2. વડાપ્રધાન મોદીના પત્ની જશોદાબેન પહોંચ્યા ધર્મનગરી હરીદ્વાર

ABOUT THE AUTHOR

...view details